1. Home
  2. Tag "News Article"

ઉજ્જવલા હેઠળ વધારાના 25 લાખ LPG કનેક્શન મુક્ત કરવાની સરકારે મંજૂરી આપી

નવી દિલ્હીઃ મહિલા સશક્તીકરણ તરફ એક મોટું પગલું ભરતા, સરકારે આજે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ 25 લાખ વધારાના LPG કનેક્શન મુક્ત કરવાની મંજૂરી આપી છે. આ પ્રસંગે મહિલા લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ X ના રોજ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “નવરાત્રિના શુભ પ્રસંગે, હું ઉજ્જવલા પરિવારમાં જોડાનાર […]

દાલ સરોવર નજીકથી પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળી આવ્યો, ઓપરેશન સિંદૂર દરમિયાન તોડી પડાઈ હતી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત દાલ સરોવરની સફાઈ દરમિયાન પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો છે. આ મિસાઈલ પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન શ્રીનગર પર ટાંકી હતી, પરંતુ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. રવિવારે (21 સપ્ટેમ્બર) શરૂ થયેલા સફાઈ અભિયાન દરમિયાન આ કાટમાળ બહાર આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, દાલ સરોવર વિસ્તારમાં મળેલો આ કાટમાળ પાકિસ્તાનના નિષ્ફળ હુમલાનો […]

બનાસ ડેરી નિયામક મંડળમાં શંકર ચૌધરી અને પરબત પટેલ સહિત 8 સભ્યો બિનહરિફ ચૂંટાયા

ચૂંટણી પહેલા જ 16માંથી 8 બેઠકો બિનહરિફ જાહેર થઈ, સભાસદોમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ અને લોકપ્રિયતા અતૂટ રહી, રાધનપુર, થરાદ, સાંતલપુર અને અમીરગઢ સહિત કુલ 8 બેઠકો બિનહરિફ બની અમદાવાદઃ  સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ચૂંટણી પહેલા જ  16 માંથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ […]

RSSનો શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઊજવવામાં આવશેઃ ડો. ભાડેસિયા

વિજયાદશમી ઉત્સવ નિમિતે 672 કાર્યક્રમ થશે જેમાં 1,65,000 સ્વયંસેવકો ભાગ લેશે. ઘર સંપર્ક અભિયાન અંતર્ગત 2,10,0000 કાર્યકર્તા દ્વારા 90 લાખ ઘરોનો સંપર્ક થશે. 23 દિવસમાં 18,000 ગામડાઓનો સંપર્ક થશે. અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શતાબ્દી વર્ષ નિમિતે ગુજરાત દ્વારા આયોજિત થનારા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી માટે આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ડો. જયંતિભાઈ ભાડેસિયાએ (સંઘચાલક, પશ્ચિમ ક્ષેત્ર, રા.સ્વ. સંઘ) કહ્યું કે […]

ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર

નવરાત્રીના પ્રથમ નોરતે નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી CMએ ભેટ આપી, PMJAY યોજના 7 વર્ષમાં13,946 કરોડની રકમના ક્લેઇમનો લાભ લોકોને મળ્યો, 94 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાતા 108નું સંખ્યાબળ 1549 એ પહોંચ્યું ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીએ ભેટ આપી છે. આજે દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – આયુષ્યમાન યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે […]

પ્રધાનમંત્રી ઇટાનગર ખાતે સ્થાનિક વેપારીઓ અને છૂટક વેપારીઓને મળ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇટાનગર ખાતે સ્થાનિક વેપારીઓ અને છૂટક વેપારીઓને મળ્યા, જેમણે વિવિધ પ્રકારના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. “તેઓએ GST સુધારા પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમને ‘ગર્વ સે કહો યે સ્વદેશી હૈ’ના પોસ્ટરો પણ આપ્યા, જે તેમણે કહ્યું કે તેઓ ઉત્સાહપૂર્વક તેમની દુકાનો પર પ્રદર્શિત કરશે”, તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ […]

ઈટાનગરમાં PM મોદીએ રૂ. 5,100 કરોડના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

ઈટાનગર : અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 5,100 કરોડ રૂપિયાથી વધુના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારંભ ઇંદિરા ગાંધી પાર્કમાં યોજાયો હતો. પીએમ મોદીએ શી યોમી જિલ્લામાં બે મોટા જળવિદ્યુત પ્રોજેક્ટ્સ અને તવાનગમાં એક કોવેંશન સેન્ટરના પાયો રખ્યો હતો. પીએમએ કહ્યું કે, પૂર્વ ઉત્તર પ્રદેશ માટે આ પ્રોજેક્ટ્સ અષ્ટલક્ષ્મી જેવો […]

ભાવનગરમાં નવરાત્રીના પ્રથમ દિવસે બે ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતના 15 તાલુકામાં પણ પડ્યો વરસાદ, વાપી, ઉંમરગામ અને વઘઈમાં વરસાદ પડ્યો, વરસાદને લીધે નવરાત્રીમાં ગરબાના આયોજકો ચિંતામાં મુકાયા ભાવનગરઃ ગુજરાતમાં નવરાત્રી પર્વનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ત્યારે નવરાત્રીના આજે પ્રથમ દિવસે 15 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગર શહેરમાં વહેલી સવારે ધોધમાર 2 ઈંચ વરસાદ વરસતા શેરી ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં […]

અમદાવાદમાં લકઝરી બસને લીધે ઝાડની ડાળી તૂટી પડતા એક્ટિવાચાલકનું મોત

અમદાવાદના નમસ્તે સર્કલ પાસે બન્યો બનાવ, લકઝરી બસની છત પરનો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો, બસના ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધાયો અમદાવાદઃ  શહેરના નમસ્તે સર્કલ નજીક પસાર થઈ રહેલી લક્ઝરી બસની છત પર ભરેલો ઓવરલોડ સામાન ઝાડની ડાળી સાથે અથડાતાની સાથે જ ડાળી તુટી હતી અને લકઝરી બસની પાછળ આવી રહેલા એક્ટિવા […]

પોરબંદરના દરિયામાં ચોખા ભરેલા માલવાહક જહાજમાં લાગી ભીષણ આગ, 14 ખલાસીને બચાવાયા

950 ટન ચોખા, 78 ટન ખાંડ ભરેલી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જહાજ સોમાલિયા જતું હતું ત્યારે જ અચાનક આગ લાગતા અફરાતફરી મચી, પોર્ટથી જહાજને દરિયાના મધ્ય ભાગમાં દૂર ખસેડવામાં આવ્યું,  પોરબંદરઃ શહેર નજીક આવેલા ઓલવેધર પોર્ટ પર આજે સોમવારે સવારે એક માલવાહક જહાજમાં ભીષણ આગ લાગતા અફડા-તફડી મતી ગઈ હતી. આ જહાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code