1. Home
  2. Tag "News Article"

મિઝોરમને પ્રથમવાર રેલવેની ભેટ, 9,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્યાસ

આઇઝોલ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિઝોરમને ઐતિહાસિક ભેટ આપી છે. આઇઝોલ ખાતે તેમણે 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. ખાસ કરીને મિઝોરમને પહેલી વાર ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડતી બેરાબી-સૈરાંગ રેલ લાઇનનું ઉદ્ઘાટન કરીને રાજ્યને દેશના રેલવે નકશા પર સ્થાન અપાવ્યું છે. આ પગલું મિઝોરમના વિકાસ અને કનેક્ટિવિટીના દ્રષ્ટિકોણે અત્યંત […]

ભારતે UNમાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. ગઈકાલે 142 દેશોએ ફ્રેન્ચ ઠરાવની તરફેણમાં અને 10 દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. 12 દેશો ગેરહાજર રહ્યા. વિરોધમાં મતદાન કરનારા દેશોમાં આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયલ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ઘોષણાપત્રમાં ગાઝામાં યુદ્ધનો અંત […]

ભારતે નેપાળમાં નવી સરકારની રચનાનું સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ ભારતે નેપાળમાં નવી સરકારની રચનાનું સ્વાગત કર્યું છે. નેપાળમાં રચાયેલી નવી વચગાળાની સરકાર પર ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત બંને દેશો અને લોકોના કલ્યાણ અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે સુશીલા […]

ઇંગ્લેન્ડે T20 મેચમાં 300 રનનો આંકડો પાર કરી ઇતિહાસ રચી દીધો

મોડી રાત્રે માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા. આ પછી ઇંગ્લેન્ડે 146 રનથી શાનદાર વિજય મેળવ્યો. T20 ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે કોઈ પૂર્ણ સભ્ય ટીમ સામે 300 રનનો આંકડો પાર કરવામાં આવ્યો હતો. વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદમાં […]

ગુજરાતઃ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ

ગાંધીનગરઃ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે વાવેતર પહેલા જ ભારત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. 1 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો […]

નાણાકીય કટોકટી પછી FMCG, IT અને ઓટો ઉચ્ચ-વળતર ઇક્વિટી ક્ષેત્રો બન્યાં

નવી દિલ્હીઃ 2009 થી ઇક્વિટી પર સતત ઉચ્ચ વળતર આપનારા ક્ષેત્રોમાં FMCG, IT, ઓટો, તેલ અને ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો સમાવેશ થાય છે. એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. FMCG, IT, તેલ અને ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો ઉચ્ચ-ROE જૂથ, બજાર મૂડીકરણના ત્રીજા ભાગ કરતાં વધુ હિસ્સો ધરાવે છે અને બાકીના કરતા લગભગ 50 ટકા […]

કચ્છમાં તહેવારો પૂર્ણ ભેળસેળીયુક્ત ધી બનાવતા કારખાના ઉપર દરોડા, 1.4 કરોડની વસ્તુઓ જપ્ત કરાઈ

રાજકોટઃ રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂા.૧.૪ કરોડનો માલ જપ્ત કરાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ સ્થળ પર ઘીની રેડ કરવામાં આવી રહી છે. જેમાં વધુ તપાસ થતા ભેળસેળિયા તત્વો દ્વારા મોટા ભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ […]

ગુજરાતઃ મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ પુર્ણ થયા

ગાંધીનગરઃ 13 સપ્ટેમ્બર 2025 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. આ ચાર પિલર પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, તેને આગળ ધપાવવા તેઓએ સતત, અવિરત, અથાગ પ્રયાસો કર્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ ચાર વર્ષોમાં […]

ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ: ભારતે 19 ખેલાડીઓની ટીમ મોકલી

નવી દિલ્હીઃ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 આજથી જાપાનના ટોક્યોમાં શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટ 13 થી 21 સપ્ટેમ્બર સુધી રમાશે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 17 સપ્ટેમ્બરના રોજ ક્વોલિફિકેશન રાઉન્ડમાં જોવા મળશે, તે જાપાન પહોંચી ગયો છે. આ ટુર્નામેન્ટ માટે, ભારતે વિવિધ ઇવેન્ટ્સ માટે 19 ખેલાડીઓની ટીમ જાપાન મોકલી છે. ઇતિહાસમાં પહેલીવાર, ભારતના […]

નરેન્દ્ર મોદી મિઝોરમ, મણિપુર અને આસામમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે. 13 સપ્ટેમ્બરના રોજ, પ્રધાનમંત્રી મિઝોરમની મુલાકાત લેશે અને સવારે 10 વાગ્યે આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મણિપુરની મુલાકાત લેશે અને બપોરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code