1. Home
  2. Tag "News Blog"

ભારતઃ નૌકાદળમાં એન્ટી-સબમરીન યુદ્ધ જહાજ ‘અરનાલા’નો સમાવેશ થશે

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળનું પ્રથમ એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC) યુદ્ધ જહાજ ‘અરનાલા’ બુધવારે સત્તાવાર રીતે નૌકાદળમાં સામેલ થશે. કમિશનિંગ સમારોહની અધ્યક્ષતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ કરશે. ‘અરનાલા’ 16 યુદ્ધ જહાજોની શ્રેણીમાં પહેલું જહાજ છે જે સંપૂર્ણપણે સ્વદેશી રીતે ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ ભારતીય નૌકાદળની દરિયાકાંઠાની […]

ઈરાન અને ઈઝરાયલ પાંચમા દિવસે પણ એકબીજા પર હુમલા કર્યાં, અત્યાર સુધીમાં 250ના મોત

ઈરાન અને ઈઝરાયલ પાંચમા દિવસે પણ એકબીજા પર હુમલા કરી રહ્યા છે, જેમાં સ્થાનિક નાગરિકો પર હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈઝરાયલી હુમલાના જવાબમાં ઈરાને બે મિસાઈલોનો હુમલો કર્યો, જેના કારણે મધ્ય અને ઉત્તરી ઈઝરાયલના કેટલાક ભાગોમાં વહેલી સવારે હવાઈ હુમલાની ચેતવણીઓ શરૂ થઈ ગઈ. ઈરાનના સશસ્ત્ર દળોએ ઈઝરાયલને ચેતવણી આપી હતી કે નવા […]

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે કેપ્ટનશીપ મામલે આખરે પોતાનું મૌન તોડ્યું

મુંબઈઃ ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે આખરે પોતાનું મૌન તોડ્યું છે. બુમરાહે જણાવ્યું કે આખરે સૌથી આગળ હોવા છતાં તેણે ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બનવાની તક કેમ નકારી કાઢી છે. સ્કાય સ્પોર્ટ્સ માટે દિનેશ કાર્તિક સાથેની વાતચીતમાં, બુમરાહએ ખુલાસો કર્યો કે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ તેમને રોહિત શર્માને રેડ-બોલ કેપ્ટન તરીકે બદલવા માટે […]

G7 સમિટમાં પીએમ મોદી વિશ્વભરના નેતાઓને મળ્યા, દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા

નવી દિલ્હીઃ કેનેડાના કનાનાસ્કિસમાં ચાલી રહેલા G7 શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઘણા દેશોના ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષિય મુલાકાત કરી. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારતના વૈશ્વિક સહયોગને મજબૂત કરવાનો અને મુખ્ય આંતરરાષ્ટ્રીય મુદ્દા પર સામાન્ય વ્યૂહરચના બનાવવાનો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મયોંગ, મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામ, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની […]

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ ટેલિફોનિક વાતચીત, ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી

નવી દિલ્હીઃ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી, જે લગભગ 35 મિનિટ ચાલી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર સંબંધિત […]

G7 માટે કેનેડા મુલાકાત પૂર્ણ થતા પીએમ મોદી ક્રોએશિયા જવા રવાના થયા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કેનેડા પ્રવાસ સફળ રહ્યો છે. હવે પીએમ મોદી તેમની ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ક્રોએશિયા જવા રવાના થયા છે. અગાઉ, તેમણે G7 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ કેનેડાના લોકો અને સરકારનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે G7 સમિટમાં હાજરી આપવા માટે કેનેડાની તેમની સફળ મુલાકાત પૂર્ણ કરી. પ્રધાનમંત્રી […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 8 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ

ગાંધીનગરઃ હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત તેમજ મધ્યગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારમાં […]

સંસ્કૃત બોર્ડની પાંચ પ્રોત્સાહક યોજનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોંચ કરી

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠક મળી, સંસ્કૃત બોર્ડના લોગોનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયુ, સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના– સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના – સંસ્કૃત પ્રોત્સાહન યોજના  શરૂ કરાશે. ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે યોજના પંચકમ લોંચ […]

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની જાણ થતાં જ 108 સેવાની 80 ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી

બપોરે 1.41 વાગ્યે કૉલ મળતાં જ 4 એમ્બ્યુલન્સને તાત્કાલિક રવાના કરાઈ, દૂર્ઘટનાના 3 મિનિટમાં પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી, 10 મિનિટમાં જ 31 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર થઈ બચાવ કામગીરીમાં જોડાઈ ગઇ અમદાવાદઃ 12 જૂન 2025ના રોજ બપોરે લગભગ 1.40 વાગ્યે, અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને કારણે કારણે તાત્કાલિક અને વ્યાપક ઇમરજન્સી રિસ્પોન્સની આવશ્યકતા ઊભી થઈ હતી, ત્યારે 108 […]

ભારતઃ સેનાની ટુકડી ‘શક્તિ’ લશ્કરી કવાયતના 8માં સંસ્કરણમાં ભાગ લેવા ફ્રાન્સ રવાના થઈ

નવી દિલ્હીઃ ભારતીય સેનાની એક ટુકડી મંગળવારે દ્વિવાર્ષિક ભારત-ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયત શક્તિના 8મા સંસ્કરણમાં ભાગ લેવા માટે રવાના થઈ. આ કવાયત 18 જૂન 2025 થી 1 જુલાઈ 2025 સુધી ફ્રાન્સના લા કેવેલરીના કેમ્પ લાર્ઝાક ખાતે ચાલશે. આ કવાયતમાં ભાગ લેનાર ભારતીય ટુકડીમાં 90 સૈન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. ભારતીય ટુકડીમાં મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની બટાલિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code