1. Home
  2. Tag "News in Gujarati"

ગુજરાતમાં તમામ ડીઈઓ કચેરીઓને હવે ઈ-સરકાર ફાઈલનું અમલીકરણ ફરજિયાત

અમદાવાદ, 15 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં હવે ઈ-ફાઈલીંગનો તબક્કાવાર અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં શિક્ષણ વિભાગે પહેલ કરી છે. કમિશનર શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક પત્ર લખવામાં આવ્યો છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં તમામ ફાઈલ ઈ-સરકાર […]

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોક જતા પ્રવાસી પાસેથી 42 લાખનું વિદેશી ચલણ પકડાયું

અમદાવાદ, 15 જાન્યુઆરી 2026:   શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ  એરપોર્ટ પર બેંગકોક જઈ રહેલા એક પ્રવાસીની શંકાસ્પદ હીલચાલ જોતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ પ્રવાસીના લગેજની તપાસ કરતા 42 ,06,340ની કિંમતનું વિદેશી ચલણ મળી આવ્યું હતું. કસ્ટમ વિભાગે પ્રવાસીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક […]

ગુજરાતમાં ઉત્તરાણના દિને જુદા જુદા બનાવોમાં પતંગ-દોરીએ 10 જણાનો ભોગ લીધો

અમદાવાદ, 15 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં ઉત્તરાણના દિને પતંગ-દોરીને લીધે બનેલા અકસ્માતોના બનાવમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં સુરતમાં એક પરિવારના ત્રણ સભ્યો 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતા બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધુ અને પૂલથી […]

રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ

ગાધીનગર, 15 જાન્યુઆરી 2026:  ઉદ્યોગસાહસિકોની કલ્પનાશક્તિ, ટેક્નોલોજીકલ કુશળતા અને નીતિગત સહકાર મળીને એક નવું સાહસ-એકમ શરૂ કરવું એટલે સ્ટાર્ટઅપ. નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાની વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દૃઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ 2016માં ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત દર વર્ષે તા. 16, જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ઉજવવામાં આવે […]

ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ (PAGE)નો અમિત શાહે કર્યો શિલાન્યાસ

અમદાવાદ,13 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ અકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE)નો શિલાન્યાસ કરવામાં આવ્યો. PAGEના શિલાન્યાસ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ (IPA)નાં 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર […]

ગુજરાત પોલીસની દ્વારા ડ્રગ્સ અંગે બાતમી આપવા માટે વોટ્સએપ નંબર જાહેર

હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાત વોટ્સએપ નંબર:99040 01908 ઉપર સંપર્ક કરી શકશે ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે ગાંધીનગર, 13 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે […]

કાલાવડમાં પેરાશુટ સાથે ઉડતો યુવાન વીજ વાયરને અથડાઈને પટકાયા બાદ નાસી ગયો

જામનગર,13 જાન્યુઆરી 2026:  જિલ્લાના કાલાવડ શહેરમાં હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિ પેરાશૂટ સાથે આકાશમાંથી વીજ વાયર પર પડ્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 100 ફૂટની ઊંચાઈએથી પડ્યા બાદ યુવક નાસી ગયો હતો. આ યુવક કોણ હતો ને ક્યાંથી આવ્યો દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ […]

જેતપુર-ધોરાજી હાઈવે પર ટાયર ફાટતા કાર ઝાડ સાથે અથડાતા મહિલાનું મોત

રાજકોટ,13 જાન્યુઆરી 2026:  રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે જેતપુર-ધોરાજી નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગત મોડીરાત્રે પૂરઝડપે જતી એક કારનું ટાયર ફાટી જતાં કાર ફંગોળાઇ હતી. આ કારમાં સવાર દંપતી પૈકી પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ.  જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યા […]

AMCના એકાઉન્ટ વિભાગમાં NOC વગરના કર્મીઓના પગારમાં થતી કપાતનો રેકોર્ડ જ નથી

અમદાવાદ,13 જાન્યુઆરી 2026:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકાઉન્ટ વિભાગના અંધેર વહિવટ સામે સવાલો ઊઠ્યા છે. એએમસીના કર્મચારીઓના પગારમાંથી કપાત બંધ કરવાના નિર્ણયને છેક સુપ્રિમ કોર્ટ સુધી લઈ જવાયો હતો.કોર્ટના આદેશ મુજબ, એકાઉન્ટ ખાતા દ્વારા પગારમાંથી કપાત કરતા પહેલાં એન.ઓ.સી.ની ચકાસણી કરીને જ પગારમાંથી ક્રેડીટ સોસાયટીની કપાત કરવાનો નિર્ણય કરવાનો હતો. આમ છતાં હાલમાં પણ એન.ઓ.સી.વગર  બે હજારથી […]

ખનીજચોરી કરતા વાહનો પકડાશે તો 30 દિવસ નહીં છૂટે, ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરાશે

અમદાવાદ,13 જાન્યુઆરી 2026: ગુજરાતમાં તંત્રની કાર્યવાહી છતાંયે ખનીજચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખનિજનું ગેરકાયદે અથવા ઓવરલોડ વહન કરતા વાહનો એક વખત ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો નિર્ણય લેવાયો છે. તંત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code