શાળાઓમાં પ્રથમ સત્ર પૂર્ણ થઈ ગયું હોય હવે ધો. 9થી 12ના વર્ગોમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હળવું થઈ જતાં સરકારે ધો. 9થી 12ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી આપી હતી. આ વર્ષે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કોરોનાને લીધે શિક્ષણ કાર્ય વિલંબથી શરૂ કરાયું હતું. માસ પ્રમોશન બાદ ધોરણ 9થી 12માં પ્રવેશ આપવામાં શિક્ષણ બોર્ડે મુદ્દત વધારી આપી હતી. પરંતુ હવે દિવાળીનું વેકેશન શરૂ થતાં પહેલાં […]