1. Home
  2. Tag "NORTH GUJARAT"

PM નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતમાં ₹ 307 કરોડના રોડ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

વિરમગામથી ખુડદ થઈ રામપુરા સુધીના21 કિમીના માર્ગનું લોકાર્પણ કરાશે, અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ-માર્ગીય વ્હિકલ અંડરપાસનું ખાતમુહૂર્ત, અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં PM મોદી ₹274 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને વિવિધ વિભાગો હેઠળ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. આમાં માર્ગ અને મકાન વિભાગના કુલ ₹307 કરોડના […]

CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાતના નાગરિકોને અદ્યતન માર્ગો આપવાનો કર્યો નિર્ણય

નોકરી-રોજગારી માટે જતા લોકોને અવરજવરમાં વધુ સુગમતા મળશે સુવિધાયુક્ત માર્ગ આપવાના આશયે મુખ્યમંત્રી એ આ નિર્ણય કર્યો અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળશે ગાંધીનગરઃ 16 આદિજાતિ ગામોની 23 હજારથી વધુ જનસંખ્યાને અવરજવર માટે સરળતા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અવિરત વિકાસની ધોરીનસ સમાન રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવા સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પણ લોકમાંગણી મુજબની […]

ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી, જનજીવનને અસર

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે, માવઠા બાદ ફરી એકવાર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે જેના પરિણામ સ્વરૂપ જનજીવનને પણ વ્યાપક અસર થઈ રહી છે. પાટણ જિલ્લામાં ઠંડીના તેજ પ્રભાવને કારણે શહેરીજનોને તીવ્ર ઠંડીનો અનુભવ થયો છે. છેલ્લા 24 કલાકમાં ઠંડી એટલી વધારે ગઈ છે કે, રાત્રે લોકોની ચહલપહલમાં […]

ઉત્તર ગુજરાતમાં ધરા ધ્રુજી, 4.2ની તીવ્રતા નોંધાઈ

અમદાવાદઃ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરો-નગરોમાં ધરા ધ્રુજી હતી. લગભગ 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય ફેલાયો હતો. રાત્રિના સમયે આવેલા ભૂકંપને પગલે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળે છે. ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા અનુભવ્યા […]

ઉત્તર ગુજરાતમાં અકસ્માતના 3 બનાવો, 4નાં મોત

ઈડર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેનાં મોત, ઊંઝા નજીક મક્તુપુર હાઈવે પર હીટ એન્ડ રન, એકનું મોત, શામળાજી નજીક ખોડંબા પાસે બાઈક અકસ્માતમાં યુવાનનું મોત અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં અકસ્માતના જુદા જુદા ત્રણ બનાવોમાં ચારના મોત નિપજ્યા હતા જેમાં સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર બે લોકોના […]

ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં વરસાદ, વિજાપુર અને માણસામાં 4 ઈંચથી વધુ,

ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, મહેસાણામાં ગોપાનાળાં અને ભમ્મરિયા નાળા ભરાયા, ગુજરાતમાં બપોર સુધીમાં 83 તાલુકામાં વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં 9મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 136 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ગાંધીનગરના માણસામાં 4 ઈંચથી વધુ અને મહેસાણાના વિજારપુરમાં પણ 4 ઈંચથી વધુ વરસાદ […]

પંદર દિવસના વિરામ બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ખેડબ્રહ્મા : અત્યારે હાલ ચોમાસાએ દક્ષિણ ગુજરાત તથા કાઠિયાવાડમાં ભારે જમાવટ કરી છે તે વિસ્તાર જળબંબાકાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારબાદ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. છેલ્લા પંદર દિવસથી ઉત્તર ગુજરાત વાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા. જ્યારે આજે સોમવારે બપોરે ૧૨ કલાકના સમયે વાદળોની ગજઁના અને વીજળીના કડાકા અને […]

ઉત્તર ગુજરાતમાં 9 પેઢી પર GSTના દરોડા, 392 કરોડના બોગસ બિલિંગ પકડાયુ, 3ની ધરપકડ

અમદાવાદ:  સ્ટેટ જીએસટી ડિપોર્ટમેન્ટના અન્વેષણ વિભાગે ઉત્તર ગુજરાતની રોલિંગ મિલોમાં તપાસ હાથ ધરી નવ પેઢીમાંથી 392.83 કરોડના બોગસ બિલોથી 70.71 કરોડની ખોટી આઇટીસીની કરચોરી કરી હોવાનું પ્રકાશમાં આવતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરમાં કરચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા તત્વો સામે જીએસટી વિભાગ દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે. સ્ટેટ જીએસટી […]

ઉત્તર ગુજરાતમાં જુનના છેલ્લા સપ્તાહમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આગમન બાદ ચોમાસાનું જોર ધીમું પડી ગયું છે. હજુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ નથી ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે. કે. જુન મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે. 25મી જુનથી 30 જુન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વાજતે-ગાજતે મેઘરાજાની […]

રાધનપુરમાં સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એકનું મોત

અમદાવાદઃ રાધનપુરનું પીપળ ગામ પાસે 3 ટ્રેલરો વચ્ચે ટક્કર થઈ હતી. જેથી ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ અકસ્માતમાં ટેલરોમાં ફસાયેલા લોકોને કાઢવા માટે પતરા ચીરવા પડ્યા હતા. ત્રણ કલાકની જેહમત બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યાં હતા. અકસ્માતના પગલે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code