1. Home
  2. Tag "odisha"

ઓડિશામાં બેંગ્લોર-કામખ્યા એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ ઓડિશાના કટક-નેરગુંડી રેલ્વે સેક્શનમાં ૧૨૫૫૧ બેંગ્લોર-કામખ્યા એક્સપ્રેસના ૧૧ કોચ પાટા પરથી ઉતરી ગયા. ઘટનાની માહિતી મળતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડીઆરએમ ખુર્દા રોડ, જીએમ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક રાહત કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયા. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે રાહત અને તબીબી ટ્રેનો પણ રવાના કરવામાં આવી હતી. […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે. આ દરમિયાન, PM ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે આયોજિત થશે. બાલાસોરના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી પહેલા પણ ઘણી વખત ઓડિશાની મુલાકાત લઈ ચૂક્યા છે. આ વખતે તેઓ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8થી 9 જાન્યુઆરી, 2025 સુધી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે. સ્થાયી વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને માળખાગત સુવિધામાં વૃદ્ધિ માટે વિસ્તૃત કામગીરીનાં ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી 8 જાન્યુઆરીનાં રોજ સાંજે 5:30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 9 જાન્યુઆરીનાં રોજ […]

સુરતઃ મિત્રની હત્યા કરનારો આરોપી 15 વર્ષ બાદ ઓડિશાથી ઝડપાયો

સુરતઃ અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં નોંધાયેલા હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપીને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓડિશા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2009માં આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડા નામના ઇસમ દ્વારા પોતાના મિત્ર ભગવાન નાયકની હત્યા કરવામાં આવી હતી. રામચંદ્રને પોતાના મિત્ર સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો […]

ઓડિશાના રાઉરકેલામાં હોકી ઈન્ડિયા લીગ શરૂ થશે

નવી દિલ્હીઃ ઓડિશાના રાઉરકેલામાં આજથી હોકી ઈન્ડિયા લીગ શરૂ થઈ રહી છે. બિરસા મુંડા સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે દિલ્હી એસજી પાઇપર્સ અને ગોનાસિકા વચ્ચે ઉદ્ઘાટન મેચ રમાશે. હોકી લીગ બે તબક્કામાં રમાશે. મેચનો પ્રથમ તબક્કો આજથી 18 જાન્યુઆરી સુધી ચાલશે જેમાં તમામ ટીમોએ એક-બીજા સામે એક વખત રમવાનું રહેશે. બીજો તબક્કો 19 જાન્યુઆરીથી શરૂ થશે, […]

ઉત્તર ભારતમાં શીત લહેર! કાશ્મીરમાં પારો માઈનસમાં પહોંચ્યો, ઓડિશામાં 10 ડિગ્રી

ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવા ઉત્તરીય રાજ્યો સોમવારે પણ ઠંડીની લહેર હેઠળ રહ્યા હતા. જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું, જ્યારે પૂર્વીય રાજ્ય ઓડિશાના કેટલાક ભાગોમાં પારો 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો હતો. કાશ્મીરમાં તીવ્ર ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું અને લઘુત્તમ તાપમાન શૂન્યથી […]

ઓડિશાના રાયરંગપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ઓડિશાના રાયરંગપુરમાં ત્રણ રેલ્વે લાઇન બંગીરીપોસી-ગોરુમહિસાની, બુરમારા-ચકુલિયા અને બદમપહાર-કેંદુઝારગઢનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે રાષ્ટ્રપતિ મુર્મુએ આદિજાતિ સંશોધન અને વિકાસ કેન્દ્ર, ડાંડબોસ એરપોર્ટ અને રાયરંગપુરની સબ-ડિવિઝનલ હોસ્પિટલની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ ભૂમિની દીકરી હોવાનો તેમને હંમેશા ગર્વ રહ્યો છે. જવાબદારીઓ અને […]

અમારી સરકાર ઓડિશામાં બિઝનેસ કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ: PM મોદી

નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આયોજિત ‘ઓડિશા પર્વ સેલિબ્રેશન 2024’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઓડિશાના હસ્તકલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘ઓડિશા પર્વના અવસર પર હું તમને અને તમામ ઓડિશાના લોકોને અભિનંદન આપું છું. આ વર્ષે ‘પ્રકૃતિકવિ’ ગંગાધર મેહરની પુણ્યતિથિની શતાબ્દી પણ છે. આ પ્રસંગે […]

છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ 3 પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સર્વિસીસના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ રૂ. 725.62 કરોડના ત્રણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સમિતિએ છત્તીસગઢ માટે રૂ. 147.76 કરોડ, ઓડિશા માટે રૂ. 201.10 કરોડ અને પશ્ચિમ બંગાળ માટે રૂ. 376.76 કરોડ મંજૂર કર્યા […]

ઓડિશામાં વાવાઝોડાની તબાહી વચ્ચે 5 લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું

નવી દિલ્હીઃ ચક્રવાત દાનાએ ઓડિશામાં ભારે તબાહી મચાવી છે. ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન, મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે, કુલ 5,84,888 લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે. આ લોકો હાલમાં 6,008 ચક્રવાત આશ્રયસ્થાનોમાં રહે છે, જ્યાં તેમને ખોરાક, પાણી અને દવાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code