1. Home
  2. Tag "pakistan"

ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકીઓને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર મરાશેઃ રાજનાશ સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવતિઓને આંજામ આપવાના પ્રવાસ કર્યા બાદ સીમા પાર કરીને ભાગી જનાર વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મારશે, તેવો દ્રઢ નિર્ધાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આશરો લેનારો ભારત વિરોધી તત્વોને ભારતની ગુપ્તચર એજન્સી ખાતમો બોલાવતા હોવાનો ચોંકાવનારો દાવો બ્રિટીશ અખબારે દાવો કર્યાં હતો. બ્રિટીશ અખબારના દાવાના […]

પાકિ.માં દુશ્મનોના ખાતમા પાછળ ભારતીય એજન્સીઓની સંડોવણીનો દાવો પાયાવિહોણોઃ ભારત

નવી દિલ્હીઃ પાકિસ્તાનને ભારત તમામ મુદ્દા ઉપર સણસણતો જવાબ આપે છે. સર્જિકલ સ્ટ્રાઈકલ હોય કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપે છે. જ્યારે પડોશી દેશમાં ભારતના દુશ્મનોનો ખાતમો થઈ રહ્યો છે. જેને લઈને બ્રિટિશ અખબારે ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોના ખાતમા પાછળ ભારતનો જ હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. […]

પાકિસ્તાનમાં દેશના દુશ્મનોને મોતને ઘાટ ઉતારી રહ્યું છે ભારત? બ્રિટિશ અખબારનો રૉ, મોસાદના નક્શેકદમ હોવાનો દાવો

નવી દિલ્હી: ગત કેટલાક વર્ષોથી પાકિસ્તાનમાં છૂપાયને બેઠેલા ભારતના દુશ્મનોને અજ્ઞાત હુમલાખોરો મોતને ઘાટ ઉતારી રહ્યા છે. બ્રિટિશ અખબાર ગાર્ડિયને પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે આના પાછળ ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસિ વિંગ એટલે કે રૉનો હાથ છે. કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિપોર્ટ કરનારી રૉ તેમના ઈશારે જ પાકિસ્તાનમાં આતંકવાદીઓ […]

પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટના 3 ન્યાયમૂર્તિઓને શંકાસ્પદ પાઉડર લગાવેલા ધમકી ભર્યા પત્રો મળ્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટના 3 ન્યાયમૂર્તિઓને ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. જેની ઉપર કોઈ પ્રકારનો પાવડર લગાવવામાં આવ્યો હતો. આ પહેલા ઈસ્લામાબાદ હાઈકોર્ટના જસ્ટીસોને પણ આવા ધમકી ભર્યા પત્ર મળ્યાં હતા. પંજાબ પ્રાંતના એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પત્રને પાઉડરની તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યો છે. આ પાઉડર એંથ્રેસ હોવાની આશંકા વ્યક્ત […]

આતંકનો ગઢ બન્યું પાકિસ્તાન, ત્રણ માસમાં 245 ઘટનામાં 432 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આતંકવાદ સતત વધી રહ્યો છે. સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ (સીઆરએસએસ)ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં 2024ના 3 હમિનામાં આતંકવાદી હુમલા અને આતંકવાદી હુમલા વિરોધી અભિયાનોની લગભગ 245 જેટલી ઘટના નોંધાઈ છે. આ ઘટનાઓમાં 432 વ્યક્તિઓના મોત થયાં છે જ્યારે 370 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. માત્ર ત્રણ મહિનાની […]

પાકિસ્તાન: કોર્ટ કાર્યવાહીમાં ISIનો હસ્તક્ષેપ, ઈસ્લામાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ માંગી મદદ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટેના છ ન્યાયમૂર્તિઓએ દેશની શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ પર ન્યાયપાલિકાની કામગીરીમાં હસ્તક્ષેપનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મુદ્દે ન્યાયમૂર્તિઓએ પાકિસ્તાનના ન્યાયીક પરિષદને પત્ર લખ્યો છે. જજોએ જણાવ્યું હતું કે, દેશની ગુપ્તચર એજન્સીઓ હાઈકોર્ટ ઉપર વિવિધ પ્રકારે દબાણ બનાવે છે, જેથી ન્યાયપાલિકાની કામગીરીને અસર થાય છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓએ ન્યાયીક પરિષદ પાસે મદદની માંગણી […]

પાકિસ્તાનમાં ચીની ઈજનેરો પર આત્મઘાતી હુમલો, 5 ચીનીઓના મોત

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં ચીની ઈજનેરોને લઈ જઈ રહેલા કાફલા પર આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં મળતી માહિતી મુજબ  5 ચીની નાગરિકોના જીવ ગયા છે. રિઝનલ પોલીસ ચીફના કહેવા પ્રમાણે ચીની ઈજનેરોને લઈ જઈ રહેલા કાફલામાં વિસ્ફોટક ભરેલા વાહનને આત્મઘાતી હુમલાખોરે અથડાવી દીધું હતું અને તેમાં વિસ્ફોટ થયો હતો. આ કાફલો ઈસ્લામાબાદથી ખૈબર પખ્તૂનખ્વાંના […]

પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, તુર્બતમાં PNS સિદ્દીકી નેવલ એરબેઝ પર હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના તુર્બતમાં PNS સિદ્દીકી નેવલ એરબેઝ પર આતંકી હુમલો થયો હતો. નેવી એરબેઝ પર હુમલામાં પાકિસ્તાની સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન બલૂચિસ્તાન-લિબરેશન-આર્મી (BLA) મજીદ બ્રિગેડે લીધી હતી. આતંકીઓ પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરી રહ્યાં છે. આ ક્ષેત્રના સંસાધનોનો ઉપયોગ કરવા માટે ચીન અને પાકિસ્તાન પર શોષણ કરવાનો […]

આર્થિક કંગાળ પાકિસ્તાનની ભારત પાસે મદદની આશા, વેપાર પુનઃ કાર્યરત કરવાની વિચારણા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પોતાના દેશથી હજારો કિમી દૂર લંડનમાં કહ્યું હતું કે, અમે ભારત સાથે વેપાર ઉપર ગંભીરતાથી વિચારણા કરીશું. રાજકીય જાણકારોના મતે આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રીના આ નિવેદનમાં એક મજબૂરી છુપાયેલી છે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલમાં ICUમાં પડી છે અને તેને મટાડવા માટે વેપાર જ એકમાત્ર ‘દવા’ […]

જિનેવામાં 148મી IPU એસેમ્બલીમાં આતંકવાદ મુદ્દે ભારતનું આકરુ વલણ, પાકિસ્તાને આડે હાથ લીધુ

નવી દિલ્હીઃ જિનીવામાં આંતર-સંસદીય સંઘની 148મી બેઠકને સંબોધતા ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું છે કે ઈસ્લામાબાદને જમ્મુ અને કાશ્મીરમાં સીમાપારથી આતંકવાદી હુમલાઓ ચાલુ રાખતા આતંકવાદી ફેક્ટરીઓને રોકવાની સલાહ આપવી જોઈએ. નવી દિલ્હીએ કહ્યું કે ઈસ્લામાબાદનો આતંકવાદીઓને આશ્રય આપવા, મદદ કરવાનો અને સક્રિયપણે સમર્થન કરવાનો સ્થાપિત ઈતિહાસ છે. આ વાત જીનીવામાં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code