રાણપુરના પાંજરાપોળમાં કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય, છેલ્લા 40 દિવસમાં 250 પશુઓનાં મોત
બોટાદઃ ચોમાસા દરમિયાન વરસાદને લીધે પશુઓની હાલત દયનીય બનતી હોય છે. જેમાં પાંજરાપોળોમાં પુરતા પ્રમાણમાં શેડ ન હોવાથી વરસાદમાં પશુઓની હાલત કફોડી બનતી હોય છે. બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલી પાંજરાપોળમાં 1500 જેટલા નાના-મોટા પશુઓ છે. છેલ્લા કેટલાય દિવસથી સમયાંતરે પડી રહેલા વરસાદને કારણે પાંજરાપોળમાં પાણી ભરાઈ ગયા છે. તેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી […]