ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસની મહારેલી, આદિવાસીઓ ઉમટી પડ્યાં
ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાંથી મોટીસંખ્યામાં આદિવાસીઓ ધરમપુર પહોંચ્યા, પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે, ગુજરાત સરકારે પ્રોજેક્ટ સ્થગિત કરવાની ગઈકાલે જાહેરાત કરી હતી. વલસાડઃ પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટનો આદિવાસી સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે બુધવારે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યાની જાહેરાત બાદ પણ આદિવાસી સમાજમાં વિરોધ યથાવત રહ્યો છે. […]