1. Home
  2. Tag "PARLIAMENT"

પાંચ વર્ષમાં 9 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી વિદેશમાં વસવાટનું કર્યું પસંદ

નવી દિલ્હી: દેશમાં દર વર્ષે વિદેશમાં વસવાટ કરનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, સરેરાશ દર વર્ષે લગભગ બે લાખ લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો, 9 લાખથી વધુ ભારતીયોએ દેશની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. વિદેશ […]

ભારતે સાબિત કર્યું છે કે ડેમોક્રસી કેન ડિલિવરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ સંસદના શીતકાળીન સત્રની શરૂઆત પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે શીતકાળીન સત્ર માત્ર એક પ્રથા નથી, પરંતુ દેશને પ્રગતિના માર્ગ ઉપર ઝડપથી લઈ જવા માટે ઉર્જા પૂરું પાડવાનું મહત્ત્વનું માધ્યમ છે. તેમણે કહ્યું કે ભારતે લોકશાહીને જીવી છે અને સમયાંતરે લોકશાહીના ઉત્સાહ તથા ઉમંગને પ્રગટ કર્યો છે, જેના કારણે […]

સંસદનું શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થશે; SIR મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર આવતી કાલ સોમવાર, 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. તે 19 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન સરકાર 10 મહત્વપૂર્ણ બિલ રજૂ કરી રહી છે, જેમાં પરમાણુ ઉર્જા ક્ષેત્ર, ઉચ્ચ શિક્ષણ માળખાગત સુધારા અને કોર્પોરેટ/શેર બજાર નિયમન સંબંધિત બિલોનો સમાવેશ થાય છે, ત્યારે વિપક્ષ SIR મુદ્દા પર સરકારને ઘેરવાની […]

પાકિસ્તાન પર આસીમ મુનીરનું સંપૂર્ણ નિયંત્રણ, સંસદમાં પસાર થયું ખાસ બિલ

નવી દિલ્હી: પાકિસ્તાનની સંસદે ભારે હોબાળા વચ્ચે 27મા બંધારણીય સુધારાને મંજૂરી આપી. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની સત્તાઓનું વિસ્તરણ કરતું 27મું બંધારણીય સુધારા બિલ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયું. હકીકતમાં, પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરને હવે સંરક્ષણ દળોના વડાના નવા પદ પર બઢતી આપવામાં આવશે અને તેઓ ઔપચારિક રીતે નૌકાદળ અને વાયુસેનાની કમાન પણ સંભાળશે. […]

સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર સુધી યોજાશે, રાષ્ટ્રપતિએ આપી મંજુરી

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર આવતા મહિને શરૂ થવાનું છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 1 થી 19 ડિસેમ્બર સુધી સંસદીય સત્ર માટેના પ્રસ્તાવને મંજૂરી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ દ્વારા પસાર કરાયેલા પાંચ વિધેયકોને મંજૂરી આપી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ દ્વારા પસાર કરાયેલા પાંચ વિધેયકોને મંજૂરી આપી છે. જેમાં ઓનલાઈન ગેમિંગ વિધેયક, આવકવેરા કાયદો 2025, કરવેરા કાયદા (સુધારા) અધિનિયમ 2025, મેનેજમેન્ટ સંસ્થાઓ (સુધારા) અધિનિયમ 2025, ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) સુધારો અધિનિયમ 2025 અને ભારતીય બંદરો અધિનિયમ 2025નો સમાવેશ થાય છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોને […]

સંસદનું 21 જુલાઈથી શરૂ થશે ચોમાસુ સત્ર, આ સત્ર તોફાની રહેવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આ ચોમાસુ સત્રમાં સરકાર આઠ નવા બિલ રજૂ કરશે. આમાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સંબંધિત બિલનો સમાવેશ થાય છે. સરકાર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાનું વિચારી રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારનો આ પૂર્વોત્તર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાની કોઈ યોજના નથી. મણિપુરમાં 13 ફેબ્રુઆરીએ […]

પ્રધાનમંત્રીએ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવેલા વકફ ખરડાને ઐતિહાસિક ક્ષણ તરીકે બિરદાવ્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદના બંને ગૃહો દ્વારા વકફ (સુધારા) બિલ અને મુસ્લિમ વકફ (રદ) બિલ પસાર થવા બદલ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ સામાજિક-આર્થિક ન્યાય, પારદર્શિતા અને સમાવેશી વિકાસ માટેની આપણી સામૂહિક શોધની એક મહત્વપૂર્ણ ક્ષણ છે. તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું કે, “સંસદના બંને ગૃહો દ્વારા વકફ […]

સંસદમાં ચર્ચા દરમિયાન કિરેન રિજિજુ: ‘વક્ફે સંસદ પર પણ દાવો કર્યો, મોદી સરકારે તેને રોકી’

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. બિલ પર ચર્ચાની શરૂઆત કરતા કિરેન રિજિજુએ કહ્યું, ‘કુલ 97,27,772 અરજીઓ મેમોરેન્ડમ, વિનંતીઓ અને સૂચનોના રૂપમાં ઓનલાઈન પ્રાપ્ત થઈ છે. 284 પ્રતિનિધિમંડળે સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા અને સૂચનો આપ્યા. જેપીસી (સંયુક્ત સંસદીય સમિતિ) દ્વારા અથવા સીધા મેમોરેન્ડમ દ્વારા, સરકારે […]

સંસદમાં ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલય વિધેયક બિલ 2025 પસાર

નવી દિલ્હીઃ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ 2025 સંસદમાં પસાર થયું. રાજ્યસભાએ તેને મંજૂરી આપી. લોકસભા પહેલાથી જ આ બિલ પસાર કરી ચૂકી છે. આ બિલમાં ગુજરાતના આણંદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટને યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરવાની જોગવાઈ છે. તે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી તરીકે ઓળખાશે અને તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવામાં આવશે. આ સંસ્થા સહકારી ક્ષેત્રમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code