ભારતીય રેલવેનું ખાનગીકરણ નહીં થાયઃ પિયુષ ગોયેલ
દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રેલવેના ખાનગીકરણની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે, આવી તમામ ચર્ચાઓ ઉપર કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયેલે પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવામાં નહીં આવે. રેલવે ભારતની સંપતિ છે અને સંપતિ રહેશે. જો કે, રેલવે ટ્રેક ઉપર ખાનગી ટ્રેન દોડાવવાથી રેલવેની સાથે દેશની પણ પ્રગતિ થશે. લોકસભામાં […]


