1. Home
  2. Tag "Planning"

શ્રાવણ મહિનામાં ભંડારાનું આયોજન કરવાથી શું ફાયદો થશે, જાણો

જો તમે તમારી ક્ષમતા મુજબ ભોજન સમારંભનું આયોજન કરો છો અથવા ભોજનનું દાન કરો છો, તો તમે ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક લાભોમાં ભાગીદાર બનશો. આ સાથે, આ પુણ્ય કાર્ય કરવાથી તમને ભગવાન શિવના આશીર્વાદ પણ મળશે. શાસ્ત્રોમાં ભંડારાનું આયોજન એક પુણ્ય કાર્ય માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભંડારાનું આયોજન અનેક ગણું પુણ્યપૂર્ણ છે. […]

વડોદરામાં અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રોબો રથયાત્રા ભક્તિભાવ સાથે યોજાઈ

વડોદરાઃ વડોદરામાં આજની પવિત્ર અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રોબો રથયાત્રા ભક્તિભાવ અને હર્ષૌલ્લાસ સાથે યોજાઈ હતી. શહેરના યુવા જય મકવાણાના ઉત્સાહભર્યા પ્રયાસથી સતત 12મા વર્ષે આ અનોખી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજી અને સંસ્કૃતિના સમન્વય રૂપે, મોબાઈલ ઓપરેટેડ રોબોટિક રથ પર ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા મહારાણી અને સુદર્શનજી બિરાજમાન થયા. જય મકવાણાના […]

ભારત-ફ્રેન્ચ સેનાઓ હવાઈ ખતરા સામે સંયુક્ત ડ્રોન વિરોધી તાલીમનું આયોજન

નવી દિલ્હીઃ ભારત અને ફ્રાન્સની સેનાઓ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ‘શક્તિ’ હાલમાં ફ્રાન્સના લા કેવેલરીના કેમ્પ લાર્ઝાક ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. ભારત અને ફ્રાન્સ અહીં તેમના અત્યાધુનિક શસ્ત્રો સાથે યુદ્ધ અને ગોળીબારનો અભ્યાસ કરી રહ્યા છે. અહીં, બંને પક્ષોએ આધુનિક હવાઈ ખતરાઓનો સામનો કરવા માટે ડ્રોન વિરોધી ટેકનોલોજી પર સાથે તાલીમ પણ લીધી. આ […]

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચોમાસાના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજનની તલસ્પર્શી માહિતી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મેળવી હતી. રાજ્યમાં પ્રિ-મોનસૂન કામગીરી વિવિધ વિભાગોએ હાથ ધરી છે અને વરસાદી સ્થિતિમાં જનજીવનને વિપરીત અસર ન પડે તેવું આયોજન પોતાના વિભાગોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીને કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

અમદાવાદમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદઃ સ્વદેશી જાગરણ મંચએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આર્થિક સમૂહની સંસ્થા તરીકે કાર્ય કરે છે. ભારતને 2030 સુધીમાં 10 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાના લક્ષ્ય સાથે 2022માં સ્વાવલંબી ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સ્વદેશી જાગરણ મંચે અને ભગિની સંસ્થાઓએ સાથે મળીને સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ભારતના 770થી વધુ જિલ્લોમાં યુવાનોને સ્વરોજગાર સારું વિવિધ પ્રવુત્તિઓ કરે છે. દરમિયાન […]

સાહિત્ય અકાદમી દ્વારા “સાહિત્ય મહોત્સવ 2025″નું આયોજન

નવી દિલ્હીઃ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતની અગ્રણી સાહિત્યિક સંસ્થા સાહિત્ય અકાદમી 7 માર્ચ 2025 થી 12 માર્ચ 2025 દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે તેના વાર્ષિક સાહિત્ય મહોત્સવનું આયોજન કરશે. ભારત સરકારના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. પ્રખ્યાત અંગ્રેજી નાટ્યકાર મહેશ દત્તાણી આ એવોર્ડ સમારોહના […]

ભાવનગરમાં 9થી 12 માર્ચ દરમિયાન “નમો સખી સંગમ મેળા”નું આયોજન

ગાંધીનગરઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય શ્રીમતી નિમુબેન બાંભણિયાનાં કાર્યદક્ષ નેતૃત્વ હેઠળ મહિલા સશક્તીકરણના અભૂતપૂર્વ આયામો સર કરતા આગામી તારીખ 9 માર્ચથી 12 માર્ચ, 2025 દરમિયાન ભાવનગરમાં જવાહર મેદાન ખાતે “નમો સખી સંગમ મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ વક્તાઓ, કૃષિ નિષ્ણાતો દ્વારા માહિતી […]

નાગરિકતા હોવા છતા પણ બિન-અમેરિકીને અમેરિકામાંથી હાંકી કાઢવાનું ટ્રમ્પનું પ્લાનીંગ

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનું શરૂ કર્યું છે. તેમણે દેશમાં સત્તા સંભાળી ત્યારથી, વેનેઝુએલા, ભારત, બ્રાઝિલ, મેક્સિકો સહિત ઘણા દેશોમાંથી હજારો લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ 227 વર્ષ જૂનો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યા છે, જેનાથી દરેક બિન-અમેરિકનને હાંકી કાઢવામાં આવે […]

ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયારઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ઉત્તરાખંડનાં હલ્દવાનીમાં મુખ્ય અતિથિ તરીકે 38માં ‘રાષ્ટ્રીય રમતો’નાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી  પુષ્કર સિંહ ધામી, મેઘાલયનાં મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી અજય ટમ્ટા સહિત અન્ય […]

ગુજરાતઃ 8 અને 9 ફેબ્રુઆરીએ મિલેટ મહોત્સવ–પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી, 2025 દરમિયાન રાજ્યમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ બે દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ 7 મ્યુનિસિપલ કોર્પોરેશન-અમદાવાદ, જામનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં યોજાશે. રાજ્ય સ્તરનો કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code