1. Home
  2. Tag "pm modi"

સફ્રાનની નવી સુવિધા ભારતને વૈશ્વિક MRO હબ બનવામાં મદદ કરશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક – SEZમાં સ્થિત Safran Aircraft Engine Services India (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર  પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર એક નવી છલાંગ લગાવી રહ્યું છે. સફ્રાનની નવી સુવિધા ભારતને વૈશ્વિક જાળવણી, […]

G20 સમિટના પહેલા સત્રમાં PM મોદીએ ત્રણ મુખ્ય પ્રસ્તાવો મુક્યા, ડ્રગ ટેરર નેક્સસ સામેના યુદ્ધથી લઈને વૈશ્વિક આરોગ્ય ટીમ બનાવવા પર વાત કરી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં G20 સમિટને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં G20 સમિટના ઉદ્ઘાટન સત્રમાં વૈશ્વિક વિકાસ પ્રાથમિકતાઓને ફરીથી સેટ કરવા માટે ખાસ અપીલ કરી હતી. તેમણે સભ્ય દેશોને એવા મોડેલો અપનાવવા વિનંતી કરી જે સમાવિષ્ટ, ટકાઉ અને સભ્યતાપૂર્ણ સમજણ પર આધારિત હોય. પીએમ મોદીએ કહ્યું કે તેમણે મોટા પાયે વિકાસને […]

બિહારઃ JDU ના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના નેતા તરીકે નીતિશ કુમારની કરી પસંદગી

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ એનડીએ દ્વારા સરકાર રચવા માટે કવાયત તેજ બનાવી છે. દરમિયાન આજે જેડીયુના ધારાસભ્ય દળની બેઠકમાં નીતિશ કુમારને પોતાના નેતા તરીકે પસંદ કર્યાં છે. જ્યારે ભાજપાની બેઠકમાં ધારાસભ્યોએ સમ્રાટ ચૌધરીની પસંદગી કરી છે. બિહારની રાજનીતિમાં આજે મોટા ફેરફારની ગૂંજ સાંભળવા મળી છે. જનતા દલ યુનાઇટેડ (જેડીયૂ)ના નવા ચૂંટાયેલા […]

પીએમ મોદી સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે

સુરત: પ્રધાનમંત્રીના ડેડિયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગે લેશે. નર્મદામાં આજે રાષ્ટ્રીયકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા-અર્ચના કરશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં મોદીનું સ્વાગત કરશે. આ પ્રસંગે મોદી કેન્દ્ર સરકાર […]

પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવશે, ડેડિયાપાડામાં બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો કરાવશે પ્રારંભ

વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15મી નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાત લેવાના છે. તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતની તૈયારીઓના ભાગરૂપે, આજે (તારીખનો ઉલ્લેખ કરવો) બીજેપી પ્રદેશપ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ડેડિયાપાડા ખાતે સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી […]

ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને PM મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ શનિવારે ભાજપના વરિષ્ઠ નેતા અને ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, “લાલ કૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ. મહાન દ્રષ્ટિ ધરાવતા રાજકારણી, અડવાણીનું જીવન ભારતની પ્રગતિને મજબૂત બનાવવા માટે સમર્પિત રહ્યું છે. તેમણે હંમેશા નિઃસ્વાર્થ ફરજ અને […]

બિહાર ચૂંટણીઃ પહેલા મતદાન પછી જળપાનની પીએમ મોદીની મતદારોને અપીલ

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે. આજના મતદાનથી રાજ્યની 121 બેઠકોના 3.75 કરોડથી વધુ મતદારો 1314 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે. આ તબક્કામાં ઘણા દિગ્ગજોના નસીબનો ફેંસલો પણ મતદારો નક્કી કરશે જેઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી ચાલી રહેલા મતદાનના પગલે પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર પોસ્ટ કરીને બિહારની જનતાને […]

દેવ દિવાળી અને ગુરુનાનક જ્યંતિની પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ અને દેવ દીપાવલીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે ગુરુ નાનક દેવના કરુણા, સમાનતા અને સેવાના સંદેશને માનવતા માટે પ્રેરણા ગણાવ્યો, અને પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવે તેવી પ્રાર્થના કરી. ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ અને કારતક પૂર્ણિમા-દેવ દીપાવલીના અવસર […]

પીએમ મોદીએ છત્તીસગઢમાં નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું

રાયપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના નવા રાયપુરમાં નવી વિધાનસભા ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સહાય અને વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમણ સિંહ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા હતા. નયા રાયપુરના સેક્ટર 19 માં બનેલ નવી વિધાનસભા ભવન ભવ્ય છે. આ ભવન ની દરેક ઈંટ માં રાજ્ય નો ઇતિહાસ […]

પીએમ મોદીએ શ્રીકાકુલમ ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિર ખાતે ભાગદોડ દરમિયાન 9 શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી. પીએમઓ એ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મૃતકોના પરિજનોને બબ્બે લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં કહ્યું, “આંધ્ર પ્રદેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code