1. Home
  2. Tag "pm modi"

પીએમ મોદીએ મન કી બાત: ભારત કોવિડ સમયગાળાની જેમ વર્તમાન સંકટમાંથી પણ બહાર નીકળી જશે

નવી દિલ્હી, 29 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વૈશ્વિક પેટ્રોલ અને ડીઝલનું સંકટ વધી રહ્યું છે. આજે ઓલ ઈન્ડિયા રેડિયોના “મન કી બાત” કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે વર્તમાન સમય પડકારજનક છે કારણ કે પશ્ચિમ એશિયા ભારતની ઉર્જા જરૂરિયાતોનો નોંધપાત્ર હિસ્સો પૂર્ણ કરે છે. તેમણે કહ્યું […]

પીએમ મોદીએ નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હી, 28 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે 40 એકરના જાળવણી, સમારકામ અને નવીનીકરણ સુવિધાનો શિલાન્યાસ પણ કર્યો. આ પ્રસંગે બોલતા, મોદીએ કહ્યું કે આ “વિકસિત ઉત્તર પ્રદેશ, વિકસિત ભારત” અભિયાનમાં એક નવો અધ્યાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે ઉત્તર […]

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા, જવાબમાં નેપાળના નવા વડાપ્રધાને શું કહ્યું? જાણો

કાઠમંડુ, 28 માર્ચ, 2026: પીએમ નરેન્દ્ર મોદીએ નેપાળના નવ નિયુક્ત વડાપ્રધાન બાલેન શાહને અભિનંદન પાઠવ્યા છે. તેના જવાબમાં નેપાળના પીએમઓ તરફથી પણ સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો છે. નેપાળના વડાપ્રધાન કાર્યાલયે ઓક્ટોબર 2025 પછી પોતાની પ્રથમ પોસ્ટ કરી છે. આ પ્રથમ પોસ્ટમાં નેપાળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. સાથે જ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની ઉત્સુકતા […]

પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પૂર્ણ, સવા બે કલાકની ઑનલાઈન મીટિંગમાં શું થયું?

નવી દિલ્હી, 27 માર્ચ, 2026: પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશોની ઊભી થયેલી અસાધારણ સ્થિતિને પહોંચી વળવા ભારત સરકાર સજ્જ છે. કેન્દ્ર સરકાર આ સ્થિતિમાં રાજ્યોને પણ વિશ્વાસમાં લઈને તેમને સાથે રાખવા તત્પર છે. એ સંદર્ભમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. સવા બે કલાક ચાલેલી આ […]

પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે પશ્ચિમ એશિયા સંકટની ચર્ચા કરી

નવી દિલ્હી, 25 માર્ચ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન તેમણે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. તેમણે ઉમેર્યું હતું કે ભારત તણાવ ઓછો કરવા અને શક્ય તેટલી વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત કરવાને સમર્થન […]

ભારત વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં નિર્ણાયક પ્રકરણ લખી રહ્યું છે: PM મોદી

નવી દિલ્હી, 20 માર્ચ 2026: પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં નિર્ણાયક પ્રકરણ લખી રહ્યું છે, જે વીજળીકરણ, સ્વચ્છ ઉર્જા અને ઉત્પાદન તરફના પરિવર્તન પર કેન્દ્રિત છે. પ્રધાનમંત્રી મોદીએ વીજળી અને નવી અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપાદ યેસો નાઈક દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો, જેમાં ભારતના ઉર્જા ક્ષેત્રમાં હાલમાં થઈ […]

રાજ્યસભામાં સાંસદોના વિદાય સમારંભમાં પીએમ મોદીએ અનુભવી નેતાઓની કરી પ્રશંસા

નવી દિલ્હી, 18 માર્ચ 2026: રાજ્યસભામાંથી આજે અનેક સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. આ ખાલી પડેલી બેઠકો પર અનેક સભ્યો બિનહરીફ ચૂંટાઈ પણ આવ્યા છે. આ પ્રસંગે રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તમામ વિદાય લેતા સભ્યોના સંસદીય જીવન અને તેમના કાર્યકાળની વિશેષતાઓને રેખાંકિત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદાય લઈ રહેલા તમામ સભ્યોની ભૂમિકાને લોકશાહીને […]

બંગાળમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જાય એવી સ્થિતિ પેદા કરવામાં આવી રહી છેઃ પીએમ મોદી

કોલકાતા, 14 માર્ચ, 2026 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીનો શંખનાદ કંઈક અલગ અંદાજમાં કર્યો છે. તેમણે બંગાળના હિન્દુઓની અતિશય કફોડી હાલત વિશે શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ નિવેદન કરીને એક સંદેશ આપ્યો છે. કોલકાતામાં પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, બંગાળમાં હિંદુઓને લઘુમતીમાં આવી જાય તેવી સ્થિતિ પેદા કરવામાં આવી […]

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં, ભારત વૈશ્વિક સ્તરે વિશ્વસનીય રાષ્ટ્ર છે: પીએમ મોદી

નવી દિલ્હી, 13 માર્ચ 2026: નવી દિલ્હીમાં NXT સમિટને સંબોધતા, મોદીએ કહ્યું કે આ ક્ષેત્રમાં પડકારજનક પરિસ્થિતિઓ હોવા છતાં, દેશ સ્થિર અને મજબૂત રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં, ભારત વૈશ્વિક સ્તરે એક આદરણીય અને વિશ્વસનીય રાષ્ટ્ર છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે […]

નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો જાહેર કરશે

નવી દિલ્હી, 12 માર્ચ 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણમાં અભૂતપૂર્વ પ્રગતિ તરફના એક મોટા પગલા તરીકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 13મી માર્ચે આસામના ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાના 22મા હપ્તા તરીકે દેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code