ગુજરાતમાં પોલિટેકનિક કોલેજોમાં કાયમી અધ્યાપકો મળતાં એડહોક અધ્યાપકોને છૂટા કરવાનો નિર્ણય
અમદાવાદઃ રાજ્યની સરકારી પોલિટેકનિક કોલેજોમાં અધ્યાપકોની અનેક જગ્યાઓ ખાલી હતી. એટલે શૈક્ષણિક કાર્યને અસર ન થાય તે માટે અધ્યાપકોની એડહોક ધોરણે ભરતી કરવામાં આવી હતી, આમ તો નિયમ મુજબ સરકારી પોલિટેકનિકમાં વ્યાખ્યાતા તરીકે જીપીએસસી પાસ થયેલા ઉમેદવારોની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. જોકે, જીપીએસસી પાસ ઉમેદવારો ન મળે તેવી સ્થિતિમાં એડહોક અધ્યાપકોની નિયુક્તિ કરવામાં આવતી […]