1. Home
  2. Tag "Porbandar"

પર્યાવરણના જતન માટે પોરબંદરના દરિયા કાંઠા વિસ્તારમાં એક લાખ ચેરીના વૃક્ષો વવાશે,

પોરબંદરઃ ગુજરાતમાં દરિયા કાંઠો ધોવાતો જાય છે. ઉપરાત દરિયા કાંઠાની જમીનોમાં ખારાશનું પ્રમાણ પણ વધતું જાચ છે. આ સમસ્યાનું નિવારણ એ જ છે. કે, કાંઠા વિસ્તારામાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું, વધુ વૃક્ષોને લીધે જમીનમાં ખારાશનું પ્રમાણ પણ અટકી જશે. ઉપરાંત દરિયાઇ વિસ્તારોમાં વારંવાર વાવાઝોડા તેમજ કમોસમી વરસાદ સહિતની કુદરતી આપદાઓ જોવા મળી રહી છે. કલાઇમેન્ટ […]

પોરબંદર; પ્રથમ વખત ઇલેક્ટ્રિક લોકોમોટિવના ટ્રાયલ રન સાથે PCEE નિરીક્ષણ પૂર્ણ થયું

એકવાર 100% ઇલેક્ટ્રિફિકેશન હાંસલ કર્યા પછી, ભારતીય રેલવે ભારતીય પાવર સેક્ટરમાં ગેમ ચેન્જર બનવા જઈ રહી છે અને દેશ માટે તેના નૂર અને પેસેન્જર સેગમેન્ટને વિકસાવવાની વિશાળ તક છે. સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન (કોર) હેઠળના રેલવે ઇલેક્ટ્રિફિકેશન, અમદાવાદ યુનિટે ભાવનગર મંડળના વાંસજાળીયા-પોરબંદર સેક્શન (RKM 32.07 ::TKM 50.27:) વિભાગને ચાલુ કરીને વધુ એક એક ઉપલબ્ધિ […]

પોરબંદર રેલવે સ્ટેશનનો અમૃત ભારત યોજનામાં સમાવેશ કરાતા હવે વૈશ્વિક કક્ષાનું બનશે

પોરબંદરઃ  દેશના 87 રેલવે સ્ટેશનનો  અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમાવેશ કરતા એમાં પાલનપુર રેલવે સ્ટેશન પણ સામેલ છે. આ રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાના બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે પાલનપુરના રેલવે સ્ટેશન અદ્યત્તન અને પ્રવાસીઓને વધુ સુખ-સુવિધા મળી રહે એવું બનાવાશે. પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ મોઢવાડિયાએ જણાવ્યું હતું. કે કેન્દ્રીય રેલવે મંત્રીને પોરબંદર […]

પોરબંદરના દરિયામાં જહાજના બીમાર ક્રુ-મેમ્બરનું કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું

અમદાવાદઃ પોરબંદરના દરિયામાં એક માલવાહન જહાજમાં ક્રુ મેમ્બરની તબિયત લથડતા અન્ય ક્રુ-મેમ્બર દોડતા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ભારતીય કોસ્ટગાર્ડે મધ્યરાત્રિ બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ આ વિદેશી જહારના બિમાર ક્રુ-મેમ્બરને પ્રાથમિક સારવાર બાદ પોરબંદર લાવવામાં આવ્યો હતો. તેમજ વધારે સારવાર અર્થે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. પ્રાથમિક માહિતી અનુસાર […]

અમદાવાદથી પોરબંદર વાયા જેતલસર સુધીની ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવા સાંસદની રેલમંત્રીને રજુઆત

પોરબંદરઃ જિલ્લાના અનેક લોકો અમદાવાદમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા છે. ઘેડ પંથકના પણ અનેક લોકો અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે વતનમાં આવવા માટે ઈન્ટરસિટી ટ્રેનની સુવિધા નથી. આથી અમદાવાદ-પોરબંદર વાયા જેતલસરની ઈન્ટરસિટી ટ્રેન સત્વરે શરૂ કરવા સાંસદ રમેશ ઘડકુએ રેલવે મંત્રીને રજુઆત કરી છે. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે કેન્દ્રીય રેલમંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી […]

પોરબંદરથી 50 કિમી દુર મધ્ય દરિયે બોટમાં લાગી આગ, કોસ્ટગાર્ડે 7 માછીમારોને બચાવ્યા

પોરબંદરઃ શહેરના  દરિયાકાંઠેથી  50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ જય ભોલેમાં આગ લાગી હોવાની જાણ ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોને થતાં રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામ 7 માછીમારોને બચાવી લીધા હતા. સવારે 9.45 કલાક આસપાસ કોસ્ટગાર્ડને જય ભોલે બોટમાં આગ લાગવાનું ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયું હતું. આ બોટ પોરબંદરના દરિયાકાંઠાથી 50 કિલોમીટર દૂર હતી. સૂત્રોના જણાવ્યા […]

પોરબંદરમાં સ્વિમિંગ કોમ્પિટિશન, તરવૈયાઓ દરિયામાં 5થી 10 કિ.મી તરીને પોતાનું કૌશલ્ય દાખવશે

પોરબંદર: દેશના યુવાઓમાં સાહસ અને શોર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ શનિવારથી કરાયો છે. બે દિવસીય સ્પર્ધામાં  દેશભરના 900થી વધુ સ્પર્ધકોએ પોતાનુ તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે. જેમાં પેરા સ્વીમર એટલે કે દિવ્યાંગ સ્પર્ધકોએ પણ દરિયા સાથે બાથ ભીડી પોતાના મજબૂત મનોબળનો […]

શિયાળાની ગુલાબી ઠંડી સાથે જ પોરબંદરના પક્ષી અભ્યારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન

પોરબંદરઃ શિયાળાની ગુલાબી ઠંડીના આગમન સાથે જ જિલ્લાના પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. અને અભ્યારણ્ય પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠ્યુ છે. અહી 150 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે. પોરબંદરના હૃદયસમા વિસ્તારમાં આવેલું પક્ષી અભ્યારણ્ય પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર  બન્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરની મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય 9.33 હેક્ટરમાં ફેલાયેલું […]

પોરબંદરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળના જહાજો મુલાકાતીઓ માટે ખુલ્લા મુકાયાં

અમદાવાદઃ પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે મુલાકાતીઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ જહાજો ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઉપરાંત, પોરબંદર ખાતેના કાર્યક્રમમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા ‘ઓપરેશન્સ ડેમો’નો સમાવેશ કરાયો છે. પોરબંદર ખાતેના આ કાર્યક્રમની મહાનુભાવો તથા જાહેર નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. આ પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને, ખાસ કરીને સ્થાનિક […]

પોરબંદરમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલા શિક્ષા અધિકાર સંમેલનમાં ભાજપ સરકાર સામે કરાયા પ્રહારો

પોરબંદરઃ શહેરમાં કોંગ્રેસના ઉપક્રમે શિક્ષા અધિકાર સંમેલન યોજાયુ હતું. જેમાં ભાજપની સરકારમાં શિક્ષણનું ખાનગીકરણ, આડેધડ ઉધરાવાતી ફી, વગેરે પ્રશ્નોને ઉજાગર કરીને ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં ગુજરાત કોગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે ગુજરાત એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં શિક્ષા અધિકાર સંમેલન યોજાયું હતું.  જેમાં મોઢવાડિયાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code