1. Home
  2. Tag "president"

કાશ્મીર મામલે સાઉદી બાદ હવે ઈરાને પાકિસ્તાનને આપ્યો આંચકો

નવી દિલ્હીઃ ઈરાનના રાષ્ટ્રપતિ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમએ ગાઝા અને કાશ્મીરનો રાગ આલોપીને મુસ્લિમ એકતાની અપીલ કરી હતી. જો કે, ઈરાનના રાષ્ટ્રપતિએ કાશ્મીર મામલે બોલવાનું ટાળીને પાકિસ્તાનને 440 વોલ્ટનો આંચકો આપ્યો હતો. અગાઉ સાઉદી અરેબિયાએ પણ કાશ્મીર મામલે બારત સાથે બેસીને ચર્ચા કરવા માટે પાકિસ્તાનને સલાહ આપી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ […]

હોમિયોપેથીને ઘણા દેશોમાં એક સરળ અને સુલભ સારવાર પદ્ધતિ તરીકે અપનાવવામાં આવી: રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આજે (10 એપ્રિલ, 2024) નવી દિલ્હીમાં સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા આયોજિત બે દિવસીય હોમિયોપેથી સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, હોમિયોપેથીને ઘણા દેશોમાં એક સરળ અને સુલભ સારવાર પદ્ધતિ તરીકે અપનાવવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને […]

રાષ્ટ્રપતિજીએ ચૌધરી ચરણસિંહ,કર્પુરી ઠાકુર, નરસિંહા રાવ અને એમએસ સ્વામીનાથનને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરાયાં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના ચાર મહાનુભાવોને સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સન્માનિત કર્યાં છે. જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, પીવી નરસિંહા રાવ, કૃષિ વૈજ્ઞાનિક ડો. એમએસ સ્વામીનાથન અને બિહારનાપૂર્વ સીએમ કર્પુરી ઠાકુરનો સમાવેશ થાય છે. ભાજપાના સિનિયર નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્નનું સન્માન પ્રાપ્ત થયું છે પરંતુ આજે […]

રાષ્ટ્રપતિએ તેલંગાણાના રાજ્યપાલ ડો.તમિલિસાઇ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિએ તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે ડો.તમિલિસાઇ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું છે. ભારતનાં રાષ્ટ્રપતિએ નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઝારખંડનાં રાજ્યપાલ  સી પી રાધાકૃષ્ણનને પોતાની ફરજો ઉપરાંત તેલંગાણાનાં રાજ્યપાલ અને પુડુચેરીનાં લેફ્ટનન્ટ ગવર્નરની કામગીરી અદા કરવાની પણ જવાબદારી સોંપી છે. આ નિમણૂક તે તારીખથી અમલમાં આવશે જે તારીખથી તેઓ પોતાનું પદ સંભાળશે.

દીકરીઓની ક્ષમતા વિજ્ઞાન-ટેક્નોલોજીથી લઈને પોલીસ અને સેના સુધીના દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભાંજા બિહાર, ગંજમ, ઓડિશા ખાતે બેરહામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓડિશાનો દક્ષિણ વિસ્તાર માત્ર ઓડિશાના ઇતિહાસમાં જ નહીં, પરંતુ ભારતના ઇતિહાસમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ભૂમિ શિક્ષણ, સાહિત્ય, કળા અને હસ્તકલાથી સમૃદ્ધ છે. આ પ્રદેશના પુત્રો કબી સમ્રાટ ઉપેન્દ્ર […]

લોકસભા ચૂંટણીને લગતા અવાર-નવાર પુછતા સવાલોના જાણો જવાબ

નવી દિલ્હી: ભારતની લોકશાહીમાં લોકસભાની ચૂંટણી સૌથી મોટો ઉત્સવ છે. ભારતની લોકસભાની ચૂંટણી દુનિયામાં સૌથી મોટી ચૂંટણી છે. આ વખતે આ ચૂંટણીમાં 95 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરી શકશે.   લોકસભા ચૂંટણીને સામાન્ય ચૂંટણી શા માટે કહેવામાં આવે છે? લોકસભા જનતાના પ્રતિનિધિઓની સભા છે અને તેમાં ચૂંટાવા માટે 18 વર્ષ કે તેથી વધુ વયના ભારતીય […]

રાષ્ટ્રપતિ દ્વારા 5 મી માર્ચે પ્રથમ પે જલ સર્વેક્ષણ પુરસ્કાર આપવામાં આવશે

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે પ્રથમ પે જલ સર્વેક્ષણ એવોર્ડ્સ 5 માર્ચ 2024એ વિજ્ઞાન ભવનમાં આપવાની જાહેરાત કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ આ સમારંભના અધ્યક્ષ બનશે, જેમાં જળ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ શહેરો અને રાજ્યોનું સન્માન કરવામાં આવશે. 130 પુરસ્કારોની વિશિષ્ટ શ્રેણી એનાયત થવાની છે, જે શહેરો અને રાજ્યોની નોંધપાત્ર […]

સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રિવેન્શન ઓફ પબ્લિક એક્ઝામિનેશન ગેરપ્રેક્ટિસ બિલ, 2024ને સંમતિ આપી છે. તાજેતરમાં પૂરા થયેલા બજેટ સત્રમાં સંસદે આ બિલ પાસ કર્યું હતું. બિલનો ઉદ્દેશ્ય સાર્વજનિક પરીક્ષાઓમાં ગેરરીતિ અને અન્યાયી માધ્યમોના ઉપયોગને રોકવાનો છે. જાહેર પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલ્વે ભરતી બોર્ડ, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી અને કેન્દ્ર સરકારના વિભાગો […]

પૈસા કમાવવાની સાથે માનસિક શાંતિ, સમતા, સંયમ અને નૈતિકતા પણ ખૂબ જ મહત્વપૂર્ણઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે વલસાડ સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત લીધી હતી. અહીં સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે શ્રીમદ રાજચંદ્રજી એક મહાન સંત, કવિ, દાર્શનિક અને સમાજ સુધારક હતા. તેમણે નોંધ્યું કે તેમના પગલે ચાલતા ગુરુદેવ શ્રી રાકેશજીએ આધ્યાત્મિક ક્ષેત્રમાં અપ્રતિમ કાર્ય કર્યું છે. શ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર વિશ્વભરમાં 200થી વધુ સ્થળોએ […]

ચિલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન

નવી દિલ્હીઃ રિપબ્લિક ઓફ ચિલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પિનેરા હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે પિનેરાના મૃત્યુના ત્રણ દિવસના રાષ્ટ્રીય પાલનની જાહેરાત કરી છે. અમેરિકાના અગ્રણી અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, પિનેરા લશ્કરી સરમુખત્યારશાહીના અંત પછી ચિલીના પ્રથમ રૂઢિચુસ્ત નેતા બન્યા. તેમણે દેશના લોકતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરી. અહેવાલો અનુસાર, ચાર લોકોને લઈ જતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code