1. Home
  2. Tag "Rahul Gandhi"

2018 બદનક્ષી કેસ: રાહુલ ગાંધીએ સુલ્તાનપુર કોર્ટમાં સરન્ડર કર્યું, કસ્ટડીમાં લેવાયા બાદ મળ્યા જામીન

સુલ્તાનપુર : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે સુલ્તાનપુર કોર્ટમાં રજૂ થઈને સરન્ડર કર્યું હતું. 2018ના માનહાનિ કેસમાં આ સુનાવણી થઈ, જ્યારે રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહ સંદર્ભે અભદ્ર ટીપ્પણી કરી હતી. કોંગ્રેસ માટે રાહત ભરેલા સમાચાર એ છે કે રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. એડવોકેટ સંતોષ પાંડેએ કહ્યુ છે કે રાહુલ ગાંધીએ આજે […]

યુપીમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ નહીં થાય પ્રિયંકા ગાંધી, ખુદ જણાવ્યું આ કારણ

વારાણસી : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શુક્રવારે ઉત્તરપ્રદેશ પહોંચી રહી છે. યુપીના ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રભારી પ્રિયંકા ગાંધી આ કાર્યક્રમમાં પહોંચે તેવી સંભાવના હતી. જો કે તેઓ આ કાર્યક્રમમાં પહોંચી નહીં શકે. આ મામલામાં પ્રિયંકા ગાંધીએ ખુદ પક્ષ રજૂ કર્યો છે. પહેલા દાવો કરાયો હતો કે ભારત જોડો યાત્રા યુપીના ચંદૌલીમાં પ્રવેશ કરે તે દરમિયાન […]

રાયબરેલીથી ‘બા’ રિટાયર: રામમંદિર લહેરે મજબૂર કર્યા કે સોનિયા ગાંધી માટે બેઠક છોડવી હતી જરૂરી?

નવી દિલ્હી: 1999થી સતત પાંચ વખત લોકસભા સાંસદ રહેવા છતાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જનતા વચ્ચે જઈને લોકસભામાં ચૂંટાવાની લડાયક વૃત્તિ છોડીને રાજ્યસભાના માધ્યમથી ચૂંટાવાનું વધુ પસંદ કર્યું છે. જેના કારણે નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે. સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જવાના છે. જો કે તેમની પાસે કોંગ્રેસશાસિત તેલંગાણામાં રાજ્યસભા અથવા લોકસભામાં જવાનું નિમંત્રણ […]

મોદીજી ઓબીસીમાં નહીં, પણ જનરલ કાસ્ટમાં જન્મ્યા હતા: રાહુલ ગાંધી

નવી દિલ્હી: શું લોકસભાની ચૂંટણી ઓબીસીના મુદ્દા પર લડાવાની છે? ઓબીસી સંદર્ભેની નિવેદનબાજીમાં હવે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિને લઈને ટીપ્પણી કરી છે. રાહુલ ગાંધીન દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી નથી. ઓડિશાના જારસુગુડામાં વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન મોટો દાવો કર્યો છે. રાહુલ ગાંધીનો દાવો છે કે […]

જો કોઈ ચોક્કસ નેતાના નેતૃત્વમાં પાર્ટી સતત હારતી હોય તો તેના વિશે વિચારવું જરૂરીઃ શર્મિષ્ઠા મુખર્જી

જયપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દીકરી રહ્યાં ઉપસ્થિત કોંગ્રેસે વિચારવું જોઈએ કે પાર્ટીનો ચહેરો કોણ હોવો જોઈએઃ શર્મિષ્ઠા મુખર્જી જયપુરઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી અને લેખિકા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે જો કોઈ ચોક્કસ નેતાના નેતૃત્વમાં પાર્ટી સતત હારતી હોય તો તેના વિશે વિચારવું જરૂરી છે. તેથી કોંગ્રેસે વિચારવું જોઈએ કે પાર્ટીનો […]

ઝારખંડના દેવધરમાં રાહુલ ગાંધી સામે જય શ્રીરામનો સૂત્રોચ્ચાર, મોદી-મોદીની પણ થઈ નારેબાજી

નવી દિલ્હી: વાયનાડથી કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝારખંડમાં પ્રવેશ કરી ચુકી છે. રાહુલ ગાંધી શનિવારે દેવધર પહોંચ્યા છે. તેમણે બાબા બૈદ્યનાથ ધામમાં જઈને પૂજા અર્ચના કરી અને રુદ્રાભિષેક પણ કર્યો. જો કે મંદિર પરિરની બહાર નીકળતા સમયે હંગામો થયો હતો. તે વખતે રાહુલ ગાંધીની સામે જય શ્રીરામ […]

કર્પૂરી ઠાકુરની જન્મશતાબ્દીએ ઓબીસી પંચના મામલે પીએમ મોદીએ કૉંગ્રેસને લીધી નિશાને

નવી દિલ્હી : સામાજિક ન્યાયની રાજનીતિના એક ધ્રુવ રહેલા સમાજવાદી નેતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની ઘોષણા કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ જનનાયક કર્પૂરી ઠાકુરને યાદ કરતા એક આર્ટિકલ લખ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે હું ખુદ એક પછાત વર્ગનો વ્યક્તિ છું અને તેમના યોગદાનને સમજી શકું છું. કર્પૂરી ઠાકુરની […]

મમતા બેનર્જી કોંગ્રેસ સામે ઝુકવા નથી તૈયાર, “વિપક્ષી ઈન્ડિયા” ગઠબંધનમાં ડખ્ખાના એંધાણ

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ કોંગ્રેસને મોટો રાજકીય આંચકો આપવાની તૈયારી કરી લધી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી તમામ 42 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આને લઈને સત્તાવાર રીતે ટીએમસીએ કંઈ કહ્યું નથી. પરંતુ ટીએમસી બેઠક વહેંચણીમાં થઈ રહેલા વિલંબથી નારાજ અને આક્રોશિત છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, […]

મને મંદિરમાં જવા દેવામાં જવા દેવાતો નથી, રાહુલ ગાંધીએ કર્યો ચોંકાવનારો દાવો

નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામના નગાંવ જિલ્લામાં છે. નગાંવ જિલ્લામાં જ આસામના વૈષ્ણવ સંત શંકરદેવનું જન્મસ્થાન પણ છે. રાહુલ ગાંધી વૈષ્ણવ સંત શંકરદેવના જન્મસ્થાનની મુલાકાત લેવાના હતા. દરમિયાન […]

રાહુલ ગાંધી પણ રંગાયા ભગવાન શ્રી રામના રંગમાં….. હનુમાનજીના અવતારમાં જોવા મળ્યાં

નવી દિલ્હીઃ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે ભગવાન હનુમાનજીના ચહેરાનો મુખોટો અને હાથમાં ગદા પકડેલા જોવા મળ્યાં હતા. કોંગ્રેસના નેતાઓની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સોમવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઈને સમગ્ર દેશ હાલ રામમય બન્યો છે. કોંગ્રેસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code