1. Home
  2. Tag "Raj Bhavan"

દિલ્હીની પરેડમાં ભાગ લઈને પરત ફરેલા NCC કેડેટ્સનો રાજભવનમાં એટહોમ સમારોહ યોજાયો

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ એન.સી.સી. ગુજરાતના શ્રેષ્ઠ કેડેટ્સનું સન્માન કર્યું હતું. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેનાર ગુજરાત એન.સી.સી.ના કેડેટ્સના સન્માનમાં રાજભવનમાં ‘એટ હૉમ’  સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, દેશભક્તિ અને અનુશાસનમાં ઓતપ્રોત એન.સી.સી.ના છાત્રો ભારતની સંપત્તિ છે. એન.સી.સી.ના માધ્યમથી દેશસેવામાં પ્રવૃત્ત યુવાનોને તેમણે અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, એન.સી.સી. […]

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે રાજભવનમાં જાસુસીનો કર્યો આક્ષેપ

કોલકતાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસએ પોતાના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનમાં જાસુસીનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, તેમણે કોલકાતા સ્થિત ગવર્નર હાઉસમાં જાસુસી મામલે વિશ્વસનીય જાણકારી છે. તેમણે કહ્યું કે, આ અંગે સંબંધિત અધિકારીઓએ નોંધ લીધી છે. જો કે, જાસુસી કોણ કરી રહ્યું છે તે અંગે રાજ્યપાલજીએ કોઈ ખુલાસો કર્યો નથી. સુત્રોના જણાવ્યા […]

ગુજરાતના રાજભવનમાં 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સ્થાપના દિન ઊજવાયો

ગાંધીનગરઃ  પહેલી નવેમ્બરનો દિન પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, પોંડીચેરી, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર દ્વીપસમૂહનો સ્થાપના દિવસ તરીકે ઊજવાય છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે 1લી નવેમ્બરને બુધવારે  રાજભવનમાં આ 13 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિભિન્ન રાજ્યોના યુવાનો-લોકકલાકારોએ નયનરમ્ય લોકનૃત્યોની પ્રસ્તુતિ કરી હતી. ગુજરાતમાં સ્થાયી […]

રાજભવન ખાતે મુંદ્રાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્યપાલની શાબાશી સહ માર્ગદર્શન

મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો પ્રાકૃત ખેતી અપનાવતા થાય અને લોકોને કેમીકલ ખાતર મુક્ત ખોરાક મળી રહે તેવા ઉમદા ઉદ્દેશને સાકાર કરવા ફાઉન્ડેશને બીડું ઝડપ્યું છે. આ સંદર્ભે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવવા ગુરૂવારે ગુજરાતના રાજયપાલની રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે ચર્ચા કરી ખેત ઉત્પાદનમાં […]

સરકાર રચવાનું આમંત્રણ અપાતા ભૂપેન્દ્ર પટેલ કાલે સોમવારે બપોરે 2.22 કલાકે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યાં બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં સર્વોનુમતે ભુપેન્દ્ર પટેલની પસંદગી નવા મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી છે. રાજયના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો […]

ગુજરાતઃ રાજભવન અને મુખ્યમંત્રી નિવાસસ્થાને ફળઝાડનું વાવેતર કરાયું

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળ અને શાકભાજીના મહત્વને જાણીને લોકો વધુને વધુ તેનો ઉપયોગ કરતા થાય તે માટે લોકજાગૃતિ કેળવવા રાજભવન ખાતેથી ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર અભિયાનનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શુભારંભ કર્યો હતો. રાજભવનમાં વીટામીન-સીથી ભરપુર અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા આમળાના વૃક્ષનું વાવેતર કર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી […]

થાવરચંદ ગેહલોત આજે સવારે 10.30 વાગ્યે રાજભવન ખાતે કર્ણાટકના રાજ્યપાલ તરીકે શપથ લેશે

થાવરચંદ ગેહલોત રાજ્યપાલ તરીકે લેશે શપથ કર્ણાટકના રાજ્યપાલ તરીકે લેશે શપથ 10.30 વાગ્યે રાજભવન ખાતે લેશે શપથ બેંગલુરુ:પૂર્વ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત રવિવારે કર્ણાટકના 19 મા રાજ્યપાલ તરીકે શપથ લેશે. કર્ણાટક સરકારે જાહેર કરેલી સત્તાવાર વિગત મુજબ, થાવરચંદ ગેહલોત સવારે 10:30 કલાકે રાજભવનમાં શપથ લેશે. થાવરચંદ ગેહલોત વર્ષ 2014 થી કર્ણાટકના રાજ્યપાલ રહી ચૂકેલા વજુભાઈ […]

“કોરોના સેવાયજ્ઞ” અભિયાનનું મુખ્યમથક બન્યું રાજભવનઃ પાયાના કોરોના વોરિયર્સના પરિવારજનોને મદદ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી દિવસ રાત અવિરત ફરજ બજાવતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનોને સહાયભૂત થવાના ઉદ્દેશથી ગુજરાત રાજભવન “કોરોના સેવાયજ્ઞ” અભિયાનનું મુખ્યમથક બન્યું છે. ગુજરાતની યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી ગુજરાત રાજભવન ખાતે “કોરોના સેવાયજ્ઞ” અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, કોરોના સંક્રમિતોની દિવસ – રાત સેવા કરતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code