1. Home
  2. Tag "Rajasthan"

દાલ બાટી ચૂરમાં જ નહીં આ પણ છે રાજસ્થાનનું લોકપ્રિય ભોજન, એક વાર જરૂર ટ્રાય કરો

રાજસ્થાન માત્ર સંસ્કૃતિ અને પ્રવાસ લવર્સ માટે જ નહીં પણ ફૂડ લવર્સ માટે પણ એક સારી જગ્યા છે. અહીં અલગ-અલગ પ્રકારની વાનગીઓ છે. એકવાર તમે અહીંનો સ્વાદ ચાખશો તો તમે જીવનભર તેનો સ્વદ નહીં ભૂલી શકો. કેટલાક લોકો દાલ-બાટી ચૂરમાને રાજસ્થાનના મુખ્ય ખોરાક તરીકે જાણે છે. જો તમને પણ એવું લાગે છે તો તમે ખોટા […]

રાજસ્થાનમાં ભારતમાલા હાઈવે પર સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 ગુજરાતીનાં મોત

ભૂજઃ રાજસ્થાનના બિકાનેરમાં પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયો આગળ જતી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત કચ્છ માંડવીના તબીબ દંપતી, તેમની દોઢ વર્ષની પુત્રી સહિત બે પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.  બિકાનેરના નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પાંચેય મૃતકો કચ્છના માંડવીના છે. આ અકસ્માતની વિગતો એવી […]

ભારત પાસે ભૂતકાળની નિરાશાને છોડીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક: નરેન્દ્ર મોદી

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત રાજસ્થાન’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રૂ. 17,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ માર્ગો, રેલવે, સૌર ઊર્જા, પાવર ટ્રાન્સમિશન, પેયજલ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ […]

સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય બનેશે, કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ ભારતીય રાજકારણની દ્રષ્ટીએ વર્ષ 2024ને ચૂંટણીના વર્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. આગામી મહિનાઓમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. જો કે, તે પૂર્વે રાજ્યસભાની ખાલી પડનારી 56 જેટલી બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. જેને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. […]

રાજસ્થાનમાં હિંદુઓના ધર્માંતરણનું વિષચક્ર, ભરતપુરમાં 20000થી વધુને બનાવાયા ખ્રિસ્તી!

જયપુર: રાજસ્થાનના ભરતપુર ખાતેની એક હોટલમાં રવિવારે ખ્રિસ્તી મિશનરી ધર્માંતરણનો કાર્યક્રમ ચલાવી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ચંદીગઢના પાદરી બજિંદરસિંહને લાઈવ સામેલ જોડવામાં આવ્યો હતો. તે લોકોનું ધર્માંતરણ કરાવી રહ્યો હતો. કાર્યક્રમમાં દાવો કરાયો હતો કે તે મૃત બાળકોને જીવિત કરી શકે છે અને કેન્સર જેવી ભયાનક બીમારીનો પણ ઈલાજ કરી શકે છે. કાર્યક્રમના આયોજકો કુંવરસિંહ […]

રાજસ્થાનના કોટામાં ‘વન ભારત સાડી વોકેથોન’ યોજાશે

જયપુરઃ ટેક્સટાઇલ મંત્રાલય 03 ફેબ્રુઆરીથી 08 ફેબ્રુઆરી 2024 દરમિયાન કોટા ખાતે આત્મનિર્ભર ભારત ઉત્સવની સાથે રવિવારે 04 ફેબ્રુઆરીના રોજ દશેરા ગ્રાઉન્ડ, શક્તિ નગર, કોટા, રાજસ્થાન ખાતે ‘એક ભારત સાડી વૉકથોન’નું આયોજન કરી રહ્યું છે. કાપડ મંત્રાલયે અગાઉ સફળ પ્રતિસાદ સાથે સુરત (9મી એપ્રિલ 2023) અને મુંબઈ (10મી ડિસેમ્બર 2023) ખાતે સાડી વોકાથોનની બે આવૃત્તિઓનું આયોજન કર્યું છે. […]

કૉંગ્રેસના પૂર્વ MLA મેવારામ જૈનના કથિત અશ્લિલ વીડિયો બાદ વધુ એક સીડી આવી સામે, જોધપુરના કેસમાં કાર્યવાહી ચોંકાવનારી

જયપુર: કૉંગ્રેસના નેતા મેવારામ જૈનના કથિત અશ્લિલ વીડિયોએ રાજસ્થાનની રાજનીતિમાં ભૂકંપ લાવવાનું કામ કર્યું છે. ગત દિવસોમાં બે વાંધાજનક વીડિયો વાયરલ થયા હતા અને હવે વધુ એક અશ્લિલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોઝના ઘણાં સ્ક્રીનશોટ્સ પણ સોશયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કૉંગ્રેસે મેવારામ જૈનની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે અને વાયરલ વીડિયોની ખૂબ […]

રાજસ્થાનઃ ભાજપા સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 22 મંત્રીઓએ શપથગ્રહણ કર્યાં

જયપુરઃ રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સરકારનું આજે શનિવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ 12 કેબિનેટ, પાંચ રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને પાંચ રાજ્યમંત્રીઓને શપથ લેવડાવ્યાં હતા. આજે શપથગ્રહણ કરનારા 22 મંત્રીઓને આગામી દિવસોમાં ખાતાની વહેંચણી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનની ભાજપ સરકારના કેબિનેટ મંત્રી તરીકે કિરોડીલાલ મીણા, ગજેન્દ્ર સિંહ મીણા, રાજ્યવર્ધન સિંહ […]

ભજનલાલ શર્માએ રાજસ્થાનના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા,દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા હશે ડેપ્યુટી સીએમ

દિલ્હી: ભજન લાલ શર્માએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ શપથ લીધા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ત્રણેય નેતાઓને શપથ લેવડાવ્યા હતા. જો કે આ ત્રણ નેતાઓ સિવાય અન્ય કોઈએ શપથ લીધા નથી. અગાઉ સમાચાર આવ્યા હતા કે સાંજ સુધીમાં કેટલાક કેબિનેટ સ્તરના મંત્રી બનાવવામાં […]

રાજસ્થાનઃ ભજનલાલ શર્માના શપથવિધી સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત રહ્યાં હાજર

જયપુરઃ રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના શપથવિધી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ,  વિવિધ રાજ્યોના ભાજપના મુખ્યમંત્રીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા અશોક ગહેલોત પણ શપથવિધી સમારોહમાં પહોંચ્યાં હતા. જેથી શપથવિધી સમારોહમાં ઉપસ્થિત મહેમાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code