1. Home
  2. Tag "Rajasthan"

રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

જયપુરઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન રાજસ્થાનના બાલોત્રામાં આજે બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બાલોત્રામાં જ નોંધાયું હતું. સદનસીબે ભૂકંપના આ આચંકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં બપોરના સુમારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.2 હતી. […]

ગુનાઓ પર અંકુશ લાવવા રાજ્યો વચ્ચે સંકલન ખૂબ જરૂરી: પોલીસ વડા વિકાસ સહાય

ગાંધીનગરઃ 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન (પશ્ચિમ ઝોન પ્રાદેશિક પોલીસ સંકલન) કમિટીની બેઠક આજે પોલીસ ભવન, ગુજરાત ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ જોડાયા હતા અને પ્રિવેન્શન-ડિટેકશન કામગીરીમાં ટેકનોલોજીનો […]

રાજસ્થાનમાં સાગમટે 108 IAS અધિકારીઓની બદલી

20 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ અપાયો સનદી અધિકારીઓની બદલીની લાંબા સમયથી રાહ જોવાતી હતી જયપુરઃ રાજસ્થાન સરકારે 108 સનદી અધિકારીઓ (IAS)ની બદલી કરી છે.  સરકાર દ્વારા 96 આઈએએસની બદલી કરવામાં આવી છે, જ્યારે 10 આઈએએસને નવો ચાર્જ અને 20 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ઘણા સમયથી બદલીઓની […]

રાજસ્થાનના ગંગાનગરમાં ગમખ્વાર અકસ્માત, છના મોત

મોટરકારે બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર જયપુરઃ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં મોડી રાત્રે એક કારે બે બાઇકને ટક્કર મારી હતી, આ દૂર્ઘટનામાં છ યુવાનોના મોત થયા હતા. બિજયનગર પોલીસ સ્ટેશનના અધિકારી ગોવિંદ રામે જણાવ્યું હતું કે, સુરતગઢ-અનુપગઢ રાજ્ય ધોરીમાર્ગ પર મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતગઢ-અનુપગઢ માર્ગ ઉપર […]

રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું મિગ-29 ક્રેશ

જયપુરઃ ભારતીય વાયુસેનાનું મિગ-29 ફાઈટર પ્લેન રાત્રે રાજસ્થાનના બાડમેર પાસે ક્રેશ થયું હતું. વાયુસેનાએ જણાવ્યું હતું કે નાઇટ ટ્રેનિંગ મિશન દરમિયાન ફાઇટર એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી જેના પગલે પાઇલટે બહાર નીકળવું પડ્યું હતું. પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ મામલે એરફોર્સ દ્વારા કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. વાયુસેનાનું મિગ […]

પ્રધાનમંત્રી રવિવારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રમાં જલગાંવ અને રાજસ્થાનનાં જોધપુરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સાંજે 4:30 વાગ્યે જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સમારંભના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેવા જલગાંવની મુલાકાત લેશે. તેઓ એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન […]

ઉત્તરભારતમાંથી અલ કાયદાના આતંકી મોડ્યુઅલનો પર્દાફાશ

દિલ્હી, ઝારખંડ અને યુપી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં થયો પર્દાફાશ ભારતમાં આતંકી ઘટનાને અંજામ આપવાનું રચાયું હતું કાવતરુ આતંકવાદીઓને હથિયારોની તાલીમ અપાયાનું તપાસમાં ખુલ્યું નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠન અલ કાયદાથી પ્રેરિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી […]

કેન્દ્ર સરકારે ગુજરાત, રાજસ્થાન અને MPમાં ચાંદીપુરા વાયરસ અને એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમના કેસોની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડીજીએચએસ અને એનસીડીસીના ડિરેક્ટર પ્રોફેસર (ડો) અતુલ ગોયલે એઈમ્સ, કલાવતી સરન ચિલ્ડ્રન્સ હોસ્પિટલ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સિસ (નિમ્હન્સ)ના નિષ્ણાતો તેમજ કેન્દ્રીય અને રાજ્ય સર્વેલન્સ એકમોના અધિકારીઓએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચાંદીપુરા વાયરસ અને એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમ (એઇએસ) કેસોની સમીક્ષા કરી હતી. ગઇકાલે. ચાંદીપુરા વાઇરસ અને એઇએસના […]

રાજસ્થાનમાં લાખો ઉપર થશે ભરતી, બજેટમાં ભજનલાલ શર્મા સરકારની જાહેરાત

જયપુરઃ રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે યુવાનોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રી દિયા કુમારીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, પાંચ વર્ષમાં ચાર લાખ ભરતી થશે અને આ વર્ષે એક લાખ ભરતી કરવામાં આવશે. આ સાથે નાણામંત્રીએ યુવા નીતિ 2024ની જાહેરાત કરી છે. તેમણે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં 10 લાખ રોજગાર અને ભરતીની જાહેરાત કરી […]

રાજસ્થાનઃ મંત્રી કિરોડીલાલ મીણાએ રાજુનામું આપ્યું, લોકસભાની દૌસા બેઠક ઉપર BJPની હારની જવાબદારી સ્વિકારી

જયપુરઃ રાજસ્થાનના કેબિનેટ મંત્રી કિરોરી લાલ મીણાએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ભજનલાલ શર્માને મોકલી આપ્યું છે. જો કે હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. રાજીનામું થોડા દિવસ પહેલા મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેની માહિતી આજે સામે આવી છે. કિરોરી લાલ મીણાએ લોકસભા ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે, જો ભાજપ દૌસા સીટ હારી જશે તો હું મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code