1. Home
  2. Tag "rajya sabha"

રાજ્યસભા સચિવાલયનું જાહેરનામું,સંસદ ભવનમાં ધરણાં પ્રદર્શન નહીં કરી શકાય

દિલ્હી:ચોમાસુ સત્ર પહેલા નોટિફિકેશનનો દોર શરુ છે. બિનસંસદીય શબ્દોની નવી યાદી બહાર પાડવા અંગેનો વિવાદ હજુ શમ્યો ન હતો કે વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ નોટિફિકેશન બહાર પડતાની સાથે જ વિવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો હતો. સંસદની કાર્યવાહી દરમિયાન, તમે ઘણીવાર જોશો કે કેટલાક સાંસદો અથવા પક્ષો કોઈને કોઈ વિષય પર સંસદ પરિસરમાં ધરણા […]

પશ્ચિમબંગાળ હિંસાઃ પીડિતોને પહેલા માર માર્યા બાદ રૂમમાં બંધક બનાવી સળગાવ્યાનો આક્ષેપ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત હિંસાના મુદ્દા પર રાજ્યસભામાં હોબાળો થયો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી 16 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રૂપા ગાંગુલીએ શૂન્ય કલાક હેઠળ મુદ્દો ઉઠાવ્યો અને ભાવુક થઈ ગયા હતા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી. બંગાળ હિંસાનો મુદ્દો ઉઠાવતા ગાંગુલીએ […]

AAPએ રાજ્યસભામાં મોકલવાના ઉમેદવારોની જાહેરાત કરી,પૂર્વ ક્રિકેટર હરભજન સહિત આ નામોને મળ્યું સ્થાન

AAPએ રાજ્યસભામાં મોકલવાના ઉમેદવારોની જાહેરાત કરી પૂર્વ ક્રિકેટર હરભજન સહિત અનેક નામોને મળ્યું સ્થાન રાજ્યમાં 31 માર્ચે રાજ્યસભા માટે ચૂંટણી પ્રસ્તાવિત ચંડીગઢ:AAPએ પંજાબ રાજ્યસભામાં જનારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.જેમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ,પંજાબના કો-ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢા અને ત્રીજું નામ આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠકનું છે. તે જ સમયે, ચોથું નામ અશોક મિત્તલનું […]

ભારતીય મિસાઈલ સિસ્ટમ અત્યંત સલામત અને ભરોસાપાત્રઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ ભારતે તાજેતરમાં જ આકસ્મિક રીતે એક મિસાઈલ છોડી હતી જે પાકિસ્તાનમાં પડી હતી. ભારતે આ દુર્ઘટના પર ઊંડો ખેદ વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટના તેની નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ ખામીને કારણે થઈ હતી. પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો હતો કે આ મિસાઈલ ભારત દ્વારા છોડવામાં આવી છે. દરમિયાન આજે રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ […]

દિલ્હીઃ રાજ્યસભાના 70 સભ્યોનો એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થશે

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષોના 70 જેટલા સાંસદોનો આગામી એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપ અને તેના સહયોગી પક્ષના સાત જેટલા સભ્યોની સમય મર્યાદા પૂર્ણ થઈ રહ્યાં છે. ભાજપના ફાયરબ્રાન્ટ નેતા સુબ્રમન્યમ સ્વામીનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ અને અંબિકા સોનીનો […]

રાજ્યસભાના 19 સભ્યોનો એપ્રિલ મહિનામાં કાર્યકાળ પૂર્ણ થશે

નવી દિલ્હીઃ લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચા ઉપર કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન આગામી એપ્રિલ મહિનામાં રાજ્યસભાના એક બે નહીં પરંતુ 19 સભ્યોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પાર્ટીના નેતાઓનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના […]

કોંગ્રેસ પરિવાર સિવાય કશું વિચારતી નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સંસદના બજેટ સત્રનો સાતમો દિવસ પણ ખૂબ જ ખાસ રહ્યો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવના જવાબમાં પીએમ મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસ અને વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે આપણે બધાએ આગામી 25 વર્ષમાં દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તેના પર કામ કરવાનું છે. તેમજ કોંગ્રેસને પરિવારને સિવાય કંઈ દેખાતુ ના […]

ઓવૈસીનો હાપુડ જિલ્લાનો કોઈ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત ન હતોઃ અમિત શાહ

રાજ્યસભામાં ગૃહમંત્રીએ આપ્યુ નિવેદન લતા મંગેશકરને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી કર્ણાટકનો હિજાબ વિવાદના પડધા રાજ્યસભામાં પડ્યાં નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ હતો. આજે ગૃહમંત્રી અમિત શાહે ઓવૈસી ઉપર થયેલા હુમલાને લઈને રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. આ પહેલા રાજ્યસભામાં લતા મંગેશકરને યાદ કરવામાં આવ્યાં હતા. રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરતા પહેલા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ […]

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ચૂંટણી કાયદા સંશોધન બિલ પસાર, જાણો તેના ફાયદા

આધાર કાર્ડ સાથે લિંક થશે ચૂંટણી કાર્ડ લોકસભા બાદ રાજ્યસભામાં પણ ચૂંટણી કાયદા સંશોધન બિલ પાસ તેનાથી હવે કેટલીક ગેરરીતિઓ પણ અટકશે નવી દિલ્હી: લોકસભામાં સોમવારે, આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે જોડવાની જોગવાઇ ધરાવતું ચૂંટણી કાયદા સંશોધન બિલ, 2021 પસાર થયા બાદ હવે રાજ્યસભામાંથી ધ્વનિમતથી આ બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. બિલના ડ્રાફ્ટમાં જોગવાઇ […]

પાયોનિયર ન્યૂઝપેપરના પૂર્વ તંત્રી અને રાજ્યસભાના પૂર્વ સભ્ય ચંદન મિત્રાનું નિધન

દિલ્હીઃ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પત્રકાર ચંદન મિત્રાનું મોડી રાતે દિલ્હીમાં નિધન થયું હતું. આ જાણકારી તેમના દીકરા કુશાન મિત્રાએ આપી હતી. પૂર્વ સાંસદ ચંદન મિત્રાના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “શ્રી ચંદન મિત્રાજીને તેમની બુદ્ધિ અને અંતદ્રષ્ટિ માટે યાદ રાખવામાં આવશે. તેમણે મીડિયાની સાથે રાજનીતિની દુનિયામાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code