1. Home
  2. Tag "RAM TEMPLE"

અયોધ્યામાં રામજન્મભૂમિ પર બનેલું રામમંદિર જનતાના દર્શન માટે ક્યારથી ખુલી જશે? ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે આપી જાણકારી

અયોધ્યા: અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામમંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાના નૂતન વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ આયોજીત કરાયો છે. પરંતુ હવે સવાલ થઈ રહ્યો છે કે રામમંદિર સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે? તો તેનો જવાબ પણ મળી ગયો છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાણકારી આપી છે. ચંપત રાયે કહ્યુ છે કે રામમંદિર […]

અયોધ્યામાં રામભક્તો અને કૉંગ્રેસીઓની વચ્ચે ઘર્ષણ, રામમંદિરમાં ઝંડો લઈને ઘૂસવા પર વિવાદ

અયોધ્યા: રામનગરી અયોધ્યામાં કૉંગ્રેસ સમર્થકો અને રામમંદિરમાં આવેલા રામભક્તો વચ્ચે ઘર્ષણ થયુંછે. ચર્ચા દરમિયાન મારામારી થવાની જાણકારી સામે આવી છે. રામમંદિરમાં કોંગ્રેસના નેતા અને યુપી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાય દર્શન માટે આવ્યા હતા. વિવાદનું કારણ ઝંડો લહેરાવાને લઈને થયાનું જણાવાય છે. જાણકારી પ્રમાણે, કોંગ્રેસી પાર્ટીનો ઝંડો લઈને મંદિર પરિસરમાં દાખલ થયા હતા. ભક્તોએ ઝંડો […]

કૉંગ્રેસની મહાવિટંબણા: ‘મંદિર વહી બનાયેંગે’ના જવાબમાં ‘તારીખ નહીં બતાયેંગે’ બોલનારા હવે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જવા માટે તૈયાર નથી!

આનંદ શુક્લ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં જ ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. લગભગ ત્રણ દાયકા સુધી ટેન્ટના મંદિરમાં રહેલા ભગવાન રામલલા પોતાના ભવ્ય પ્રસાદમાં જવાના છે. આ ભવ્ય રામમંદિરનું નિર્માણકાર્ય તો તેની મેળે ચાલુ રહેશે. અયોધ્યામાં આક્રમણખોર બાબરના સેનાપતિ મીર બાંકીનું કુકૃત્ય હતું કે બાબરી ઢાંચો ઉભો […]

આદિવાસી શબરીના કારણે રાજકુમારમાંથી મર્યાદાપુરુષોત્તમ બન્યા શ્રીરામ, રામમંદિરનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ માંગ્યો વનવાસીઓનો સહકાર

નવી દિલ્હી: ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારી લગભગ પૂર્ણ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારંભના મુખ્ય યજમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કઠોર ઉપવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને મોટી સોગાદ આપી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ-જનમન હેઠળ PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને પહેલો હફ્તો જાહેર કર્યો છે. આ […]

રામમય માહોલ વચ્ચે કેજરીવાલનો ‘હનુમાન દાંવ’, દિલ્હીમાં સુંદરકાંડ પર મોટી ઘોષણા

નવી દિલ્હી : અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બનેલા રામમય માહોલ વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ હનુમાન ભક્તિ પર મોટું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં દર મહિનાના પહેલા મંગળવારે 2600 સ્થાનો પર સુંદરકાંડનું આયોજન કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે સોમવારે આ ઘોષણા કરી છે. ભારદ્વાજે કહ્યુ […]

પાકિસ્તાનમાં પણ જય શ્રીરામ, દાનિશ કનેરિયાને છે રામલલાના વિરાજમાન થવાનો ઈન્તજાર

નવી દિલ્હી: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરને લઈને માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાનમાં પણ લોકો ઉત્સુક છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો લોકો બેસબ્રીથી ઈન્તજાર કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા પણ આ ભવ્ય ઉત્સવને લઈને ઘણાં ઉત્સાહિત દેખાય રહ્યા છે. તેમણે અયોધ્યામાં બની રહેલા રામમંદિરને લઈને સોશયલ મીડિયા પર એક પોસ્ટ શેયર […]

પ્રભુ શ્રીરામના ભજન ગાઈને ચર્ચામાં આવ્યા કાશ્મીરના બતૂલ ઝહરા, ભણવામાં પણ મેળવી ચુક્યા છે સિદ્ધિ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ઉરના રહેવાસી બતૂલ ઝહરા ફરી એકવાર ચર્ચામાં છે. તેઓ આ વખતે ઈન્ટરમીડિયેટમાં સારા માર્ક્સ લાવીને ચર્ચામાં આવ્યા હતા. તેઓ ઉરી સીમાની નજીક રહે છે અને પહાડી જનજાતિમાંથી આવે છે. હવે તેમણે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પહાડી બોલીમાં જ ભજન ગાયું છે. તેમનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમાં તેઓ […]

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ: લખનૌ હાઈવે પર બેરિયર લગાવી બદલવામાં આવી વ્યવસ્થા, આયોધ્યા નહીં જાય આ વાહનો

લખનૌ: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ પર રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને રવિવારે માલવાહક વાહનોના આવાગમન પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. ગોરખપુર પોલીસે પણ રવિવારે લખનૌ હાઈવે પરના બાધાગાડા અને કાલેસરમાં બેરિયર લગાવી દીધા છે. ગોરખપુરથી લખનૌ જનારા માલવાહનક વાહનોને 22 જાન્યુઆરી સુધી બડહલગંજ, આઝમગઢ થઈને પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના માર્ગે મોકલવામાં […]

અયોધ્યામાં રામ મંદિર માટે ભગવાન મહાકાલના લાડુ મોકલાશે, પાંચ લાખ પેકેટ બનાવાશે

લખનોઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો અભિષેક સમારોહ 22 જાન્યુઆરી રોજ યોજાશે. આ સમારોહમાં બાબા મહાકાલના લાડુનો પ્રસાદ અયોધ્યા મોકલવામાં આવી રહ્યો છે. જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રસાદ માટે લાડુ બનાવતા કારીગરોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે, 16 જાન્યુઆરીથી આ લાડુઓને ટ્રકમાં રાખીને અયોધ્યા મોકલવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે શ્રી રામ […]

22 જાન્યુઆરીનો અયોધ્યાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક નહીં, રાજકીય: કૉંગ્રેસનો ભાજપ પર વાકપ્રહાર

નવી દિલ્હી: કૉંગ્રેસે શુક્રવારે દાવો કર્યો છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક નથી, પણ સંપૂર્ણપણે રાજકીય છે, કારણ કે તેને વિધિવિધાનથી અને ચારેય પીઠોના શંકરાચાર્યોની દેખરેખમાં કરાય રહ્યો નથી. કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રભારી પવન ખે઼ડાએ ભારતીય જનતા પાર્ટી પર પલટવાર કરતા કહ્યુ છે કે ભગવાન રામના દર્શન માટે કોઈ વચેટિયાઓની જરૂર નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code