1. Home
  2. Tag "RAPAR"

રાપરમાં નર્મદા કેનાલના મરામતના કામને લીધે અઢી મહિના કેનાલ બંધ રહેશે

મોમાયમોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં કેનાલ પરના ગેરકાયદે જોડાણો કાપી નંખાયા, રાપર માટે પીવાનું પાણી અનામત રખાશે રાપર શહેરને હવે દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરાશે ભૂજઃ કચ્છમાં નર્મદા કેનાલનો લાભ મળતા હવે પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ છે. ઘણ સમયથી કેનાલ મરામત માગી રહી છે. તેથી રાપર તાલુકામાં નર્મદા કેનાલનું મરામતનું કામ હાથ ધરવાનું […]

રાપરમાં પાણીની વિકટ સમસ્યા,ગામડાંઓમાં અઠવાડિયે એક વખત જ કરાતું પાણીનું વિતરણ

30મી માર્ચથી નર્મદા કેનાલ બંધ કરાતા પાણીની મુશ્કેલી વધશે રાપર તાલુકા ઉપરાંત વાંઢ અને ખડિરના ગામોમાં પણ પાણીની મુશ્કેલી ગામડાંઓમાં પાણી મેળવવા રઝળપાટ કરતી મહિલાઓ ભૂજઃ  કચ્છના કેટલાક વિસ્તારોમાં ઉનાળાની ગરમી શરૂ થતાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે. જેમાં રાપર શહેર અને તાલુકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નર્મદા વિભાગે 30 માર્ચથી કચ્છની નર્મદા […]

કચ્છના રાપરમાં દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ, તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા,

ભૂજઃ કચ્છમાં ઉનાળો આકરો બનતા ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે.બીજી બાજુ કચ્છની જીવાદોરી સમાન નર્મદા બ્રાન્ચ કેનાલ સમારકામ માટે આગામી બે માસ સુધી બંધ કરવામાં આવી છે. ખાસ કરીને વાગડ વિસ્તારના રાપર તાલુકામા પીવાના પાણીનો  કોઈ વિકલ્પ ના હોવાથી અનેક ગામોમાં પીવાના પાણીની મોકાણ શરૂ થઈ છે. તાલુકા મથક રાપર શહેરમાં […]

કચ્છના રાપરમાં ફતેહગઢ નજીક નર્મદા કેનાલની મરામતનું કામ અનેક રજુઆતો બાદ અંતે હાથ ધરાયું

ભૂજઃ કચ્છમાં નર્મદાના પાણી એ લોકો માટે જીવાદોરી સમાન બન્યા છે. નર્મદાની પાણી સિંચાઈ માટે પણ આપવામાં આવતા હોવાથી કચ્છની સુકી ધરા હવે નંદનવન બની રહી છે. જિલ્લાના રાપર નજીક નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા હતા. તેમજ કેનાલના દીવાલની માટી પણ ઘસી આવતા પાણી આગળ જઈ શકતું ન હતું . અને છેલ્લા અઢી મહિનાથી […]

કચ્છના રાપરમાં 3.1ની તિવ્રતાનો ભૂકંપ, બે કલાક બાદ પેટાળમાં જોરદાર ધડાકો થતા લોકો ફફડી ગયા

ભૂજઃ કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. આજે શુક્રવારે રાપર વિસ્તારમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભૂકંપના આંચકા બાદ બે કાલા પછી ભૂ-પેટાળમાં જોરદાર અવાજ સાથે ધડાકો થતા લોકોને વર્ષ 2001ના ભૂકંપની યાદ અપાવી હતી. કચ્છમાં આજે સવારે 10.16 મિનિટે  વાગડના રાપરથી 16 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતા 3.1ની તીવ્રતાના આફ્ટરશોક […]

કચ્છના રાપરને રેલવે સેવાથી જોડવા રેલ અધિકારીઓએ સાંસદને સાથે રાખીને કર્યું સ્થળ નિરિક્ષણ

ભૂજઃ કચ્છમાં રાપર રેલવે સેવાથી વંચિત હતું. હવે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યુ છે.ત્યારે રાપરને રેલવે સેવાથી જોડવા માટે ચક્રો ગતિમાન થયા છે. રાપર રેલવે સેવાથી જોડાશે તો આ વિસ્તારના વિકાસને ચાર ચાંદ લાગી જશે. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ રાપરમાં સ્થળ નિરિક્ષણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં જ્યારે રેલવે નેટવર્ક બિછાવવાની કામગીરી શરૂ થઈ ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code