ઉપલેટામાં રેશનિગના ઘઉં-ચોખાના 2939 કટ્ટા પકડાયા, વેપારી લોટ બનાવીને વેચતો હતો
રાજકોટઃ રાજ્યમાં રેશનિંગનું અનાજ લાભાર્થીઓને આપવાને બદલે કાળા બજારમાં પગ કરી જતું હોય છે. દરેક પુરવઠા મામલતદારોને રેશનિંગના અનાજનું યોગ્ય રીતે વિતરણ થાય છે કેમ તે અંગે ખાસ ધ્યાન રાખવાની સુચના આપવામાં આવી છે. દરમિયાન રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપલેટાના વીજળી રોડ રઘુવીર બંગલો પાસે ગોડાઉનમા તથા પંચહાટડી ચોકમા […]