1. Home
  2. Tag "Resignation"

કાર્યકાળ શરૂ થયાના એક જ વર્ષમાં UPSCના ચેરમેન મનોજ સોનીનું રાજીનામું

UPSCના ચેરમેન મનોજ સોનીએ કાર્યકાળ શરૂ કર્યાના એક જ વર્ષમાં રાજીનામું આપી દીધું છે.. તેમણે 2023માં ચાર્જ સંભાળ્યો હતો અને તેમનો કાર્યકાળ 2029માં પુરો થવાનો હતો. જો કે તેમના રાજીનામાને સ્વીકારવાની સત્તાવાર માહિતી બહાર આવી નથી. સૂત્રોનું કહેવું છે કે હાલ ડીઓપીટીએ રાજીનામું સ્વીકાર્યું નથી. સોનીનો કાર્યકાળ 2029 માં સમાપ્ત થવાનો હતો, તેમણે 2017માં UPSCના […]

રાજસ્થાનઃ મંત્રી કિરોડીલાલ મીણાએ રાજુનામું આપ્યું, લોકસભાની દૌસા બેઠક ઉપર BJPની હારની જવાબદારી સ્વિકારી

જયપુરઃ રાજસ્થાનના કેબિનેટ મંત્રી કિરોરી લાલ મીણાએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ભજનલાલ શર્માને મોકલી આપ્યું છે. જો કે હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. રાજીનામું થોડા દિવસ પહેલા મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેની માહિતી આજે સામે આવી છે. કિરોરી લાલ મીણાએ લોકસભા ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે, જો ભાજપ દૌસા સીટ હારી જશે તો હું મંત્રી […]

ઓડિશા: કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ દાસે રાજીનામું આપ્યું, પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વિકારી

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ભક્ત ચરણ દાસે ઓડિશા કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. ઓડિશા વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામો ન મળવાને કારણે તેમણે રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસની નિષ્ફળતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ ભવ્ય જીત મેળવી […]

ઓડિશાઃ મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ ઓડિશામાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં નવીન પટનાયકના બીજુ જનતા દળને મોટો ઝટકો લાગ્યો. રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. 78 બેઠકો જીતીને ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ ભાજપે રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો પણ જીતી લીધી છે. આ હાર બાદ હવે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ […]

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પરિણામોને પગલે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણી પરિણામો આવ્યા બાદ તેમનું રાજીનામું આપ્યું છે. તેમણે મહારાષ્ટ્રમાં ભાજપની હારની જવાબદારી સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપને ઓછી બેઠક મળી જેની તમામ જવાબદારી મારી છે.   મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ) સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. ભાજપે 28 બેઠકો પર, શિવસેના […]

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ગઈકાલે પરિણામ જાહેર થયાં છે. હવે એનડીએ અને ઈન્ડિ ગઠબંધન દ્વારા સરકાર રચવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિજીને મળ્યા હતા. તેમજ પીએમ પદથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુજીએ તેમનું રાજીનામું સ્વિકારી લીધું હતું. નવી સરકાર બને ત્યાં સુધી નરેન્દ્ર મોદી કાર્યવાહક પ્રધાનમંત્રી બની […]

લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું સોંપીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અરવિંદર સિંહ લવલીએ રાજીનામામાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. તેમ […]

રાષ્ટ્રપતિએ તેલંગાણાના રાજ્યપાલ ડો.તમિલિસાઇ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિએ તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે ડો.તમિલિસાઇ સૌંદરરાજનનું રાજીનામું સ્વીકાર્યું છે. ભારતનાં રાષ્ટ્રપતિએ નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઝારખંડનાં રાજ્યપાલ  સી પી રાધાકૃષ્ણનને પોતાની ફરજો ઉપરાંત તેલંગાણાનાં રાજ્યપાલ અને પુડુચેરીનાં લેફ્ટનન્ટ ગવર્નરની કામગીરી અદા કરવાની પણ જવાબદારી સોંપી છે. આ નિમણૂક તે તારીખથી અમલમાં આવશે જે તારીખથી તેઓ પોતાનું પદ સંભાળશે.

લોકસભાની ચૂંટણીના ટાણે ઈલેક્શન કમિશનર અરૂણ ગોયલનું રાજીનામું, રાષ્ટ્રપતિ કર્યો સ્વીકાર

નવી દિલ્હીઃ  લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ભારતના ચૂંટણી પંચમાં મુખ્ય કમિશનર સહિત ત્રણ કમિશનરો હોય છે. જેમાં  એક ચૂંટણી કમિશનરની જગ્યા પહેલેથી જ ખાલી હતી. હવે ગોયલના રાજીનામા માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ઝટકો, વિધાનસભાના મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે આજે વિધાનસભામાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના વિશ્વાસુ, પક્ષના નેતા અને વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ રાજીનામું આપીને પક્ષમાં ચાલી રહેલી આંતરકલહ અને નારાજગી સ્પષ્ટ કરી દીધી છે. મનોજ પાંડે છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code