1. Home
  2. Tag "Riverfront"

અમદાવાદના રિવરફ્રન્ટ પર 8મી જાન્યુઆરીથી ફ્લાવર શો, 7 લાખ ફ્લાવર પ્લાન્ટ જોવા મળશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. દેશ-વિદેશના રંગ-બેરંગી અને જાત જાતના ફુલોને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતા હોય છે. હાલ ફ્લાવર શોને લઇને તડામાર તૈયારીઓ થઇ રહી છે. 8 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આ શોમાં 7 લાખ જેટલા પ્લાન્ટ્સ જોવા મળશે. જેમાં આફ્રિકા, જાપાન તેમજ અન્ય દેશોમાંથી […]

અમદાવાદના રિવરફ્રન્ટના પ્લોટ્સમાં વાવેલા 5000થી વધુ વૃક્ષો કેમિકલ્સયુક્ત ઝેરી પાણીને લીધે બળી ગયા

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે. પણ યોગ્ય માવજતના અભાવે મોટાભાગના વાવેલા વૃક્ષો મુરઝાઈ જતાં હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ‘નવો શિરસ્તો અપનાવીએ વૃક્ષારોપણને જીવનનું અભિન્ન અંગ બનાવીએ’ નો મેસેજ આપતા બેનરો ઠેરઠેર લગાવ્યાં હતા જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મ્યુનિ.કોર્પોરેશનની લાપરવાહીના કારણે રિવરફ્રન્ટ પ્લોટમાં ઉગાડેલા 5 […]

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં અને ક્રૂઝની સેવા શરૂ કરાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પરનું  રિવરફ્રન્ટ હરવા ફરવા માટેનું મનપસંદ સ્થળ છે. લોકો અહીંયા પોતાના બાળકોને પાર્કમાં લઈને આવે છે. લોકો સાંજના સમયે નદીના કિનારે હવા ખાવા આવે છે, ઘણાં લોકો અહીં સાયકલિંગ કરવા અથવા કસરત કરવા પણ આવે છે. હવે રિવરફ્રન્ટ પર નવું નજરાણું ઉમેરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર આંબેડકર બ્રીજ સુધીનો રોડ વાહનો માટે ચાર દિવસ સાંજે 5થી7 બંધ રહેશે

અમદાવાદઃ બીએસએફના જવાનો દ્વારા 25 ઓગસ્ટે સાંજે રિવરફ્રન્ટ ખાતે બાઈક રોડ શો યોજવામાં આવશે. જેનું રિહર્સલ 22, 23 અને 24 ઓગસ્ટે સાંજે 5 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી કરવામાં આવશે. આથી આજે તા.22મીથી તા 24મી દરમિયાન સાંજના 5થી 7 સુધી તેમજ તા. 25મીએ સાંજના 4થી સાંજના 7વાગ્યા સુધી સાબરમતી રિવરફ્રન્ટના પશ્વિમ પોલીસ સ્ટેશનથી આંબેડકર […]

સીપ્લેન માટે અમદાવાદના રિવરફ્રન્ટ પર વધુ 10 લાખના ખર્ચે મોનિટરિંગ સ્ટેશન બનાવાશે

અમદાવાદઃ શહેરની  સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. સી-પ્લેન સેવા અનિયમિત હોવાથી રિસ્પોન્સ મળ્યો ન હતો. હાલ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલી આ સર્વિસને ફરી શરું કરતા પહેલા તેના બંને તરફના એરોડ્રોમ પર એરક્રાફ્ટ મોનિટરિંગ સ્ટેશન બનાવવામાં આવશે. ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા રિવરફ્રન્ટ […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્કનું વિસ્તરણઃ વિવિધ પ્રજાતિના અનેક વૃક્ષો વવાયા

અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ  દ્વારા  બાયોડાયવર્સીટી પાર્ક  બનાવવામાં આવ્યો છે. તેમાં પણ અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે.આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ  બાયોડાયવર્સીટી પાર્કની મુલાકાત લીધી હતી અને બાયોડાયવર્સીટી પાર્કમાં વાવવામાં આવેલ વૃક્ષોની માહિતી મેળવી હતી. તેમજ બાયોડાયવર્સીટી પાર્કને વિસ્તરણ કરવામાં આવ્યું તેમાં  તેમણે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં ઓક્સિજન લેવલ ઘટતાં અસંખ્ય માછલાં મોતને ભેટ્યા

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીમાં દુષિત પાણી તેમજ ઓક્સિજન ન મળવાને કારણે હજારો માછલીઓના મોત થયાં છે. સાબરમતી નદીનું વહેતું પાણી ન હોવાથી માછલીઓને ઓક્સિજન મળતું નથી. સાબરમતીથી વાસણા સુધી નર્મદાના પાણીથી નદીને ભરેલી રાખવામાં આવે છે. પાણી ભરેલું રહેતું હોવાથી તેમજ નદીમાં પ્રદુષિત પાણી ઠલવાતું હોવાથી નદીનું પાણી પણ દુષિત બન્યુ છે. નદીમાં ઘણી જગ્યાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code