ગાંધીનગર નજીક રાંધેજા પાસે કારને નડ્યો અકસ્માત, પાંચના મોત
અમદાવાદઃ રાજ્યમાં દિવાળીના તહેવારોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન રાજ્યની રાજધાની ગાંધીનગર નજીક રાંધેજા પાસે પૂરઝડપે પસાર થતી કારને સર્જાયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓ માણસાના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ગાંધીનગરના રાંધેજા-પેથાપુર […]


