1. Home
  2. Tag "Saputara"

સાપુતારાના હીલ વિસ્તારના રોડ પર લાકડાં ભરેલી ટ્રક પલટીને ક્રેટાકાર પર ખાબકતા 4નાં મોત

આહવાઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સાપુતારાના હીલ વિસ્તારના રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી લાકડાનો જથ્થો ભરી દહેગામ જતી દસ વ્હીલર ટ્રક નંબર જીજે 14 એક્સ 0786 ના ટ્રક ચાલકે ઘાટમાર્ગમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક પલટી ખાઈને બાજુમાંથી પસાર થઈ રહેલી ક્રેટાકાર પર ખાબકતા કારનો કચ્ચરઘાણ વળી ગયો […]

સાપુતારા ખાતે પ્રકૃતિને માણવા આવતા પર્યટકો હવે “વન કવચ”ના આહલાદક દ્રશ્ય માણી શકશે

અમદાવાદઃ ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી મુકેશ પટેલ (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) એ ગિરિમથક સાપુતારા ખાતે પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા ધરાવતા “વન કવચ” નું લોકાર્પણ કર્યુ હતુ. વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. […]

ગિરિમથક સાપુતારાના ‘મેઘ મલ્હાર પર્વ’ માં 30 દેશના પ્રવાસીઓ ઉમટ્યાં

અમદાવાદઃ ગુજરાતના ગિરીમથક સાપુતારામાં હાલ ‘મેઘ મલ્હાર પર્વ‘ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. આ પર્વમાં 30 દેશના 64 પર્યટકોએ ભાગ લીધો છે. ચોમાસાની મદમસ્ત આહલાદક મોસમમાં ઝરમર ઝરમર વરસતા વરસાદી માહોલનો લુફત ઉઠાવતા વિદેશી પર્યટકો સંગીતના દેશી તાલે ઝૂમી ઉઠ્યા હતા. TCGL ના ‘મોન્સૂન ફેસ્ટિવલ‘ ના આયોજનને બિરદાવતા […]

ગુજરાતના હીલ સ્ટેશન સાપુતારામાં આજથી મહિના સુધી મેઘ મલ્હાર ઉત્સવ ઊજવાશે

આહવાઃ ગિરિમથક સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલને લીધે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. સાપુતારાની ગિરી કંદરાએ જાણે લીલી ચાદર ઓઢી હોય અને ખળખળ વહેતા ઝરણાઓથી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘ મલ્હાર પર્વનું આયોજન કરાયું છે. આજે રવિવારને 30મી જુલાઈથી એક મહિનો ચાલનારા મલ્હાર […]

વરસાદની સિઝનમાં સાપુતારામાં કૂદરતી સૌંદર્યની મજા માણવા પ્રવાસીઓની ભીડ -30 જુલાઈથી શરુ થશે મોનસુન ફેસ્ટિવલ

સાપુતારાઃ ચોમાસાની વરસાદી સીઝનમાં ગિરિમથક એવા સાપુતારાનું  સૌંદર્યં સોળે કળાએ ખીલી ઊઠ્યું છે, ડૂંગર માળાઓમાં ચારેબાજુ ખળખળ વહેતા ઝરણાઓ, અને નાના-મોટા ધોધ તેમજકૂદરતનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. અને આ નજારાને મનભરીને માણવા માટે પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. અને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે આગામી તા. 30મી જુલાઈથી મોન્સુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.જે એક […]

સાપુતારાના ફોરેસ્ટ રેસ્ટ હાઉસના વળાંક પર લકઝરી બસ પલટી જતાં 38 પ્રવાસીઓને ઈજા

આહવાઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સાપુતારાના ભયજનક ગણાતા વળાંક પર પૂર ઝડપે આવતા વાહનો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો. શિરડીથી અમદાવાદ આવી રહેલી લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાંતા 38  પ્રવાસીઓ  ઈજાગ્રસ્ત થયા હતા.  આ અકસ્માત માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધી રૂ. 219 કરોડથી વધુના ખર્ચે 95 કિ.મીનો રસ્તો બનાવાશે

ગાંધીનગરઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે દેશવિદેશના લાખો સહેલાણીઓ અને મુલાકાતીઓ આવી રહ્યા છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના મહત્ત્વના હિલ સ્ટેશન એવા સાપુતારાની મુલાકાત લેનારા પર્યટકોની સંખ્યા ખૂબ મોટી છે. ત્યારે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે આ બંને મહત્ત્વના પ્રવાસન સ્થળોને જોડતા 95 કિલોમીટર લંબાઇના માર્ગના નિર્માણ માટે પ્રથમ તબક્કામાં […]

સાપુતારામાં વર્ષ 2023ને આવકારવા પ્રવાસીઓની ભીડ જામી, તમામ હોટલો હાઉસફુલ

સાપુતારા: ગુજરાતમાં તમામ પર્યટન સ્થળોએ નાતાલના પર્વને લઈને પ્રવાસીઓની ભીડ જામી છે. જેમાં સાપુતારા હીલ સ્ટેશનમાં વર્ષ 2022ને વિદાય આપવા અને વર્ષ 2023ને વધાવવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. મોટાભાગની હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. પ્રવાસીઓની ભીડ જામતા વેપારીઓને રાહત થઈ છે. વેપારીઓ મોડીરાત સુધી દુકાનો ખૂલ્લી રાખીને વેપાર કરી રહ્યા છે. ગુજરાતમાં નવા વર્ષને […]

શિયાળામાં ફરવા માટે કુદરતના ખોળે આવેલા છે આ સુંદર સ્થળો વિશે જાણો

સાહીન મુલતાની- ગુજરાતીઓની વાત આવે એટલે એક વાત તો ચોક્કસ કહી જ શકાય કે,ગુજરાતી એટલે ખાવાના અને ફરવાના ખુબ જ શોખીન,એક બે દિવસ કામ-ઘંઘામાંથી જો રજા મળી જાય એટલે આપણે ગુજરાતીઓ ઉપડી જ જઈએ,આજુ-બાજુ આવેલા પીકનિક સ્પોટ પર કે પછી કોઈ ઘાર્મિક સ્થળ પર અને ઉનાળાની સીઝન હોય તો નદી કે દરિયાના કાંઠે લટાર મારવાનું […]

સુરતથી સાપુતારા ગયેલા પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકી – 50 યાત્રીઓ બસમાં હતા સવાર, 2 મહિલાઓના મોત

સાપુતારીની ખીણમાં 50 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી જોનહાનીના કોઈ સમાચાર નથી અમદાવાદ – ગુજરાતનું જાણીતું હિલસ્ટેશન ગણાતા સાપુતારામાં મોટી ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે 50 મુસાફરોથી ભરેલી સુરતના પ્રવાસીઓની બસ ખીણીમાં ખાબકી હતી,આ ઘટના વિતેલી રાતે 8 વાગ્યા આસપાસ બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ડાંગ જિલ્લાના સાપુતારા પાસે 50 થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code