1. Home
  2. Tag "school"

દિલ્હીના DyCM મનીષ સિસોદીયા ગુજરાતની મુલાકાતે, ભાવનગરમાં સરકારી સ્કૂલની લીધી મુલાકાત

નવી દિલ્હીઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારશે. દરમિયાન તાજેતરમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ શિક્ષણને લઈને કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન આજે મનિષ સિસોદીયા ગુજરાતની મુલાકાતે આવ્યાં […]

ગાઝિયાબાદમાં કોરોનાનો પગપેસારો,બે શાળાના પાંચ બાળકો કોરોનાથી સંક્રમિત

ગાઝિયાબાદમાં કોરોનાનો પગપેસારો બે શાળાના પાંચ બાળકો કોરોનાથી સંક્રમિત શાળાઓ બંધ કરવામાં આવી લખનઉ :દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો કે ત્યાં વળી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.ત્યારે હવે કોરોના ગાઝિયાબાદની શાળાઓમાં પોતાની જાળ ફેલાવી રહ્યો છે.ત્યાં બે શાળાના પાંચ બાળકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેમાં ત્રણ બાળકો એક જ શાળાના […]

અમદાવાદઃ RTE હેઠળ બેઠક કરતા ત્રણ ગણા ફોર્મ ભરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ પરિવારના સંતાનો પણ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ (RTE) પ્રવેશ આપવામાં આવે છે. હાલ રાજ્યભરમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદમાં RTE હેઠળ પ્રવેશ માટે વાલીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં બેઠક કરતા ત્રણ ગણા ફોર્મ ભરાયા છે. સુત્રોના જણાવ્યા […]

જમ્મુ-કાશ્મીરઃ તિલક લગાવીને સ્કૂલ પહોંચેલી વિદ્યાર્થિનીને શિક્ષકે માર માર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજોરીમાં એક વિદ્યાર્થિની શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હિન્દુ પરિવારની બાળકી નવરાત્રિમાં તિલક લગાવીને સ્કૂલ પહોંચી હતી. જેથી શિક્ષકે તેને માર માર્યો હતો. આ બનાવને પગલે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં […]

રાજયમાં ૩ લાખ શિક્ષકો અને ૪૦ હજાર શાળાઓ ભૂલકાંઓના શિક્ષણ માટે કાર્યરતઃ જીતુભાઈ વાઘાણી

અમદાવાદઃ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર-7માં  રામનાથપરા પાસે રૂ. 48.50 લાખના ખર્ચે નવનિર્મિત ફૂલબજાર તથા રૂ. 3.40 કરોડના ખર્ચે બનેલ શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર-16 ના નવનિર્માણ પામેલ બિલ્ડિંગનું લોકાર્પણ રાજકોટના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યુ હતું કે, સામાન્ય અને છેવાડાના […]

કર્ણાટકઃ હિજાબ વિવાદને પગલે પરીક્ષાનો વિરોધ કરનારી વિદ્યાર્થિનીઓની ફરીથી નહીં લેવાય પરીક્ષા

બેંગલુરુ: કર્ણાટકના PUમાં હિજાબના મુદ્દે પ્રેકટીકલ પરીક્ષાઓ છોડી હતી તેમને બીજી તક આપવામાં આવશે નહીં. તેનો નિર્ણય કર્ણાટક સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ફેબ્રુઆરી-માર્ચમાં, હિજાબના વિવાદને પગલે ઘણી વિદ્યાર્થિનીઓએ પ્રેક્ટિકલનો બહિષ્કાર કર્યો હતો. એવા સંકેતો હતા કે આ વિદ્યાર્થિનીઓને ફરીથી હાજર થવાની તક આપવામાં આવશે, પરંતુ સરકારે આ વિદ્યાર્થીઓ માટેના ફરીથી પરીક્ષાના […]

આર્થિક સંકટનો સામનો કરતા શ્રીલંકામાં પેપરની અછતને પગલે સ્કૂલની પરીક્ષાઓ રદ કરાઈ

નવી દિલ્હીઃ પાડોશી દેશ શ્રીલંકામાં મોંઘવારી અને આર્થિક સંકટને કારણે સ્થિતિ સ્ફોટક બની છે. એક તરફ બેરોજગારી ચરમસીમાએ છે અને બીજી તરફ લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ માટે તરસી રહ્યાં છે. છેલ્લા લગભગ એક વર્ષથી ગંભીર સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ હવે એટલી ખરાબ થઈ ગઈ છે કે પેટ્રોલ માટે લોકો લાંબી લાઈન લગાવી રહ્યાં […]

ધોરણ 10ની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પરથી ડાઇનલોડ કર્યા બાદ સ્કુલના સહી-સિક્કા જરૂરી

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષાનો પ્રારંભ 28મી માર્ચથી થશે. આ પરીક્ષાને હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે, ત્યારે બોર્ડ દ્વારા પરીક્ષાની રિસિપ્ટ યાને હોલ ટિકિટ વેબસાઈટ પર મુકવામાં આવી છે પરીક્ષાર્થીઓ તેને ડાઉનલોડ કરીને પોતાની શાળામાં જઈને રિસિપ્ટ પર આચાર્યના સહી-સિક્કા કરાવવાના રહેશે સૂત્રોના જણાવ્યા મુજબ  ધોરણ 10ની […]

સ્કૂલે નક્કી કરેલા યુનિફોર્મ મુદ્દે વિદ્યાર્થીઓ વાંધો ન ઉઠાવી શકેઃ કર્ણાટક હાઈકોર્ટ

બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટે હિજાબ વિવાદને લઈને ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, હિજાબ ઈસ્લામનો ભાગ નથી, શિક્ષણ સંસ્થાન આવી રીતે હિજાબ ઉપર પ્રતિબંધ લગાવી શકે છે. રાજ્યની વડી અદાલતની ફુલ બેંચે આદેશ આપતા નોંધ્યું હતું કે, હિજાબ પહેરવો ઈસ્લામનો ભાગ નથી. કેસની હકીકત અનુસાર કેટલીક વિદ્યાર્થિનીઓએ હિજાબને […]

કપરાડાના ખાતુનિયા ગામે શાળામાં ઓરડાના અભાવે બાળકો ખૂલ્લાંમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે

વલસાડ :  રાજ્યના છેવાડાના અંતરિયાળ  વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડના અંતરિયાળ કપરાડા તાલુકાની એક પ્રાથમિક શાળામાં આજે પણ ઓરડાના અભાવને કારણે બાળકોએ ખુલ્લામાં ઓટલા પર અને ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાતુનીયા ગામમાં 1થી8 ધોરણની શાળામાં માત્ર ત્રણ ઓરડા છે, જેમાં બે ઓરડા જર્જરિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code