1. Home
  2. Tag "security forces"

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે બે સ્થળે અથડામણ, 22 નક્સલવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુર અને કાંકરેમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અથડામણમાં 22 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. બીજાપુર પોલીસના જણાવ્યા અનુસાર બીજાપુર-દંતેવાડા સરહદ પર ગંગાલુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વન વિસ્તારમાં અથડામણ સર્જાઈ હતી જેમાં 18 નક્સલવાદીઓ […]

પાકિસ્તાન ટ્રેન હાઈજેકઃ સુરક્ષાદળોએ તમામ બંધકોને મુક્ત કરાવ્યાં

પાકિસ્તાની આર્મીએ પોતાના બંધકોને મુક્ત કરવામાં સફળતા મેળવી છે. આર્મીના પ્રવક્તા લેફ્ટિનન્ટ જનરલ અહમદ શરીફે પાકિસ્તાની ટીવી ચેનલ દુનિયા ન્યૂઝને જણાવ્યું કે આર્મીએ તમામ 33 બલૂચ વિદ્રોહીઓને ઠાર મારી નાખ્યા છે. હવે ત્યાં એક પણ બલૂચ વિદ્રોહી હાજર નથી. આર્મી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આમાં કેટલા લોકોના મોત થયા છે, તેની વિગત પછી જાહેર […]

મિઝોરમ: ચંફાઈ જિલ્લામાંથી સુરક્ષા દળોએ 66.31 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કર્યું જપ્ત

નવી દિલ્હીઃ આસામ રાઈફલ્સે મિઝોરમ પોલીસ સાથે મળીને બે સંયુક્ત કામગીરીમાં સરહદી ચંફાઈ જિલ્લામાંથી 66.31 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ જિલ્લો મ્યાનમાર સાથે વાડ વગરની સરહદ ધરાવે છે અને ડ્રગ્સની દાણચોરીનું કેન્દ્ર છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આસામ રાઈફલ્સે પોલીસ કર્મચારીઓ સાથે મળીને શનિવારે ચંફાઇ જિલ્લાના ઝોખાવથરના ક્રોસિંગ પોઈન્ટ વનમાંથી 60.62 કરોડ રૂપિયાની […]

છત્તીસગઢ: સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, બે નક્સલીઓ ઠાર મરાયાં

સુકમાઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના કિસ્તારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે, કિસ્તારામ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુકમા ડિસ્ટ્રિક્ટ […]

મણિપુરમાં સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું, નવની ધરપકડ કરાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં હાલ પરિસ્થિતિ કાબુમાં છે, બીજી તરફ ફરીથી હિંસાની ઘટના ના બને અને શાંતિ જળવાય રહે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરક્ષા દળોએ વિવિધ ઉગ્રવાદી સંહગઠનના લગભગ 9 ઉગ્રવાદીઓની અટકાયત કરી છે. તેમજ અન્ય ઉગ્રવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા દળોએ અભિયાન તેજ બનાવ્યું છે. […]

ઝારખંડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક મહિલા સહિત બે નક્સલી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સોનુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદી નક્સલવાદીઓ માર્યા ગયા છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓના કેટલાક હથિયારો અને વસ્તુઓ મળી આવી છે. ચાઈબાસાના એસપી આશુતોષ શેખરે એન્કાઉન્ટરમાં બે નક્સલવાદીઓના મોતની પુષ્ટિ કરી છે. આ […]

મણિપુરમાં સુરક્ષા દળોએ હથિયારોના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપ્યાં

નવી દિલ્હીઃ મણિપુરમાં 18 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસાએ સમગ્ર રાજ્યમાં અશાંતિ ફેલાવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અનેક પ્રયાસો છતાં, આ હિંસાની આગ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન, મણિપુરમાં સુરક્ષા દળોની એક મોટી કાર્યવાહી કરી હતી. એક તરફ, સુરક્ષા દળોએ થોઉબલ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં અલગ અલગ […]

છત્તીસગઢ: ગારિયાબંધમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 14 નક્સલવાદી ઠાર મરાયા

નવી દિલ્હીઃ છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં 1 કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો એક નક્સલી પણ માર્યો ગયો છે. નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે. કુલહાડીઘાટનાં ભાલુદિગીની પહાડીઓ પર છેલ્લા 36 કલાકથી સુરક્ષા […]

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 17 નક્સલવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 17 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જોકે, સત્તાવાળાઓ દ્વારા આની ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી. આ એન્કાઉન્ટર દરમિયાન મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા હતા, જેમાં SLR અને અન્ય ખતરનાક હથિયારો સામેલ હતા. આ એન્કાઉન્ટર પૂજારી કાંકેર, બીજાપુરના મારુરબાકા અને તેલંગાણા […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલનો કુખ્યાત આતંકી મરાયો ઠાર

સુરક્ષા દળોને સ્થળ પરથી મળ્યાં આતંકીઓના ઓળખ કાર્ડ આર્મીએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયાં છે. સુરક્ષા દળોને ઘટના સ્થળ પરથી આતંકવાદીઓના ઓળખકાર્ડ મળી આવ્યાં હતા. આ આતંકવાદીઓમાં હિઝબુલનો કુખ્યાત ફારુખ પણ ઠાર મરાયો છે. ફારૂખ લાંબા સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code