1. Home
  2. Tag "shiv sena"

મહારાષ્ટ્ર: કેબિનેટમાં સ્થાન ન મળતા શિવસેનાના ધારાસભ્યએ રાજીનામું આપ્યું

મુંબઈઃ શિવસેનાના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન ન મળતા નિરાશા વ્યક્ત કરીને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ભંડારા જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા, ભોંડેકરે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના વડા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમને કેબિનેટમાં સ્થાન આપવાનું વચન આપ્યું હતું. ભોંડેકર શિવસેનાના ઉપનેતા અને પૂર્વ વિદર્ભ જિલ્લાઓના […]

મહારાષ્ટ્રઃ શિવસેના અને એનસીપી ગઠબંધનમાં ગૃહ મંત્રાલયને લઈને ખેંચતાણ

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ હવે મંત્રાલયોની વહેંચણીને લઈને સમસ્યા છે. ગૃહ મંત્રાલયને લઈને મહાયુતિમાં ઘર્ષણ શરૂ થઈ ગયું છે. આ વિભાગ માટે સહયોગી શિવસેના અને એનસીપી સામસામે આવી ગયા છે. શિંદે જૂથના નેતા ગુલાબરાવ પાટીલે સરકારની રચના પછી તરત જ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીને માત્ર નાયબ મુખ્યમંત્રી પદ જ મળ્યું નથી, પરંતુ […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ કોંગ્રેસ, NCP અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને સમહતિ થઈ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. જેના કારણે રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ, મહા વિકાસ આઘાડી વચ્ચે 4 કલાકથી વધુ ચાલેલી મેરેથોન મંથન બાદ સીટોની વહેંચણી લગભગ નક્કી થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. બેઠકમાં બેઠકની વહેંચણી અંગેની ચર્ચા અંગે UBT શિવસેનાના નેતા સંજય […]

ઉદ્ધવ ઠાકરેની મહેનતનો ફાયદો શિવસેના કરતા સૌથી વધારે કોંગ્રેસ-NCP(SP)ને થયોઃ ભાજપા

મુંબઈઃ મહારાષ્ટ્ર ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે મંગળવારે મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એવું લાગે છે કે સાથી પક્ષો કોંગ્રેસ અને NCP(SP)ને વધારે ફાયદો થયો છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી પાટીલે અહીં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી […]

‘મોદી ત્રીજી વખત PM નથી બની રહ્યા…’, સંજય રાઉતનો દાવો

મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ જાદુઈ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે અને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ એલાયન્સે પણ સરકાર બનાવવાની આશા છોડી નથી. ગઠબંધનના તમામ નેતાઓ બહુમતીનો આંકડો મેળવવામાં સતત વ્યસ્ત છે. દરમિયાન, શિવસેના ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે […]

લોકસભા ચૂંટણીઃ શિવસેના(યુબીટી)એ 17 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

મુંબઈઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ બનાવી છે. તેમજ ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ બનાવી છે. દરમિયાન મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી) એ, બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે 17 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં કુલ 22 સીટો પર ચૂંટણી લડશે. શિવસેના ટૂંક સમયમાં બાકીની પાંચ […]

કોંગ્રેસ પાર્ટીની આત્મ હિંદુ છે એટલે રામ મંદિરનું વિશેષ આમંત્રણ મળ્યું હોય તો કોંગ્રેસના નેતાઓ હાજર રહેવુ જોઈએઃ શિવસેના

મુંબઈઃ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથી તરીકે સામેલ થશે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. લોકસભાની ચૂંટણીને લઈને રામ મંદિરના નિર્માણનો મહત્વનો  મુદ્દો માનવામાં આવે છે. દરમિયાન શિવસેના (UBT)એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની આત્મ હિંદુ છે અને જો પાર્ટીને રાજકીય મતભેદોને સાઈડમાં […]

શિવસેનાની સંપત્તિ મામલે શિંદે જૂથને SCનો ઝટકો, શિંદે જૂથને મિલ્કત ટ્રાન્સફર કરવાની અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ પાસ હાલના સમયમાં ઉપલબ્ધ સંપતિ એકનાથ શિંદે જૂથવાળી શિવસેનાને ટ્રાન્સફર કરવાની માંગણી કરતી અરજી કરતી સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી છે. આશીષ ગીરી નામના વકીલે આ અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી હતી. આશીષ ગીરીની અરજી ફગાવતા ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડએ પૂછ્યું હતું કે, કેવા પ્રકારની આ અરજી છે અને આપ […]

મુખ્યમંત્રી શિંદે શિવસેનાના ‘પ્રમુખ નેતા’ બન્યા,રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લેવાયો નિર્ણય

મુંબઈ:મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેનાના “પ્રમુખ નેતા”બન્યા. મંગળવારે સાંજે મુંબઈમાં પાર્ટીની પ્રથમ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે બેઠકમાં પસાર થયેલા ઠરાવોની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે ગયા અઠવાડિયે શિંદે જૂથને મૂળ શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને પક્ષનું ચૂંટણી ચિહ્ન ‘ધનુષ અને તીર’ ફાળવ્યું હતું.શિંદે અને […]

શિવસેનાને ખતમ કરવા અને મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું ષડયંત્રઃ આદિત્ય ઠાકરે

મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતની ઈડીએ અટકાયત કર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહાર કરતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, આ શિવસેનાને ખતમ કરવા, મહારાષ્ટ્રનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. તે બધાની સામે છે અને તે જાણીતું છે. આદિત્ય ઠાકરે પહેલા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code