1. Home
  2. ગુજરાતી
  3. મુખ્યમંત્રી શિંદે શિવસેનાના ‘પ્રમુખ નેતા’ બન્યા,રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લેવાયો નિર્ણય
મુખ્યમંત્રી શિંદે શિવસેનાના ‘પ્રમુખ નેતા’ બન્યા,રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લેવાયો નિર્ણય

મુખ્યમંત્રી શિંદે શિવસેનાના ‘પ્રમુખ નેતા’ બન્યા,રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લેવાયો નિર્ણય

0
Social Share

મુંબઈ:મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેનાના “પ્રમુખ નેતા”બન્યા. મંગળવારે સાંજે મુંબઈમાં પાર્ટીની પ્રથમ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે બેઠકમાં પસાર થયેલા ઠરાવોની જાહેરાત કરી હતી.

ચૂંટણી પંચે ગયા અઠવાડિયે શિંદે જૂથને મૂળ શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને પક્ષનું ચૂંટણી ચિહ્ન ‘ધનુષ અને તીર’ ફાળવ્યું હતું.શિંદે અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનો હરીફ જૂથ પક્ષના નિયંત્રણ માટે કાનૂની લડાઈમાં ફસાયેલો છે.સામંતે જણાવ્યું હતું કે, આ બેઠકની અધ્યક્ષતા શિવસેનાના પ્રમુખ નેતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી હતી.

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના કેમ્પે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદે અને તેમના છાવણીના શિવસેનાના ધારાસભ્યો સામેની બાકી ગેરલાયકાતની કાર્યવાહી પર નિર્ણય લેવા અપીલ કરી હતી.શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ કહ્યું કે બંધારણની લોકતાંત્રિક ભાવનાને જાળવી રાખવાનો આ એકમાત્ર રસ્તો છે.પાર્ટીએ મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ બીએસ કોશ્યારીના ગયા વર્ષે શિંદેને મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા જ્યારે તેમની અને અન્ય ધારાસભ્યો સામે ગેરલાયકાતની કાર્યવાહી ડેપ્યુટી સ્પીકર સમક્ષ પેન્ડિંગ હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code