1. Home
  2. Tag "shooting"

અફઘાનિસ્તાન: ગોળીબારથી ત્રણ વિદેશી સહિત ચાર લોકોના મોત

ચાર વિદેશી નાગરિક સહિત સાત વ્યક્તિ ઈજાગ્રસ્ત ચાર શંકાસ્પદોની ઘટના સ્થળ પરથી અટકાયત આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતમાં મોડી રાત્રે કેટલાક બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં ત્રણ વિદેશી સહિત ચાર લોકોનાં મોત થયાં હતાં. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે. […]

લોકસભા ચૂંટણીઃ મણિપુરમાં મતદાન દરમિયાન ગોળીબારની ઘટના, જાનહાની ટળી

નવી દિલ્હીઃ મણિપુરની લોકસભાની બે બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જ્યારે કેટલાક સ્થળો ઉપર તકરારની ઘટના સામે આવી હતી. દરમિયાન મોઈરાંગમાં મતદાન મથક પાસે ગોળીબારની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઉપરાંત ઈમ્ફાલ પૂર્વના ખોંગમાનમાં મતદાન કેન્દ્રમાં હથિયાર સાથે કેટલાક માથાભારે શખ્સોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો […]

અભિનેતા સલમાન ખાનના ઘર પાસે ગોળીબાર કેસમાં બે આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોડી રાત્રે આ મોટી સફળતા મળી છે. સમાચાર અનુસાર, ગુજરાત પોલીસની ટીમે પશ્ચિમ કચ્છમાંથી બંનેની ધરપકડની પુષ્ટિ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આજે બંને આરોપીઓને લઈને મુંબઈ રવાના થશે. […]

અભિનેતા સલમાન ખાનના ઘર પાસે થયેલા ગોળીબારમાં ચોંકાવનારો ખુલાસો

મુંબઈઃ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના મામલામાં મુંબઈ પોલીસે નવો ખુલાસો કર્યો. પોલીસે જણાવ્યું કે ફેસબુક પેજ પર ફાયરિંગની ઘટનાની જવાબદારી સ્વીકારનાર ફેસબુક પેજનું IP એડ્રેસ કેનેડાનું હોવાનું બહાર આવ્યું છે. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના થોડાક કલાકો પછી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ એક કથિત ફેસબુક પોસ્ટ દ્વારા ઘટનાની જવાબદારી લીધી અને […]

ચેક ગણરાજ્યઃ પ્રાંગની ચાર્લસ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબારમાં 15 લોકોના મોત

નવી દિલ્હીઃ યુરોપિયન દેશ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની ચાર્લ્સ યુનિવર્સિટીમાં હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ભીષણ ગોળીબારમાં 15 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચેક પોલીસે જણાવ્યું કે બંદૂકધારીએ ચાર્લ્સ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો. વિદ્યાર્થી તરીકે ઓળખાતા હુમલાખોરને પોલીસે માર્યો હતો. ચેક રિપબ્લિક ટેલિવિઝનને ચેક ઇન્ટિરિયર મિનિસ્ટર વિટ રાકુસને જણાવ્યું […]

પશ્ચિમ બંગાળમાં અંધાધૂંધ ગોળીબારઃ ટીએમસીના નેતા સહિત 3ના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં અજાણ્યા શખ્સોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસને ઘટના સ્થળેથી કેટલાક મહત્વના પુરાવા મળી આવ્યાં છે એટલું જ […]

અમેરિકાના મેરીલેન્ડમાં થયેલ અંધાધૂન ફાયરીંગમાં ત્રણના મોત,એક ઘાયલ

અમેરિકાના મેરીલેન્ડમાં અંધાધૂન ફાયરીંગ અંધાધૂન ફાયરીંગમાં ત્રણ લોકોના મોત એક વ્યક્તિ ઈજાગ્રસ્ત દિલ્હી:અમેરિકાના મેરીલેન્ડમાં અંધાધૂન ફાયરીંગના કારણે ત્રણ લોકોના મોત થયા છે,જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ મામલો રાજ્યના સ્મિથ્સબર્ગનો છે.આ મામલાની માહિતી મેરીલેન્ડ સરકારના એક અધિકારીએ આપી છે.હુમલાખોરની હજુ સુધી ઓળખ થઈ નથી પરંતુ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વોશિંગ્ટન કાઉન્ટી શેરિફના પ્રવક્તાએ […]

ટેકસાસની સ્કૂલમાં થયેલા ગોળીબાર અંગે રાષ્ટ્રપતિ બાઈડેનએ દુઃખ વ્યક્ત કર્યું, ગન કલ્ચર અંગે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ અમેરિકાના ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો પર અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. 18 વર્ષના હુમલાખોરે સ્કૂલમાં ઘુસીને ગોળીબાર કરીને 18 બાળકો સહિત 21 લોકોની હત્યા કરી હતી. આ ઘટના અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ કહ્યું કે, આવી ઘટનાઓ અટકાવવા માટે પગલા લેવાનો સમય આવી ગયો […]

મધ્યપ્રદેશઃ આરોનમાં શિકારીઓએ ધાણીફુટ ગોળીબાર કર્યો, 3 પોલીસ કર્મચારીઓના અવસાન

ભોપાલઃ મધ્યપ્રદેશના આરોન વિસ્તારમાં પેટ્રોલીંગ કરતી પોલીસ ટીમ ઉપર અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 3 પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા. જ્યારે એકને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોલીસ અધિકારીઓને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમજ શહીદ પોલીસ કર્મચારીઓના પરિવારને રૂ. એક-એક કરોડની સહાયની […]

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટકિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની ગોળીમારી કરાઈ હત્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને હત્યા કરવાની ઘટનામાં વધારો થયો છે. બડગામ જિલ્લામાં સરકારી કચેરીમાં ઘુસી ગયેલા આતંકવાદીએ સરકારી કર્મચારી ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં સરકારી કર્મચારી ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમનું મોત થયું હતું. ટાર્ગેટ કિલિંગની ઘટનાને પગલે બિનકાશ્મીરીઓમાં ભય ફેલાયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code