1. Home
  2. Tag "sri lanka"

શ્રીલંકા આર્થિક સમસ્યામાંથી બે વર્ષ સુધી બહાર આવે તેવી શકયતાઓ ઓછીઃ નાણામંત્રી

નવી દિલ્હી : ભારતના પડોશી દેશ શ્રીલંકા છેલ્લા કેટલાક દિવસોથી આર્થિક સંકટોમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન રોકટની અછતની ચેતવણી ઉચ્ચારતા શ્રીલંકાના નાણામંત્રીએ કહ્યું હતું કે, આગામી બે વર્ષ સુધી આર્થિક સંકટ દૂર થવાની શક્યતાનો નહીંવત છે. શ્રીલંકામાં હાલ ખાધ્યચીજવસ્તુઓની સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ઉભી થઈ છે. લોકો ઈંઘણ તથા જીવન જરૂરી વસ્તુઓની ખરીદી […]

પાકિસ્તાન અને શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં પણ ચીનની વિરોધમાં સૂર ઉઠ્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં તાજેતરમાં જ બલુચ બિલરલ આર્મીએ તાજેતરમાં જ ચાઈનીઝ નાગરિકોને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ ચાઈનીઝ નાગરિક સહિત પાંચેક વ્યક્તિઓના મોત થયાં હતા. આર્થિક સંકટનો સામનો કરતા શ્રીલંકામાં પણ સ્થાનિકો ચીનના પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં છે. હવે બાંગ્લાદેશમાં પણ ચાઈનીઝ કંપનીના વિરોધની ઘટના સામે આવી છે. બાંધના નિર્માણનું કામ કરતી […]

આર્થિક સંકટમાંથી પસાર થતા શ્રીલંકા ઉપર સૌથી વધારે ચીનનું 3.38 અરબનું દેવુ

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકાએ વિદેશી દેવું ચૂકવવામાં ડિફોલ્ટ કર્યું છે. તેમનું કહેવું છે કે તેઓ વિદેશી દેવું ચૂકવવાની સ્થિતિમાં નથી. દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ખાલી થઈ ગયો છે અને 2.2 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. વિદેશી હૂંડિયામણના ભંડારને કારણે દેશ પાસે જરૂરી વસ્તુઓની આયાત કરવા માટે પૈસા નથી. પરિણામે મોંઘવારી […]

શ્રીલંકાની આર્થિક સ્થિતિ અતિશય ખરાબ, લોકોનો એક જ અવાજ “રાજીનામું આપે રાજપક્ષે”

શ્રીલંકાની આર્થિક રીતે હાલત ખરાબ લોકો સરકારનો કરી રહ્યા છે વિરોધ લોકોનો એક જ અવાજ – “રાજીનામું આપે રાજપક્ષે” દિલ્હી: શ્રીલંકા અત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, લોકો પાસે હવે ગુજરાન ચલાવવા માટેના પણ રૂપિયા રહ્યા નથી ત્યારે લોકો હવે રોડ પર ઉતરી આવ્યા છે અને સરકારનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં શ્રીલંકાની […]

આર્થિક સંકટનો સામનો કરતુ શ્રીલંકા 51 બિલિયન ડોલરનું વિદેશી દેવુ ચાકવવા અસમર્થ

નવી દિલ્હીઃ નાણાકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ 51 બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 3.88 લાખ કરોડનું વિદેશી દેવું નહીં ચુકવવાની જાહેરાત કરી હતી. શ્રીલંકા નાણાની ચૂકવણી કરવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી રાહત પેકેજની રાહ જોઈ રહ્યું છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ગવર્નર પી. નંદલાલ વીરસિંઘેના જણાવ્યા અનુસાર, વિદેશી દેવાની ચૂકવણીને અસ્થાયી રૂપે […]

પહેલો સંબંધી પડોશીઃ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાની મદદે આવ્યું ભારત

નવી દિલ્હીઃ સૌથી પહેલો સંબંધી પડોશી, એવુ ભારત માને છે અને કોરોના મહામારીમાં પાકિસ્તાન અને ચીન સિવાયના પડોશી દેશોને કોવિડ-19ની રસી પણ મોકલી હતી. દરમિયાન હાલ શ્રીલંકા આર્થિક કટોકટીમાંથી નીકળી રહ્યું છે. આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે અને જરૂરી વસ્તુઓ મોકલી આપવામાં આવી રહી છે. ભારતે 40 […]

આર્થિક કટોકટીનો સામનો કરનારા શ્રીલંકાની મદદ કરનારા ભારતની રાણાતુંગાએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. તેમજ અહીં લોકોને ખાદ્યસામગ્રીનો ભાવ આસમાને પહોંચ્યો છે. દરમિયાન 1996માં શ્રીલંકાને પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન અર્જુન રણતુંગા પોતાના દેશના રાજનેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.  તેમજ તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને ખુરશી છોડવાની સલાહ આપી હતી. આ સાથે તેમણે ભારતની […]

શ્રીલંકામાં કર્ફ્યુ બાદ હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ : FB, Twitter અને WhatsApp સેવા બંધ

શ્રીલંકામાં વણસી જતી સ્થિતિ હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ FB, Twitter અને WhatsApp સેવા બંધ દિલ્હી:શ્રીલંકામાં સ્થિતિ ખૂબ જ વણસી રહી છે.કર્ફ્યુ લાદ્યા બાદ હવે ત્યાંની સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રવિવારથી શ્રીલંકામાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ   સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવા બંધ કરી દેવામાં આવ્યા છે.આજે આખા દેશમાં […]

આર્થિક સંકટનો સામનો કરતા શ્રીલંકાને ભારતની મદદઃ 40 હજાર ટન ચોખા મોકલાયાં

નવી દિલ્હીઃ પાડોશી દેશ શ્રીલંકા છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી અને ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખતમ થઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે અનેક દેશોના દેવાથી ડૂબેલા પાડોશી દેશ પર નાદારીનું સંકટ ઊભું થયું છે. શ્રીલંકાને આ સંકટમાંથી બહાર કાઢવા માટે ઘણા દેશો આગળ આવ્યા છે પરંતુ ભારત તેમાં સૌથી વધુ […]

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે પ્રજાનો વિદ્રોહ, રાષ્ટ્રપતિના નિવાસસ્થાન ઉપર કર્યો હંગામો

નવી દિલ્હીઃ આર્થિક સંકટને કારણે શ્રીલંકામાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સેંકડો લોકોએ કોલંબોમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો, જેમાં 10 લોકો ઘાયલ થયા. બેકાબૂ મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછતના કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીલંકામાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code