1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટે શમીને નોટિસ ફટકારી, પત્ની હસીનની ભરણપોષણમાં વધારો કરવાની અરજી પર જવાબ માંગ્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી શમીની અલગ રહેતી પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરાયેલી અરજી પર જવાબ માંગ્યો છે, જેમાં તેના ભરણપોષણમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. હસીન જહાંએ કોર્ટને જણાવ્યું છે કે હાલની રકમ તેના અને તેની પુત્રીના ખર્ચ માટે પૂરતી નથી. સુનાવણી દરમિયાન, બેન્ચે […]

‘માસ્ટરમાઇન્ડ ક્યારેય પકડાતો નથી’, ડ્રગ તસ્કરી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે ગેરકાયદેસર ડ્રગ્સ અને માદક પદાર્થોની તસ્કરી અને ઉત્પાદન સંબંધિત કેસોમાં, નાના ખેલાડીઓની ઘણીવાર ધરપકડ કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિક માસ્ટરમાઇન્ડ અને સપ્લાયર્સ પડદા પાછળ રહે છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને વિપુલ એમ. પંચોલીની બેન્ચે ભારતમાં વધતી જતી ડ્રગ સમસ્યાની કમનસીબ વાસ્તવિકતા પર પ્રશ્ન ઉઠાવ્યો, કેટલા સાચા માસ્ટરમાઇન્ડ […]

ડીપફેક અને AI આધારિત બાળ શોષણ સામે કાયદાની જરૂરઃ  સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.વી.નાગરત્ના

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી. વી. નાગરત્નાએ જણાવ્યું કે, સમયની માંગ છે કે સક્ષમ સત્તાધિકારીઓ ડીપફેક અને કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિત બાળ શોષણ સામે સ્પષ્ટ કાયદા બનાવે. તેઓ યુનિસેફ-ભારતના સહયોગથી સુપ્રીમ કોર્ટની કિશોર ન્યાય સમિતિ દ્વારા આયોજિત “બાળિકાઓની સુરક્ષા – ભારત માટે વધુ સુરક્ષિત અને સશક્ત વાતાવરણ તરફ” વિષયક રાષ્ટ્રીય વાર્ષિક ચર્ચાસત્રના સમાપન સમારોહને […]

સર્વોચ્ચ અદાલતે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાના અભાવ અંગે સુઓમોટો દાખલ કરી

નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે સર્વોચ્ચ અદાલતે આજે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાના અભાવ અંગે સુઓમોટો કેસ નોંધ્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે એક મીડિયા રિપોર્ટની નોંધ લઈ ટાંક્યું કે, વર્ષ 2025ના પહેલા આઠ મહિનામાં રાજસ્થાનમાં પોલીસ કસ્ટડીમાં અગિયાર લોકોના મોત થયા હતા. અદાલતે પારદર્શિતા જાળવવા અને કસ્ટડીમાં થતા ત્રાસની ઘટનાઓને રોકવા માટે […]

ઉત્તર ભારતમાં પૂર અને ભૂસ્ખલન અંગે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી, હિમાચલમાં પૂર સાથે વહેતા લાકડાને વનનાબૂદીનો પુરાવો ગણાવ્યો

ઉત્તર ભારત અને પંજાબના પહાડી રાજ્યોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે ભૂસ્ખલન અને પૂર અંગે કેન્દ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ ફટકારી છે. આ દરમિયાન કોર્ટે હિમાચલ પ્રદેશમાં નદીઓમાં તરતા લાકડાના ચિત્રોનો ઉલ્લેખ કર્યો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ મોટા પાયે વનનાબૂદી તરફ ઈશારો […]

ઇથેનોલ મુક્ત પેટ્રોલની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ (EBP-20) લાગુ કરવાની કેન્દ્રની યોજનાને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશભરમાં લાગુ કરવામાં આવેલી નીતિમાં કોઈ દખલ કરવામાં આવશે નહીં. અરજદારે દલીલ કરી હતી કે આ નિર્ણય લાખો વાહનચાલકોને તેમના વાહનો માટે રચાયેલ ન હોય તેવા ઇંધણનો […]

મતદાર યાદીમાંથી ગાયબ થયેલા મતદારોની દાવા અરજી ઓનલાઈન સ્વીકારવા ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચને એવા મતદારો પાસેથી દાવા ફોર્મ ઓનલાઈન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે જેમના નામ મતદાર યાદીમાંથી ગાયબ છે,અને આ પ્રક્રિયામાં કોઈપણ દસ્તાવેજો ભૌતિક રીતે સબમિટ કરવાનો આગ્રહ રાખવો નહીં. બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે, દાવા ફોર્મ ચૂંટણી પંચ દ્વારા મૂળ સૂચિબદ્ધ 11 દસ્તાવેજોમાંથી કોઈપણ સાથે અથવા આધાર કાર્ડ સાથે […]

દિલ્હી-NCR માં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશે આ માટે ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી.અંજારિયાની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચની રચના કરી છે. આ મામલે આજે સુનાવણી થશે.ગઈકાલે, એક વકીલે આ બાબતનો ઉલ્લેખ કર્યા પછી, CJI બી.આર.ગવઈએ કહ્યું કે તેઓ શેરી કૂતરાઓ સંબંધિત ચાલી રહેલા […]

દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓને પકડવા માટે સુપ્રીમ કોર્ટે તંત્રને કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક અવારનવાર જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો કૂતરાઓના કારણે ડરમાં રહેવા મજબૂર છે. કારણ કે ભૂતકાળમાં કૂતરાઓએ ઘણા લોકો પર હુમલો કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો નિર્દેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં બધા રખડતા કૂતરાઓને પકડવામાં આવશે. આ […]

સુપ્રીમ કોર્ટે HDFC બેંકના CEOની અરજી પર સુનાવણી ન કરી, આ કેસ મની લોન્ડરિંગના આરોપ સાથે સંબંધિત

સુપ્રીમ કોર્ટે HDFC બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર શશિધર જગદીશનની અરજી પર કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. જગદીશને તેમની સામે નોંધાયેલી FIRમાં રાહત માંગી હતી, પરંતુ ન્યાયાધીશોએ કહ્યું કે કેસ 14 જુલાઈના રોજ બોમ્બે હાઈકોર્ટમાં સુનવણી માટે નિર્ધારિત છે. અરજદારે ત્યાં પોતાનો કેસ રજૂ કરવો જોઈએ. દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code