1. Home
  2. Tag "Supreme Court"

મહિલાની મરજી વિરુદ્ધ ગર્ભાવસ્થા ચાલુ રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ મહિલા કે સગીરાને તેની મરજી વિરુદ્ધ ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે દબાણ કરી શકાય નહીં, કારણ કે પ્રજનન અધિકારોમાં સ્ત્રીનો નિર્ણય સર્વોપરી છે. અદાલતે 30 અઠવાડિયાની ગર્ભવતી સગીરાના કેસમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી સુરક્ષિત ગર્ભપાતની મંજૂરી આપી છે. આ […]

7 વર્ષ સુધીની સજા હોય તેવા ગુનામાં પોલીસ સીધી ધરપકડ નહીં કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જે ગુનાઓમાં મહત્તમ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તેમાં પોલીસ કોઈ પણ વ્યક્તિની સીધી ધરપકડ કરી શકશે નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, ધરપકડ પહેલા આરોપીને નોટિસ આપવી ફરજિયાત છે અને આ પ્રક્રિયા વગર કરાયેલી ધરપકડ ગેરકાયદે ગણાશે. જસ્ટિસ […]

સુપ્રીમ કોર્ટમાં SIRની સુનાવણીમાં મમતા બેનર્જી રહ્યાં હાજર, પોતાનો પક્ષ રજૂ કર્યો

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2026: દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્પેશિયલ ઈન્ટેસિવ રિવીઝન (એસઆઈઆર)ને લઈને સુનાવણી ચાલી રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ તેમણે કોર્ટમાં પોતાનો પક્ષ રાખવાની મંજૂરી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમને ક્યાંથી ન્યાય નથી મળ્યો, અમે છ વાર ચૂંટણીપંચને સંપૂર્ણ માહિતી સાથે ચિઠ્ઠી […]

યુપી: સંભલની જામા મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની માંગ વહીવટીતંત્રે ફગાવી

લખનૌ, 4 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી ઐતિહાસિક શાહી જામા મસ્જિદમાં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને જિલ્લા વહીવટીતંત્રે ફગાવી દીધી છે. મસ્જિદ કમિટીએ સરકારી નિયમોના પાલન સાથે લાઉડસ્પીકરની માંગ કરી હતી, પરંતુ તંત્રએ સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું કહીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, શાહી જામા […]

પાકિસ્તાની હિન્દુ શરણઆર્થીઓને નાગરિકતાની સાથે ઘર પણ મળવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે પાકિસ્તાનથી આવેલા અનુસૂચિત જાતિના હિન્દુ શરણાર્થીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાનથી પીડિત થઈને આવેલા આ લોકોને માત્ર નાગરિકતા આપવી પૂરતી નથી, પરંતુ સરકાર તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય ઘર મળે તેની પણ ખાતરી કરે. […]

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટના આદેશને રદ કર્યો: અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને ફાળવેલ જમીન પરત લેવાનો આદેશ રદ

મુંદ્રાઃ ગુજરાત સરકારે તા. ૧૫ જુલાઈ ૨૦૦૫ના રોજ નવીનાલ ગામમાં આવેલી ૯,૩૪,૮૨૯ હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) વિકાસ માટે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ અવેજની ચુકવણી થયા બાદ ફાળવી હતી. આ જમીનને પછીથી ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા SEZ જમીન તરીકે સૂચિત કરવામાં આવી હતી. વર્ષ […]

સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમો પર સ્ટે લગાવ્યો

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: UGC નિયમો સામે દેશવ્યાપી વિરોધ વચ્ચે, સુપ્રીમ કોર્ટ જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા પર UGC નિયમોને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર રોક લગાવી દીધી છે. આગામી સુનાવણી 19 માર્ચે થશે. યુજીસી નિયમન વિરુદ્ધ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ફક્ત […]

UGCના નવા નિયમો સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: સમાનતાના અધિકાર પર CJIની મહત્વની ટિપ્પણી

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે આ નવા નિયમો સમાજમાં વિભાજન પેદા કરી રહ્યા છે અને માત્ર અમુક ચોક્કસ જ્ઞાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને અન્ય નાગરિકોની અવગણના કરી […]

રખડતા કૂતરાઓના ત્રાસ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: કૂતરાના નસબંધી મુદ્દે આકરી ટિપ્પણી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: દેશમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અને તેના ઉકેલ માટેના ‘એનિમલ બર્થ કંટ્રોલ’ (ABC) નિયમો પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અરજદારોની વેદના, વકીલોના સૂચનો અને જજની તીખી ટિપ્પણીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કોર્ટ હાલ માનવ સુરક્ષા અને પ્રાણીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા પર વિચાર […]

સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસઃ તમે નામની આગળ શંકરાચાર્ય કેમ લખો છો? સ્પષ્ટતા કરો

પ્રયાગરાજ, 20 જાન્યુઆરી, 2026: Notice to Swami Avimukteswaranand યુપીના પ્રયાગરાજમાં મૌની અમાસના પવિત્ર અવસરે જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને રોકવામાં આવ્યા બાદ સર્જાયેલો વિવાદ હવે વધુ વકર્યો છે. આ મામલે પ્રયાગરાજ મેળા વહીવટીતંત્રે મોડી રાત્રે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને એક કારણદર્શક નોટિસ જારી કરી છે, જેમાં તેમને 24 કલાકની અંદર ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code