1. Home
  2. Tag "Supreme Court"

ધાર ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટે નમાઝ માટે ફાળવેલી જમીનને લઈને સ્થાનિકોનો વિરોધ

ભોપાલ, 31 જુલાઈ 2026: મધ્યપ્રદેશના ઐતિહાસિક અને અત્યંત સંવેદનશીલ ધાર જિલ્લા સ્થિત ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ વિવાદમાં દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ અને વચગાળાનો આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાયના નાગરિકોને શુક્રવારની નમાઝ અદા કરવા માટે ભોજશાળા પરિસનની બિલકુલ નજીક આવેલી જમીન ફાળવી છે. આ આદેશ મુજબ, ભોજશાળાની પાછળ આવેલી જમીન પર મુસ્લિમ સમુદાયના […]

દિલ્હી આંદોલનમાં પેલેટ ગનથી ઘાયલોની સારવાર કરાવવા સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ

નવી દિલ્હી, 30 જુલાઈ 2026: રાજધાની દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન અને વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે પેલેટ ગનના હુમલામાં ઘાયલ થયેલા નાગરિકોની સારવારને લઈને સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ જંતર-મંતર પર થયેલા દેખાવો વખતે ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોની યોગ્ય અને ઉત્તમ સારવાર સુનિશ્ચિત કરે, ખાસ […]

સુપ્રીમ કોર્ટે મનમોહન સિંહ સામેનો કોલસા કૌભાંડનો કેસ બંધ કર્યો, 11 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્હી, 29 જુલાઈ 2026: Coal scam case against Manmohan Singh closed સુપ્રીમ કોર્ટે કોલસા બ્લોક ફાળવણી કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ક્લીન ચિટ આપી છે. એક વિશેષ ન્યાયાધીશે સમન્સ જારી કરવાના આદેશને રદ કર્યો અને સીબીઆઈ (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલો ક્લોઝર રિપોર્ટ સ્વીકારી લીધો. આ કેસ UPA સરકારના કાર્યકાળ દરમિયાન ઓડિશામાં હિન્દાલ્કો […]

જંતરમંતર ખાતે તોફાન દરમિયાન પકડાયેલા વિદ્યાર્થીઓને તત્કાળ મુક્ત કરોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 28 જુલાઈ, 2026: સુપ્રીમ કોર્ટે જંતરમંતર પ્રદર્શન મામલે સુનાવણી બાદ આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પીઠે પોતાના આદેશમાં કહ્યું કે કોઈ પણ પ્રદર્શનકારી વિદ્યાર્થી પર કોઈ કાર્યવાહી થવી જોઈએ નહીં. ચીફ જસ્ટિસે આ પહેલા સુનાવણી દરમિયાન પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે લોકશાહીમાં પ્રદર્શનો થતા રહે છે. તેમણે કહ્યું કે મામલાઓની સ્વતંત્ર અને નિષ્પક્ષ […]

મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અબુ સલેમની વહેલી મુક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત અબુ સલેમની વહેલી મુક્તિની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરીને પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. મુંબઈ વિસ્ફોટોમાં 257 નિર્દોષ લોકોના પ્રાણ ગયા હતા. અબુ સલેમના વકીલ રિષિ મલ્હોત્રાએ ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેંચ […]

ઓનલાઈન નીટ પરીક્ષા માટે ટાસ્ક ફોર્સના સૂચનો પર સુપ્રીમ કોર્ટ નજર રાખશે 

નવી દિલ્હી, 27 જુલાઈ 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું છે કે નીટ પરીક્ષાને ભવિષ્યમાં ઓનલાઈન (કમ્પ્યુટર આધારિત) મોડમાં યોજવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી નંદન નીલેકણીની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સના સૂચનો અને ભલામણોનો અભ્યાસ કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે પરંપરાગત ફિઝિકલ પરીક્ષા પદ્ધતિમાંથી ડિજિટલ કે ઓનલાઈન મોડમાં તબદીલ થતી વખતે સાયબર સુરક્ષા અને […]

ભોજશાળા વિવાદઃ નમાઝ માટે ફાળવેલી વૈકલ્પિક જગ્યા મુદ્દે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા વિવાદિત ભોજશાળા-કમલ મૌલા મસ્જિદ સંકુલ મામલે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવા માટે સંમતિ દર્શાવી છે. મુસ્લિમ પક્ષ દ્વારા અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા શુક્રવારની નમાઝ અદા કરવા માટે ફાળવવામાં આવેલી વૈકલ્પિક જમીન વિવાદિત ભોજશાળા […]

70 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીથી પીડાતા કેદીઓની વહેલી મુક્તિ માટે નીતિ ઘડવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, 16 જુલાઈ 2026: દેશની જેલોમાં બંધ વૃદ્ધ, અશક્ત અને ગંભીર બીમારીઓથી પીડાતા કેદીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવતા સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક આદેશ આપ્યો છે કે, 70 વર્ષથી વધુ ઉંમરના, લાઈલાજ અથવા ગંભીર બીમારીથી પીડાતા તેમજ શારીરિક રીતે અક્ષમ કેદીઓની માનવીય ધોરણે […]

સુપ્રીમ કોર્ટે ભોજશાળા સંકુલ પાસે નમાઝ માટે જગ્યા ફાળવવા આદેશ આપ્યો

નવી દિલ્હી, 14 જુલાઈ, 2026: ભોજશાળા કેસ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને ધૈર્ય રાખવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે ભોજશાળાનો આ મામલો સંવેદનશીલ છે. અદાલતે જણાવ્યું કે તે આ મામલાની રોજિંદી સુનાવણી કરવા અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. દેશની સર્વોચ્ચ અદાલત મધ્ય પ્રદેશ હાઈકોર્ટના એ આદેશને […]

રામ મંદિરમાં દાન ચોરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, 13મી જુલાઈએ હાથ ધરાશે સુનાવણી

અયોધ્યા, 10 જુલાઈ 2026: અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરી કેસમાં પોલીસ તપાસમાં દરરોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન આ સમગ્ર મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. તેમજ આ કાસની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે. આ કેસ અંગે આગામી 13મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠલની ખંડપઠમાં ચુનાવણી હાથ ધરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code