1. Home
  2. Tag "Supreme Court"

કેજરિવાલના વચગાળાના જામીન લંબાવવાની અરજી ઉપર તત્કાલ સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. જસ્ટિસ એએસ ઓકની આગેવાની હેઠળની બેન્ચે કેજરીવાલના સ્વાસ્થ્યની તપાસ માટે વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આટલું જ નહીં, ખંડપીઠે અરજી મોડી ફાઇલ કરવા પર પણ સવાલો […]

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે વચગાળાના જામીન લંબાવવા સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. જેમાં તેણે વચગાળાના જામીન વધુ સાત દિવસ લંબાવવાની માંગણી કરી છે. આનું કારણ જણાવતા કેજરીવાલે કહ્યું કે પીઈટી અને સીટી સ્કેન સિવાય તેમને કેટલાક વધુ ટેસ્ટ કરાવવાના છે. તેમણે આ તમામ તપાસ માટે સાત દિવસનો સમય માંગ્યો […]

મતદાનના આંકડા જાહેર કરવા મામલે ચૂંટણી પંચને નિર્દેશ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ ચૂંટણી પંચને લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનના આંકડા વેબસાઈટ ઉપર અપલોડ કરવા સંબંધમાં કોઈ નિર્દેશ કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, લોકસભા ચૂંટણીને લઈને પાંચ તબક્કા પૂર્ણ થયાં છે હવે બે તબક્કામાં મતદાન યોજાશે. જેથી ચૂંટણી પંચને વેબસાઈટ પર મતદાનની ટકાવારીના આંકડા અપલોડ કરવાના કામમાં લોકોને લગાવવા મુશ્કેલ છે. […]

હેમંત સોરેનને ચૂંટણી માટે વચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હીઃ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીને લઈને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે,”નીચલી કોર્ટે આ મામલાની સંજ્ઞાન લીધી છે.” નિયમિત જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે, તેથી ધરપકડનો પડકાર સુનાવણી માટે આધાર બનતો  નથી. હેમંત સોરેન વતી […]

જનતા જાણે છે કે અમારી પાસે 10 વર્ષથી બંધારણ બદલવા માટે પૂરતી બહુમતી હતી, પરંતુ એવું નથી કર્યુ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કેજરીવાલના ચૂંટણી પ્રચાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, ‘એક મતદાર તરીકે હું માનું છું કે તે જ્યાં પણ જશે ત્યાં લોકો દારૂના કૌભાંડને યાદ કરશે.. શું સુપ્રીમ કોર્ટ જીત-હારનો નિર્ણય કરશે? દિલ્હીના સીએમના એ નિવેદન કે’જો તમે મને વોટ આપો તો મારે જેલ નહીં જવું […]

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાથી આપી મુક્તિ, IMA ચીફની કાઢી ઝાટકણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવની પ્રશંસા કરી છે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાબા રામદેવમાં લોકોની આસ્થા છે અને તેનો સકારાત્મક રીતે ઉપયોગ થવો જોઇએ. કોર્ટે કહ્યું કે આજે આખી દુનિયામાં યોગને જે પ્રોત્સાહન મળ્યું છે તેમાં બાબા રામદેવનો પણ ફાળો છે.. જેને લઇને બાબા રામદેવે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. કોર્ટે આ […]

સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની અરજી ફગાવી

નવી દિલ્હીઃ પીએમ મોદીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં પીએમ મોદી પર નફરતભર્યા ભાષણો આપવાનો આરોપ લગાવ્યો હતો અને તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં પીએમ મોદી વિરૂદ્ધ નફરત ફેલાવનાર ભાષણ આપવા અને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં […]

સુપ્રીમ કોર્ટમાં 29 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ખાસ લોક અદાલતનું આયોજન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં કેસના ઝડપી નિકાલ માટે 29 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. હમીરપુરના જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અસલમ બેગે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ તેના કેસનો ઝડપથી નિકાલ કરવા માંગે છે.  તો તે 29મી જુલાઈથી 3 ઓગસ્ટ સુધી યોજાનારી વિશેષ લોક […]

ધર્મના નામે આરક્ષણ નહીં, રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં પલટાયઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ટીએમસીએ વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પાંચ […]

અરવિંદ કેજરિવાલ સીએમ ઓફિસ અને સચિવાલય નહીં જઈ શકે, જામીનની શરત

નવી દિલ્હીઃ દિલ્હી આબકારી નીતિમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્ર4ગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરિવારને આજે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યાં છે. કોર્ટે કેટલીક શરતોને આધારે જામીન આપ્યાં છે. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે કહ્યું કે, આપના સંયોજકને 2 જૂનના રોજ આત્મસમર્પણ કરવાનું રહેશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code