1. Home
  2. Tag "Supreme Court"

અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ અરજીઓની દિલ્હી હાઈકોર્ટમાં થશે સુનાવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’ને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજના સાથે જોડાયેલી અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે કેરળ, પંજાબ અને હરિયાણા, પટના અને ઉત્તરાખંડની હાઈકોર્ટને અગ્નિપથ વિરુદ્ધની તમામ પીઆઈએલને દિલ્હી […]

સુપ્રીન કોર્ટ ભાગેડૂ વિજય માલ્યાને 4 મહિનાની જેલની સજા ફટકારી – 2 હજાર રુપિયાનો દંડ કરાયો

વિજય માલ્યાને 4 મહિનાની જેલની સજા 2 હજાર રુપિયાનો દંડ પણ ફટકારાયો દિલ્હીઃ-  સુપ્રીમ કોર્ટે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને મોટો ઝટકો આપ્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે અવમાનના ના કેસમાં ચાર મહિનાની સજા ફટકારી છે. આ સહીત બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો કોર્ટે તેને બે મહિનાની વધારાની જેલની સજા […]

ઉત્તરપ્રદેશમાં હિંસાના કેસમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે ના આપ્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રમખાણોના આરોપીઓની સંપત્તિ પર ચાલતા બુલડોઝર પર હાલમાં કોઈ પ્રતિબંધ નથી. જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં નોટિસ જારી કરી હતી, પરંતુ બુલડોઝરની કાર્યવાહીને રોકવા માટે કોઈ આદેશ આપ્યો નથી. આ મામલે આગામી સપ્તાહે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે દાવો કર્યો હતો કે […]

જ્ઞાનવાપી મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટે કેસ ડિસ્ટ્રિક્ટ જજને ટ્રાન્સફર કર્યો, 8 અઠવાડિયામાં સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ

વારાણસી:સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદની અંદર ‘શ્રૃંગાર ગૌરી’ની પૂજા કરવાની પરવાનગી માંગતી અરજીઓને વારાણસીની સિવિલ કોર્ટમાંથી જિલ્લા ન્યાયાધીશને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રાન્સફર ઓર્ડરની સાથે કોર્ટે આ મામલે પ્રાથમિકતાના આધારે નિર્ણય લેવા જણાવ્યું છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે સંબંધિત પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી અરજીઓ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો તેમજ વિવાદિત […]

જ્ઞાનવાપી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આવતીકાલે સુનાવણી યોજાય તેવી શકયતા

લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશના પગલે સર્વેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો હતો. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હાની બેંચ અંજુમન ઈનાઝાનિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. સ્થાનિક અદાલત દ્વારા જાહેર કરાયેલા સર્વેના આદેશને 1991ના પ્લેસ ઓફ વર્શીપ […]

સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ અધિનિયમની કલમ ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે  રાજદ્રોહ અધિનિયમની કલમ 124A પર મનાઈ હુકમ ફરમાવ્યો છે એટલું જ નહીં સર્વોચ્ચ અદાલતે તમામ પેન્ડિંગ કેસ પર સ્ટે પણ મૂક્યો છે. તેમજ કેન્દ્ર સરકારને કાયદા અંગે ફરીથી વિચારણા કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ તાકીદ કરી હતી કે, આ કલમ હેઠળ કોઈ નવો કેસ નોંધવામાં આવશે નહીં અને આ અંતર્ગત જેલમાં […]

દિલ્હીઃ શાહીનબાગમાં ગેરકાયદે દબાણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ CAAના વિરોધમાં દેખાવાના મામલે સમગ્ર દેશમાં જાણીતા બનેલા શાહીન બાગમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા મુદ્દે ખળભળાટ મચી ગયો છે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. અસરગ્રસ્ત પૈકી કોઈએ અરજી કરી નથી પરંતુ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવી છે. કોર્ટને આ બધા માટે […]

ગુજરાત હાઇકોર્ટના સિનિયર ન્યાયધીશ જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના વધુ એક જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક થઈ છે. હાઈકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની ભલામણ કરી હતી. જે […]

લાઉડસ્પીકરના અવાજને લઈને સર્વોચ્ચ અદાલતે 17 વર્ષ પહેલા આપ્યો હતો મહત્વપૂર્ણ નિર્દેશ

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં મનસેના નેતા રાજ ઠાકરેએ ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને તેના પડઘા દેશના અન્ય રાજ્યોમાં પણ પડ્યાં છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરનો અવાજ ધીમો રાખવાના આદેશ કર્યાં છે. દરમિયાન સમગ્ર દેશમાં ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવાની માંગણી ઉઠી રહી છે. દરમિયાન રાજકીય તજજ્ઞોએ […]

હાર્દિક પટેલને સુપ્રીમે રાહત આપતા હવે વિધાનસભાની ચૂંટણી લડી શકશે

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલને આખરે રાહત મળી છે. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોમાં વિસનગરમાં થયેલી તોડફોડ કેસમાં હાદિર્ક પટેલને રાહત મળી છે.  હાદિર્ક પટેલે  ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી જે બાબતે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. સુપ્રીમની રાહત બાદ હાદિર્ક પટેલ હવે વિધાનસભાની 2022ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code