1. Home
  2. Tag "Supreme Court"

પાકિસ્તાનમાં મંદિર ઉપર થયેલા હુમલાથી નારાજ કોર્ટે કર્યો સવાલ, મસ્જિદ ઉપર હુમલો થયો હોત તો શું કર્યું હોત ?

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં અવાર-નવાર કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડ કરવાની ઘટના સામે આવે છે. તાજેતરમાં જ કેટલાક કટ્ટરપંથીઓએ એક મંદિરમાં તોડફોડ કરી હોવાની ઘટના બની હતી. જેની સુપ્રીમ કોર્ટેના મુખ્ય ન્યાયમૂર્તિએ ગંભીર નોંધ લઈને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા માટે આદેશ કર્યોં હતો. તેમજ પોલીસને પણ આડેહાથ લઈને સવાલ કર્યો હતો […]

તો નહીં થાય રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલ? સુપ્રીમે આપ્યો ઝટકો, એમેઝોનના પક્ષમાં ગયો ચુકાદો

રિલાયન્સ ફ્યુચર ગ્રુપની ડીલને ઝટકો સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં આપ્યો ચુકાદો રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવાઇ નવી દિલ્હી: રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપની વચ્ચે થયેલી ડીલને ઝટકો લાગ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે એમેઝોનની અરજી પર ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે […]

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમમાં સુનાવણી, સુપ્રીમે કહ્યું – જો રિપોર્ટ સાચા તો આરોપ છે ગંભીર

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં થઇ સુનાવણી CJIએ કહ્યું – જો રિપોર્ટ સાચા તો આરોપ ગંભીર કેન્દ્રને નોટિસ ફટકારે કોર્ટ – કપિલ સિબ્બલ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે પેગાસસ જાસૂસી કાંડ અંગે સુનાવણી થઇ હતી. હવે આગામી સુનાવણી 10મી ઑગસ્ટે હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, જો સમાચાર સાચા છે તો આરોપ […]

ફાલતુ અરજીઓથી સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી, દરેક કેસમાં અપીલનું ચલણ રોકવું અનિવાર્ય

ફાલતુ અરજીઓના ઘોડાપૂર પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી દરેક કેસમાં અપીલનું ચલણ રોકવું પડશે સામૂહિક રીતે આપણે બધા ન્યાયિક પ્રણાલીની મજાક બનાવી રહ્યા છીએ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દરેક કેસમાં ફાલતુ અરજીઓના ઘોડાપૂરને લઇને નારાજગી વ્યક્ત કરી છે. ફાલતુ અરજીઓથી ત્રસ્ત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સામૂહિક રીતે આપણે બધા ન્યાયિક પ્રણાલીની મજાક બનાવી […]

સુપ્રીમ કોર્ટનો આદેશઃ વ્યભિચારના કેસમાં શંકાના આધારે બાળકના DNA ટેસ્ટને મંજૂરી નહીં

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યભિચારના એક કેસમાં પ્રાથમિક પુરાવા વિના લગ્ન દરમિયાન જન્મેલા બાળકના ડીએનએ ટેસ્ટને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ આ કેસમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને રદ ઠરાવ્યો હતો. મહારાષ્ટ્રના એક દંપતિ વચ્ચે ચાલતા વિવાદના કેસમાં પતિએ પત્ની સામે શંકા વ્યક્ત કરીને બાળકના ડીએનએ ટેસ્ટની મંજૂરી માંગી હતી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિનીત સરન અને […]

પેગાસસ મામલે ન્યાયાધીશ દખલ કરે તે જરૂરી: 500થી વધુ લોકોએ કરી અપીલ

પેગાસસનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો 500થી વધુ લોકો અને સંગઠનોએ પેગાસસ મુદ્દે ન્યાયાધીશને દખલ કરવા અપીલ કરી NSO પાસેથી પેગાસસ સ્પાયવેરની ખરીદી તુરંત અટકાવવા પર પત્ર લખાયો નવી દિલ્હી: ઇઝરાયલી સ્પાયવેર સોફ્ટવેર પેગાસસ દ્વારા દેશના અનેક રાજકારણી, પત્રકારો, કાર્યકરોની જાસૂસી મામલે સમગ્ર દેશમાં હોબાળો મચ્યો છે. વિપક્ષ પણ આ મુદ્દે સરકારને સતત ઘેરી […]

સનાતન વૈદિક ધર્મના અનુયાયીઓએ સચ્ચર કમિટિની કાયદેસરતાને સુપ્રીમમાં પડકારી

સનાતન વૈદિક ધર્મના અનુયાયીઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા સનાતન વૈદિક ધર્મના અનુયાયીઓએ સચ્ચર કમિટિની કાયદેસરતાને પડકારી નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં હિંદુ સંગઠન સનાતન વૈદિક ધર્મનાં અનુયાયીઓએ મુસ્લિમ સમુદાયની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ પર વર્ષ 2006માં બનેલી જસ્ટિસ રાજિન્દર સચ્ચર કમિટિની રિપોર્ટની કાયદેસરતા માટે દ્વાર ખખડાવ્યા છે. આ અરજી મુજબ 9 માર્ચ 2005 નાં દિવસે […]

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ એસ.સી.અગ્રવાલનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિક એસ.સી અગ્રવાલનું નિધન 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ   દિલ્હી:સુપ્રીમ કોર્ટના નિવૃત જસ્ટિસ એસસી અગ્રવાલનું 88 વર્ષની વયે નિધન થયું છે. જસ્ટિસ અગ્રવાલનો જન્મ 5 સપ્ટેમ્બર 1933 માં રાજસ્થાનના જયપુરમાં થયો હતો. અહીંથી જ તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને 1952 માં રાજસ્થાન યુનિવર્સિટીના મહારાજા કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. […]

પેગાસસ જાસૂસી કાંડ હવે સુપ્રીમ કોર્ટમાં, આ સાંસદે દાખલ કરી પિટિશન

પેગાસસ જાસૂસી કાંડને કારણે દેશમાં રાજકીય ભૂકંપ હવે રાજ્યસભાના સાંસદે સુપ્રીમ કોર્ટમાં તેને લઇને પિટિશિન દાખલ કરી પિટિશન દાખલ કરીને SIT તપાસની કરી માંગણી નવી દિલ્હી: પેગાસસ જાસૂસી પ્રોજેક્ટને લઇને દેશમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ઇઝરાયલના સ્પાયવેર પેગાસસ દ્વારા કાર્યકરો, રાજકારણીઓ, પત્રકારો અને અનેક અધિકારીઓની થતી કથિત જાસૂસીના રિપોર્ટ બાદ વિપક્ષે હાલમાં સરકારને બરોબરની ઘેરી […]

સુપ્રીમ પહોંચ્યો Pegasus જાસૂસી મામલો, SIT તપાસ અને સોફ્ટવેર ખરીદી પર રોક લગાવવા કરાઇ અરજી

નવી દિલ્હી: પેગાસસ સોફ્ટવેર મારફતે દેશના અનેક પત્રકારો અને કાર્યકરોની જાસૂસી મામલે હવે તેના ઉંડા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યા છે. હવે પેગાસસ જાસૂસી મામલે SIT દ્વારા તપાસ કરાવવાની તેમજ સોફ્ટવેરની ખરીદી પર રોક લગાવવાની માગણી કરાઇ છે. જાસૂસીના રિપોર્ટ્સની SIT દ્વારા તપાસ થાય તેવી માંગણી અરજીમાં કરાઇ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર વકીલ એમ એલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code