1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારોએ કર્યો ચક્કાજામ, કલેક્ટરની કાર રોકીને સૂત્રોચ્ચાર કરાયો

સુરેન્દ્રનગરઃ શહેરના નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. નગરપાલિકામાં 300 જેટલા સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. જેમાં મોટા ભાગના કર્મચારીઓ રોજમદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેને કાયમી કરવા સહિત અન્ય લાભો આપવાની માગણા સાથે આંદોલન કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંઘની રજૂઆત બાદ […]

સુરેન્દ્રનગરમાં મુખ્ય રસ્તાઓ પર 100થી વધુ દબાણો દુર કરાતા વાહનચાલકોને મળી રાહત

સુરેન્દ્રનગરઃ શહેરની વસતી સાથે વાહનોની સંખ્યામાં વધારો થયો છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર આડેધડ દબાણો ખડકાયેલી હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. તેમજ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા, આથી રોડ પરના ગેરકાયદે દબાણો દુર કરવા માટે નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. અને 100થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા. […]

સુરેન્દ્રનગરના ધાળીધજા ડેમમાં ડૂબતા વ્યક્તિઓને બચાવવા માટે રિમોટથી ચાલતી બોટ તરતી મુકાઈ

સુરેન્દ્રનગરઃ શહેરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી મોતના બનાવો વધતા જાય છે. ત્યારે હવે ડેમમાં ડૂબતા વ્યક્તિને બચાવવા માટે રિમોટથી ચાલતી બોટ તરતી મુકવામાં આવી છે. સરકારે ફાળવેલી આ આધુનિક બોટનું ફાયર વિભાગની ટીમે ટેસ્ટિંગ પણ કર્યું હતું. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતું કે, ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી બારેમાસ ભરેલો રહે છે. બીજીબાજુ ડેમ લોકોને […]

સુરેન્દ્રનગરના કામલપુરમાં સામાન્ય વાતે બે જુથ બાખડી પડ્યાં, બે રાઉન્ડ ફાયરિંગ, એકને ઈજા

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના કામલપુર ગામે સામાન્ય વાતે બે જુથ બાખડી પડ્યા હતા. અને બે રાઉન્ડ ફાયરિંગ કરાતા લાલભાઈ ભરવાડ નામના યુવાનને ઈજાઓ થતાં સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી […]

સુરેન્દ્રનગર જિલ્લામાં આગોતરા પાકને બચાવવા નર્મદા કેનાલ દ્વારા સિચાઈનું પાણી અપાશે,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક સુક્કો અને વેરાન ગણાતો હતો. પણ કેટલાક વર્ષોથી નર્મદા કેનાલનો લાભ મળતા જિલ્લો હરિયાળો બનતો જાય છે. નર્મદા યોજનાને કારણે કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. જિલ્લાના મહેનતુ ખેડુતો હવે ત્રણે ય સીઝનમાં પાક લઈ રહ્યા છે. હાલ ચોમાસાની સીઝનના પ્રારંભ પહેલા જ ઘણાબધા ખેડુતોએ આગોતરૂ વાવેતર કરી દીધુ છે. ત્યારે સિંચાઈ […]

સુરેન્દ્રનગરમાં 6490 વાહનચાલકો E- મેમો અપાયા છતાંયે દંડ ભરતા નથી, હવે 44 લાખ વસુલાશે

સુરેન્દ્રનગરઃ શહેરમાં ચાર રસ્તાઓ પર સીસીટીવી દ્વારા ટ્રાફિકનો ભંગ કરનારા સામે નજર રાખવામાં આવી રહી છે. અને ટ્રાફિકનો ભંગ કરતાં વાહનચાલકોને E-મેમો આપવામાં આવે છે. છતાં ઘણાબધા વાહનચાલકો દંડ ભરતા નથી. શહેરમાં એક વર્ષમાં જે વાહનચાલકોને E-મેમો અપાયા હતા તેમાંથી 6490 વાહનચાલકોએ નોટિસ આપવા છતાંયે દંડ ભર્યો નથી. આવા વાહનચાલકો પાસેથી રૂપિયા 44 લાખનો દંડ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય આંદોલન ભાજપને હરાવી ન શક્યુ પણ લીડ ઘટાડવામાં સફળ રહ્યું

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનો 261617 મતોની લીડથી વિજ્ય થયો છે. આ બેઠક પર ભાજપના ચંદુભાઈ શિહોરાને 669749 મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણાને 408132 મતો મળ્યા હતા. ક્ષત્રિય આંદોલનને કારણે ઝાલાવાડની આ બેઠક પર રસાકસીભર્યો જંગ બન્યો હતો. ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપતા ભાજપના સ્થાનિક આગેવાનો પણ નારાજ […]

સુરેન્દ્રનગર શહેરમાં અસહ્ય ગરમીથી લોકોને રાહત આપવા રોડ પર પાણીનો છંટકાવ કરાયો

સુરેન્દ્રનગરઃ શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના ટાણે તો બજારો સુમસામ બની જાય છે. ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે નગરપાલિકાના ફાયર વિભાગના વાહનોથી શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરી લોકોને ઠંડક મળે તે માટે પ્રયાસ કરાયો છે. પાણીના છંટકાવથી મુખ્ય રસ્તાઓ પરના દુકાનદારોને પણ રાહત મળી છે. ગઈકાલે ગુરુવારે […]

સુરેન્દ્રનગર જિલ્લામાં પાક વીમો ભરતા ખેડુતોને પણ નુકસાનીના વળતર માટે ફાંફા મારવા પડે છે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક ખેતી આધારિત છે. છેલ્લ ઘણા સમયથી જિલ્લાના કેટલાક તાલુકાઓને સિંચાઈ માટે નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ ખેડુતોને મહદ અંશે રાહત થઈ છે. જિલ્લાના મોટાભાગના ખેડુતો પાક વિમો ભરે છે, પરંતુ કૂદરતી આફત બાદ ખેડુતોને નુકશાનીનું યોગ્ય વળતર મળતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અન્ય કોઇ મોટા ઉદ્યોગો ન હોવાને કારણે […]

સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર સામે લોકોમાં વિરોધ, વડોદરામાં સામાન્ય નાગરિકને 9 લાખનું બિલ મળ્યું

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં વીજળીના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જેમાં પ્રિપેઈડ મોબાઈલ ફોનની જેમ વીજળીની જેટલી જરૂરિયાત હોય તે મુજબ સ્માર્ટ મીટરને ગ્રાહકે પોતાના મોબાઈલ ફોનથી એડવાન્સ રૂપિયા ભરીને સ્માર્ટ મીટર ચાર્જ કરાવવા પડે છે. બીજીબાજુ એવી ફરિયાદો ઉઠી છે. કે, સ્માર્ટ મીટર ફાસ્ટ દોડે છે. બે મહિને જે બિલો આવતા હતા. તે એક સપ્તાહમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code