1. Home
  2. Tag "surendranagar"

લીંમડીના શિયાણી પાસે કાર પલટી જતાં બેના મોત,વસ્તડી પાસે કારે અડફેટે લેતા રાહદારીનું મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. લીમડી-લખતર રોડ પર આવેલા શિયાણી ગામ પાસે પુરફાટ ઝડપે આવતી કારનાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા નાળામાં ખાબકતા કારમાં મુસાફરી કરી રહેલા બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બીજો અકસ્માત લીંબડી-રાજકોટ હાઈવે પર વસ્તડી ગામ પાસે સર્જાયો હતો. જેમાં હાઈવેની સાઈડ પર જામફળ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે યોજાશે સૂર્ય નમસ્કાર સ્પર્ધા, ત્રણ વય જુથના સ્પર્ધકો ભાગ લેશે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના મુખ્ય મથક સુરેન્દ્રનગર ઉપરાંત તમામ તાલુકા મથકો પર આજે તા.23મીને શનિવારે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે. સૂર્યનમસ્કાર સ્પર્ધા 9થી 18 વર્ષ, 19થી 40 વર્ષ અને 41 વર્ષથી ઉપર એમ કુલ ત્રણ વય જૂથોમાં યોજાશે. સ્પર્ધકોએ નિર્ણાયકો સમક્ષ 10 મિનિટમાં 15 સૂર્ય નમસ્કાર પ્રસ્તુત કરવાના થશે. યોગને વિશ્વસ્તરીય બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને આગળ વધારવા […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટાને લીધે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ઠંડીમાં ક્રમશઃ વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધાતા વાયરલ બિમારીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાનાં તેમજ ધ્રાંગધ્રા. લીંમડી. ચુડા, સાયલા, સહિત તમામ તાલુકાના હેલ્થ કેન્દ્રો પર દર્દીઓના લાઊનો જોવા મળી રહી છે. શરદી, ઉધરસ અને ફીવરના દર્દીઓમાં વધારો થયો છે. જિલ્લામાં વાઇરલ ઇન્ફેકશન અને ડબલ ઋતુને […]

સુરેન્દ્રનગરના ફુલગ્રામ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા દંપત્તીનું મોત, 3ને ઈજા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત ફુલગ્રામ પાસે  સર્જાયો હતો.  પુત્રના લગ્ન પુરા કરી અન્ય પરિવારજનો ક્રેટા કારમાં પરત ફરતા હતા ત્યારે ક્રેટાકાર ડમ્પર સાથે અથડાતા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં અન્ય ત્રણ લોકોને પણ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી […]

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે 30 કરોડના ખર્ચે વિક્સાવાશે

સુરેન્દ્રનગરઃ શહેર નજીક આવેલો ધોળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ કહેવામાં આવે છે. એટલે કે નર્મદાના પાણીથી ડેમને છલોછલ ભરીને સૌરાષ્ટ્રમાં પીણીનું વિતરણ કરવામાં આવે છે. એટલે બારેમાસ ધોળી ધજા ડેમ ભરાયેલો જોવા મળે છે. હવે સરકારે ધાળી ધજા ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવવાનું નક્કી કર્યું છે, રૂપિયા 30 કરોડના ખર્ચે બાગ-બગીચા, પ્રવાસીઓ માટેના મનોરંજક […]

સુરેન્દ્રનગર- વઢવાણમાં રખડતા ઢોરને પકડવા માટે આખરે મ્યુનિ. દ્વારા ઝૂંબેશ શરૂ કરાઈ

સુરેન્દ્રનગરઃ શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં વઢવાણ અને સુરેન્દ્રનગરમાં રસ્તાઓ પર અડિંગો જમાવીને બેઠેલા ઢોર ઠેર ઠેર જોવા મળતા હતા. રખડતા ઢોરને લીધે ટ્રાફિક સમસ્યા પણ વકરી હતી. આ અંગે નગરપાલિકાના સત્તાધિશો રજુઆતો છતાં કોઈ પગલા લેતા નહતા. આખરે રાજ્ય સરકારે સુચના આપ્યા બાદ હવે નગરપાલિતાનું તંત્ર સફાળું જાગ્યુ છે. […]

સુરેન્દ્રનગરના 45 તળાવો નર્મદાના પાણીથી ભરાશે, બીજા 38 ગામોને પણ સિંચાઈનો લાભ મળશે

સુરેન્દ્રનગરઃ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ શહેરના સર્કિટ હાઉસ ખાતે સૌની યોજના કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, દાયકાઓ અગાઉ સૌરાષ્ટ્રની ફળદ્રુપ ખેતી મોટેભાગે વરસાદ આધારિત હતી અને ઘણીવાર પાણીની તંગી કે દૂકાળ વેઠવાનો વારો આવતો.પરંતુ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન […]

સુરેન્દ્રનગર પાસે ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે તંત્રના દરોડા, JCB સહિતના સાધનો જપ્ત કરાયાં

સુરેન્દ્રનગરઃ વઢવાણના પાદરમાંથી પસાર થતીં ભોગાવો નદી વિશાળ પટ્ટમાં ફેલાયેલી છે. ભોગાવો નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા રેતીનું  ગેરકાયદો ખનન થતું હોવાની રાવ ઉઠી છે. ખનિજ વિભાગ દ્વારા પોલીસની મદદ લઈને અવાર-નવાર દરોડા પાડવામાં આવતા હોય છે. પરંતુ ખનીજચોરી અટકતી નથી. ત્યારે ખનીજ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાછળ જ ભોગાવા નદી પટમાં રેડ પાડીને જેસીબી […]

સુરેન્દ્રનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન

અમદાવાદઃ ગુજરાતમાં દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો સંકલ્પ દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે આપ્યો હતો તે સંકલ્પને પેજ સમિતિના પ્રણેતા અને કાર્યકરોમાં સતત ઉર્જાનો સંચાર કરનાર તેમજ કાર્યકર્તાઓમાં ખૂબ લોકપ્રિય એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં દરેક જિલ્લામાં કાર્યાલયનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે ઝાલાવાડની ધીંગી ધરા […]

સુરેન્દ્રનગરના દસાડા નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચારના મૃત્યુ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના દસાડા નજીક હાઈવે ઉપર મોટરકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની સાઈડમાં અથડાયા બાદ ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code