1. Home
  2. Tag "tamil nadu"

તમિલનાડુઃ પૂર નિયંત્રણ પ્રોજેક્ટ્સ માટે રૂ.338 કરોડના બજેટની ફાળવણી

ચેન્નાઈઃ મોસમી પૂરને રોકવા માટે એક મોટા પ્રયાસમાં તમિલનાડુના જળ સંસાધન વિભાગ (WRD)એ ચેન્નાઈ અને તેના પડોશી જિલ્લાઓમાં સંકલિત પૂર નિવારણ પ્રોજેક્ટ્સની શ્રેણી શરૂ કરી છે. ચેન્નાઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમને આવરી લેતા આ પ્રોજેક્ટ્સ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ. 338 કરોડનું બજેટ ફાળવણી કરવામાં આવી છે. આ તબક્કા હેઠળ, ચેન્નાઈના દક્ષિણ ભાગોમાં પૂર નિવારણ […]

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં ધડાકો: 5 શ્રમિકોના મોત

તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં મંગળવાર સવારે ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 5 શ્રમિકોના મોત થયા છે અને આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફેક્ટરીમાંથી ધુમાડાના […]

તમિલનાડુના તિરુનેલવેલીમાં બે કાર વચ્ચે અકસ્માતમાં સાત લોકોનાં મોત

બેંગ્લોરઃ તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના નાંગુનેરી નજીક થલાપતિ સમુદ્રમ ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે કાર વચ્ચે સામસામે ટક્કર થતાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં ત્રણ પુરુષો, બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. પોલીસે આ દુ:ખદ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક કાર તિરુનેલવેલી તરફ જઈ રહી હતી […]

તામિલનાડુના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની બેઠક યોજાઈ

બેંગ્લોરઃ તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં આજે વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની પહેલી બેઠક ચેન્નઈમાં યોજાઈ રહી છે. બેઠકમાં અન્ય લોકો સિવાય કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર,પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંઘ માન અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્થ રેડ્ડી પણ સામેલ છે. બેઠકમાં શરૂઆતના તબક્કામાં સંઘવાદ અને સીમાંકનના મુદ્દાઓ સહિત અનેક […]

PFI-SDPI કેસમાં ED એ તમિલનાડુના એક વ્યક્તિની ધરપકડ કરી

નવી દિલ્હી : પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) સામે ચાલી રહેલી તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તમિલનાડુના કોઈમ્બતુરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેટ્ટુપલયમ (કોઇમ્બતુર જિલ્લો) ના રહેવાસી વાહિદુર રહેમાન જૈનુલ્લાબુદીનને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ […]

તમિલનાડુમાં હિન્દી ભાષાને લઈને 1937થી ચાલી રહ્યો છે વિવાદ

નવી દિલ્હીઃ તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ત્રણ જુદાજુદા મુદ્દાને લીધે આ તણાવ છે. આ ત્રણ મુદ્દા એટલે નવી શિક્ષણ નીતિ, ભાષા અને રૂપિયાનું ચિન્હ છે. ભારતમાં 2020થી નવી એજ્યુકેશન પોલિસી અમલમાં આવી. તેમાં એવી જોગવાઈ કરવામાં આવી કે, દરેક રાજ્યએ ત્રણ ભાષામાં શિક્ષણ આપવાનું રહેશે. એક માતૃભાષા, બીજી […]

તમિલનાડુના કુલિથલાઈમાં બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચના મોત

બેંગ્લોરઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન તમિલનાડુમાં બસ અને મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે અનેક વ્યક્તિઓને ઈજા થઈ હતી. માર્ગ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તમિલનાડુના કરુર જિલ્લામાં કુલિથલાઈ […]

તમિલનાડુનાં ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની આગાહી

બેંગ્લોરઃ હવામાન વિભાગે ગુરુવારે તમિલનાડુનાં ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે, પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) અનુસાર, તિરુનેલવેલી, તેનકાસી, થૂથુકુડી, ડિંડીગુલ અને કન્યાકુમારી જિલ્લામાં વરસાદની સંભાવના છે. હળવાથી મધ્યમ ઉત્તર-પૂર્વીય અને પૂર્વીય પવનો નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે ચાલુ રહેશે. અઠવાડિયાનાં અંતમાં અને સોમવાર સુધીમાં, તિરુનેલવેલી અને તેનકાસી જિલ્લાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થયો […]

તમિલનાડુઃ પેસેન્જર ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતર્યો, લોકો પાઇલટની સમયસૂચકતાથી અકસ્માત ટળ્યો

ચેન્નાઈઃ મંગળવારે વિલ્લુપુરમ નજીક પુડુચેરી જતી મેમુ (મેઈનલાઈન ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ) ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, લોકો પાયલટે આ વાતની નોંધ લેતા અને તાત્કાલિક ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી અને ત્રણ કલાકમાં ટ્રેન અવરજવર પૂર્વવત થઈ ગઈ હતી.  તેમણે […]

વર્તમાન સમયમાં ભારતીય બંધારણને ભારતીય દ્રષ્ટીથી જોવાની આવશ્યકતા: તામીલનાડુના ગવર્નર આર. એન. રવી

અમદાવાદઃ ભારતીય વિચાર મંચ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્ર્મે, “હમ ભારત કે પ્રજાજન” વિષય સાથે  બે દિવસીય રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. “હમ ભારત કે પ્રજાજન” કાર્યક્રમમાં તામીલનાડુના ગવર્નર આર. એન. રવીએ એકતા અને સાંસ્કૃતિક વારસા સાથે વર્તમાન સમયમાં ભારતીય બંધારણને ભારતીય દ્રષ્ટીથી જોવાની ટકોર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code