1. Home
  2. Tag "TEACHERS"

રાજ્યના ખાનગી શાળાઓના શિક્ષકોનો પગાર સમાન રાખવા સંઘની સરકારને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં તગડી ફી ઉઘરાવતા ખાનગી શાળાઓના સંચાલકો શિક્ષકોને પુરતો પગાર પણ આપતા નથી. અને ખાનગી શાળાઓના શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે. આથી ખાનગી શિક્ષક સંઘે હવે ખાનગી શાળાઓના શિક્ષકોના પ્રશ્ને સરકારના દ્વાર ખટખટાવ્યા છે. અને એવી રજુઆતો કરી છે કે, કોરોના કાળમાં ખાનગી શાળાઓએ શિક્ષકોના કાપી નાંખેલો પગાર પરત આપવો. રાજ્ય સરકારે ખાનગી શાળાઓમાં […]

રાજ્યમાં શિક્ષકોની અનિયમિતતા, બે હજાર શિક્ષકોએ 90 દિવસમાં માત્ર દોઢ મહિનો જ હાજરી આપી

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકોની શાળાઓમાં હાજરી માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઈન હાજરી લેવામાં આવે છે. જેમાં ત્રણ મહિનામાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ગેરહાજરી અને અનિયમિતતા જોવા મળી હતી. આથી શાળાઓમાં સતત અનિયમિત કે ગેરહાજર રહેતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાંથી વિગતો મંગાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં […]

પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ હવે આઠ કલાક હાજરી આપવી પડશે, સરકાર નિયમો બનાવશે

અમદાવાદઃ રાજ્યની પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શાળાઓમાં સતત આઠ કલાકની હાજરી સાથે શિક્ષણ કાર્ય કરવાનું સરકાર ઘણા સમયથી વિચારી રહી છે. હવે તે અંગેના નિયમો બનાવવામાં આવી રહ્યા છે. જોકે શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોનો સમય આઠ કલાક કરવામાં આવશે તો તેનો વિરોધ થવાની પણ શક્યતા છે. સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તો એવો દાવો કરી રહ્યા છે […]

માધ્યમિક અને ઉ.માધ્યમિકના શિક્ષકો જુની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા લડત આપશે

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી જુદા જુદા કર્મચારી મંડળો અને સંગઠનોએ પોતાની પડતર માગણીના ઉકેલ માટે લડતના મંડાણ કરી રહ્યા છે. સરકારે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની કેટલીક માગણીઓનો ઉકેલ લાવી દીધો છે. ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર પણ કર્મચારીઓની નારાજગી વહોરવા નથી માગતી. ત્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે.  શિક્ષકો પણ […]

અમદાવાદ મ્યુનિ.સ્કુલ બોર્ડના શિક્ષકો પેન્શન સહિતના વણઉકેલ્યા પ્રશ્નો સામે લડતનું રણશિંગુ ફૂંકશે

અમદાવાદઃ રાજ્યમાં સરકારી કર્મચારીઓ પેન્શન સહિતના પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આંબેડકર જ્યંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો સારંગપુર ખાતેની પ્રતિમા પાસે એકઠા થઈ વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા શિક્ષકોને પોલીસે અટકાવ્યા હતા. અમદાવાદ શહેરના સારંગપુરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મ્યુનિના શિક્ષકોએ ભેગા થઈ બેનર સાથે પડતર પ્રશ્નોને લઈને વિરોધ […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કુલ બોર્ડના શિક્ષકોનો માર્ચ મહિનાનો પગાર ન થતાં અસંતોષ

અમદાવાદઃ શહેરના મ્યુનિ,કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓના શિક્ષકો તેમજ પેન્શનરોને માર્ચ મહિનાનો પગાર અને પેન્શન ખાતામાં એપ્રિલના આઠ દિવસ બાદ પણ જમા ન થતા શિક્ષકોમાં અસંતોષની લાગણી જન્મી છે. જ્યારે મ્યુનિ.ના તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, માર્ચ મહિનો હિસાબી વર્ષનો છેલ્લો મહિનો હોવાથી પગાર અને પેન્શનમાં વિલંબ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન […]

ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેન્ડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28212 જગ્યાઓ ખાલી

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં અનેક શાળાઓમાં પુરતા ઓરડાં નથી. પુરતા શિક્ષકો નથી, ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના જુદા જુદા પ્રશ્નોના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટડ શાળાઓમાં શિક્ષકો અને આચર્ય મળીને કુલ 28212 જગ્યાઓ ખાલી છે. ગુજરાત વિધાનસભામાં પુછાયેલા સવાલના સરકારે લેખિતમાં જવાબ રજુ કર્યા […]

નસવાડીઃ સરકારી પ્રાથમિક શાળા છે, પણ શિક્ષકો આવતા જ નથી, બાળકો ક્યાંથી ભણે?

છોટા ઉદેપુરઃ રાજ્યના અંતરિયાળ ગામડાંઓ તેમજ આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં શિક્ષકો અનિયમિત રહેતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. નસવાડી તાલુકાની પંખાડા(જી) પ્રાથમિક શાળામાં શિક્ષકો જ અનિયમિત રહેતાં 25 જેટલાં બાળકોના અભ્યાસ પર અસર થઇ રહી છે. ઘણીવાર બાળકોને બહાર જ ઓટલા પર બેસાડીને ભણાવાય છે. રોષિત ગ્રામજનોએ આ બધી સમસ્યાઓની તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરતાં ગ્રુપ […]

અમદાવાદમાં મ્યુનિ. સંચાલત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ હતી. વધતી જતી મોંઘવારીમાં વાલીઓને ખાનગી શાળાઓની ફી પરવડતી ન હોવાથી હવે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાંથી ઉઠાવી લઈને મ્યુનિ.ની શાળાઓમાં પ્રવેશ અપાવ્યો હતો. તેના લીધે અમદાવાદ શહેરની મ્યુનિ.શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ હતી. બીજીબાજુ મ્યુનિ.એ દિલ્હીની જેમ સ્માર્ટ શાળાઓનો કન્સેપ્ટ શરૂ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે જાપાનના શિક્ષકો જાપાનિઝ ભાષા વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓને શીખવશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં શરૂ થનારા લેંગ્વેજ સેન્ટર અંતર્ગત જાપાનીઝ ભાષાના વર્ગો શરૂ કરવામાં આવશે. જેના માટે ગુરુવારે જાપાન એમ્બેસીના બે પ્રતિનિધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા અને તેમણે યુનિવર્સિટી કેમ્પસ, ટ્રાન્ઝિટ હાઉસ, ભાષા ભવન સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા પહોંચ્યા હતા. આગામી માર્ચ 2022થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેંગ્વેજ ભવન શરૂ કરવામાં આવશે જેમાં જાપાન સહિતની ભાષાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code