1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં માત્ર પાટણ જિલ્લામાં જ શિક્ષકોના બદલી કેમ્પ માટે અધિકારીઓને ફુરસદ મળતી નથી
રાજ્યમાં માત્ર પાટણ જિલ્લામાં જ શિક્ષકોના બદલી કેમ્પ માટે અધિકારીઓને ફુરસદ મળતી નથી

રાજ્યમાં માત્ર પાટણ જિલ્લામાં જ શિક્ષકોના બદલી કેમ્પ માટે અધિકારીઓને ફુરસદ મળતી નથી

0
Social Share

પાટણઃ રાજ્યમાં શિક્ષણ વિભાગના આદેશ બાદ પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં શિક્ષકો માટેના બદલીના કેમ્પ યોજવામાં આવ્યા હતા. પરંતુ પાટણ જિલ્લામાં શિક્ષકોની વધઘટ માટેનો બદલી કેમ્પ ન યોજાતા શિક્ષકોમાં કચવાટ ઊભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા એક એપ્રિલ 2022ના રોજ બદલીના નિયમો અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના વધઘટ અને અન્ય બીજા કેમ્પ નવી ભરતી પહેલા કરવાનું જણાવવામાં આવેલું છે તેનો અમલ રાજ્યના દરેક જિલ્લામાં થઈ રહ્યો છે. માત્ર પાટણના શિક્ષણના અધિકારીઓને જ ફુરસદ મળતી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લામાં વધઘટનો બદલી કેમ્પ કરવામાં આવ્યો નથી જેના લીધે વર્ષોથી ઊંચું મેરિટ અને અનુભવ ધરાવતા શિક્ષકોને તેમના વતનથી દૂર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જિલ્લામાં લગભગ 80થી 100 જેટલા શિક્ષકો વતનથી દુરના તાલુકામાં ફરજ બજાવી રહ્યા છે અને પરિવારથી દૂર રહે છે, ઘણા શિક્ષકોને તેમની નોકરીના માત્ર પાંચેક વર્ષ જ બાકી છે આવા શિક્ષકોને અન્યાય થઈ રહ્યો છે ત્યારે શિક્ષકોનો વધઘટ બદલી કેમ્પ કરવામાં ન આવતા શિક્ષકોમાં કચવાટ ઉભો થયો છે.

આ બાબતે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પાટણ જિલ્લામાં વધઘટ બદલી કેમ્પ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના શિક્ષકોને મોટું નુકસાન થશે તેવી જાણકારી આપી છે અને તાત્કાલિક બદલી કેમ્પ કરવા માટે માગણી પણ કરી છે જેમાં બદલી કેમ્પ ન કરવાથી શિક્ષકોને અન્યાય થતો હોવાનો અને જિલ્લામાં ધોરણ એક થી પાંચની લાયકાત ધરાવતા શિક્ષકો ધોરણ છ થી આઠમાં પણ કામ કરી રહ્યા હોવાની બાબત શિક્ષણ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code