1. Home
  2. Tag "TEACHERS"

દાહોદના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ હાઈકોર્ટ આદેશ છતાં ન ચૂકવાતા જવાબદાર અધિકારીને હાજર રહેવા આદેશ

અમદાવાદઃ  દાહોદના પાંચ શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાના હાઈકોર્ટના આદેશ છતાં તેના અમલ ન થતાં હાઈકોર્ટ જવાબદાર અઘિકારીને હાજર રહેવા આદેશ આપ્યો હતો. સાથે એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે, હુક્મનું પાલન કરવામાં નહીં આવે તો રોજના 10 હજારનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. દાહોદની પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા હાઇકોર્ટે […]

માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાના શિક્ષકો, કર્મચારીઓના પ્રશ્નો અંગે સરકારનું ઓરમાયું વલણ

અમદાવાદઃ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોથી લઈને વહિવટી વર્ગની અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરાતી નથી. આ ઉપરાંત શિક્ષણ સેવા વર્ગ-3ના કર્માચારીઓના અનેક વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી. આથી ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 3ના સરકારી કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના વિવિધ પ્રશ્નો બાબતે સરકાર દ્વારા યોગ્ય […]

અમદાવાદ મ્યુનિના શિક્ષકો ટેલિકોલર બનીને લોકોને વેક્સિન લેવા માટે સમજાવશે

અમદાવાદઃ શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવી ન જોઈએ તેવી ચર્ચાઓ થાય છે, છતાં શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપાવામાં આવે છે. અમદાવાદ મ્યુનિ. સ્કુલ બોર્ડ સંચાલિત શાળાઓને શિક્ષકોને કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલમાં દર્દીઓની નોંધણીથી લઈને અનેક કામગીરી સોંપવામાં આવી હતી. હવે કોરોના કાળ બાદ શિક્ષકોને વેક્સિન લેવા માટે લોકોને સમજાવવાની કામગીરી સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા […]

સુરેન્દ્રનગરમાં મતદાર યાદી સુધારણા તાલીમ કાર્યક્રમનો શિક્ષકોએ બહિષ્કાર કર્યા બાદ મનાવી લેવાયાં

સુરેન્દ્રનગરઃ રાજ્યના પ્રાથમિક શિક્ષકોને બાળકોને ભણાવવા ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની ઈતર કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. સુરેન્દ્રનગર શહેરના રંભાબેન ટાઉન હોલ ખાતે વઢવાણ તાલુકાના બીએલઓની મતદારયાદી સુધારણાની શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાર યાદી સુધારા, નવા ઉમેરવા, હાઉસ ટુ હાઉસ સર્વે સહિતની તાલીમ આપવાની હતી. પરંતુ બીએલઓની કામગીરીની સૂચના શિક્ષકોને વ્હોટ્સએપ […]

રાજ્યમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા શિક્ષકોના આશ્રિતોને હજુ સહાય ચુકવાય નથી

અમદાવાદઃ રાજ્ય સરકારના નિયમ મુજબ કોઈપણ કર્મચારી ચાલુ ફરજ દરમિયાન મૃત્યું પામે તો મૃતકના આશ્રિતને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવતી હોય છે. એવી જ રીતે રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો તેમના પણ આશ્રિતોને સરકાર દ્વારા ઉચ્ચ સહાય આપવામાં આવે છે. પરંતુ વર્ષ 2004થી […]

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રા.શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી મંગાવાઈ

અમદાવાદઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે  પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓની ભરતી શરૂ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. કેમ કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાંથી વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓની માહિતીને 10 નવેમ્બર-2021 સુધીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ પરીક્ષા પાસ ઉમેદવારોનો આંકડો 50000થી વધુ […]

શિક્ષકોને સપ્તાહમાં એક દિવસ ખાદી પહેરવાની સુચના બાદ ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં 2જી ઓક્ટોબર ગાંધી જ્યંતીએ ખાદીનું વેચાણ પુરતુ થયું ન હતું. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રીના ખાદી ખરીદવાના આહવાનને પગલે ચાલુ માસમાં ખાદીના વેચાણમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે. માત્ર અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનો સ્ટાફ જ 25 લાખની ખાદીની ખરીદી કરે તેવો લક્ષ્યાંક સ્કુલબોર્ડના સત્તાધીશો વ્યક્ત કરી રહ્યા છે. ખાદી એ […]

ક્યાંથી ભણશે ગુજરાત, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 18,000 જગ્યાઓ ખાલી

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણ પર અસર પડી રહી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં 18 હજાર  શિક્ષકોની જગ્યા ખાલી હોવાની ચોંકવાનારી માહિતી આરટીઆઈમાં બહાર આવી છે. જેમાં ધો.1થી 5માં 7 હજાર કરતા વધુ અને ધો.6થી 8માં 10 હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ઓક્ટોબરના અંત સુધીમાં કુલ 18 હજાર […]

ગુજરાતમાં શિક્ષકોની 17 ટકા જગ્યો ખાલી, 1275 શાળાઓમાં તો માત્ર એક જ શિક્ષક છે

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં પણ ઘણીબધી સરકારી શાળાઓમાં પુરતા ઓરડાં નથી. પુરતા શિક્ષકો નથી. રાજ્યમાં માત્ર એક શિક્ષકથી ચાલતી શાળાઓની સંખ્યા 1275 છે. રાજ્યમાં 17 ટકા શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા ‘નો ટીચર, નો ક્લાસ – સ્ટેટ ઓફ ધી એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2021’માં […]

બાળકોની માનસિક સમસ્યાના સમાધાન માટે શિક્ષકોને તાલીમ આપવી જરૂરીઃ મનસુખ માંડવિયા

સંયુક્ત પરિવાર તણાવને ઓછુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે કેન્દ્રીય મંત્રીએ કોરોનાકાળમાં પોતાના અનુભવનો કર્યો ઉલ્લેખ તણાવ ઓછો કરવા સાઈકલ અને યોગાનો સહારો લીધોઃ કેન્દ્રીય મંત્રી  દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ યુનિસેફનો વર્લ્ડ ચીલ્ડ્રન રિપોર્ટ જાહેર કર્યો હતો. આરોગ્ય મંત્રીએ બાળકોની માનસિક સમસ્યાના સમાધાન માટે શિક્ષકોને તાલીમ આપવાની તરફેણ કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code