1. Home
  2. Tag "team india"

વાવાઝોડાના કારણે વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે બાર્બાડોસમાં ફસાઈ

મુંબઈઃ T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ હરિકેન બેરીલ નામના વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા સોમવારે બાર્બાડોસથી ન્યૂયોર્ક પહોંચવાની હતી અને પછી ભારત જવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે આવું થઈ શક્યું નહીં. આજે રાત્રે બાર્બાડોસમાં હરિકેન બેરીલ અસરકારક રહેશે, જેના કારણે ત્યાંનું એરપોર્ટ પણ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.’ […]

T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા પહોંચી, આ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા….

ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રને હરાવ્યું હતું, જેના પછી માત્ર ચાહકોમાં જ નહીં પરંતુ સેલેબ્સમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. છે. જ્યારે સોશિયલ મીડિયા પર ચાહકો કેપ્ટન રોહિત શર્મા અને તેની ટીમની ફાઇનલ મેચ જોવા […]

T20 વર્લ્ડ કપ : ફાઈનલ મેચ માટે ટીમ ઈન્ડિયા બાર્બાડોસ પહોંચી, શનિવારે દક્ષિણ આફ્રિકા સામે મેચ

નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા કેન્સિંગ્ટન ઓવલમાં દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ માટે શુક્રવારે બાર્બાડોસ પહોંચી હતી. ભારતીય ટીમે ગુરુવારે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવીને આ મોટી ઈવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી […]

ટીમ ઈન્ડિયા 2023 ODI વર્લ્ડકપની ફાઇનલમાં હાર હજુ ભૂલી નથી, ફરી છલકાયું દર્દ

નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ 19 નવેમ્બર, 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારી ગઈ હતી. આ હારને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ચાહકો હજુ પણ તેને ભૂલી શક્યા નથી. ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી. હવે રોહિત શર્માએ ફરી […]

T20 વિશ્વકપઃ 5 જૂને ભારતીય ટીમનો આયર્લેન્ડ સામે મેચથી અભિયાનનો પ્રારંભ થશે

મુંબઈઃ T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 20 ટીમો વચ્ચે બરાબરીનો જંગ જામશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા આયોજિત આ મેગા ઈવેન્ટની ફાઈનલ 29 જૂને રમાશે. ભારતને ટાઈટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. IPL બાદ હવે લોકોનું ધ્યાન ટી20 વર્લ્ડ કપ 2024 પર છે. 2 જૂનથી […]

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને લઈને ઓસ્ટ્રેલિયાના આ પૂર્વે ક્રિકેટરે કરી ભવિષ્યવાણી..

નવી દિલ્હીઃ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ માટે અમેરિકા રવાના થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર કરાયું છે. આ ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થઈ રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારત અને પાકિસ્તાનની ટીમો […]

T20 વર્લ્ડ કપ: પ્રેક્ટિસ મેચથી શરૂ થશે ભારતનું અભિયાન, જાણો ભારતનું શેડ્યૂલ

ICC T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં ક્રિકેટપ્રેમીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઇન્ડીઝ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 1 જૂનથી શરૂ થશે, જેમાં ડેલાસ, ટેક્સાસમાં ઓપનિંગ મેચમાં યજમાન અમેરિકા કેનેડા સામે ટકરાશે. ભારતનું અભિયાન 1 જૂન, શનિવારે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની […]

BCCI : પુરૂષ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવાઈ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પુરુષોની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી, જેનો કાર્યકાળ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને 31 ડિસેમ્બર 2027ના રોજ, સમાપ્ત થશે. વન ડે વર્લ્ડ કપનું આયોજન 2027માં જ થવાનું છે. ગયા વર્ષે નવેમ્બરમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ ભારત ઘરની ધરતી પર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ […]

મહિલા T20 વર્લ્ડ કપ: ભારતીય ટીમની 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે અભિયાનની શરૂઆત થશે

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું. ભારત 4 ઓક્ટોબરે સિલ્હટમાં ન્યૂઝીલેન્ડ સામે મહિલા T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતની બહુપ્રતીક્ષિત મેચ 6 ઓક્ટોબરે સિલ્હટમાં પાકિસ્તાન સામે થશે. ત્યારબાદ ભારત 9 ઓક્ટોબરે ક્વોલિફાયર 1 સામે ટકરાશે અને 13 ઓક્ટોબરે તેની અંતિમ ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારત ગ્રુપ […]

રિંકુ સિંહ અને કે.એલ.રાહુલની પસંદગી નહીં કરવા મામલે શું કહ્યું અજીત અગરકરે, જાણો…

નવી દિલ્હીઃ ટી20 વિશ્વ કપ માટે બીસીસીઆઈએ 30મી એપ્રિલના રોજ ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં કે.એલ.રાહુલને સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે રિંકુ સિંહને  રિઝર્વ રાખવામાં આવ્યો છે. દરમિયાન કેએલ રાહુલને ટીમમાં સ્થાન નહીં આપવા બાબતે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જણાવ્યું હતું કે, કેએલ રાહુલ સારો ખેલાડી છે પરંતુ મને લાગે છે કે, પંત અને સંજુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code