મણિપુરમાં બોમ્બ હુમલામાં બે માસૂમ બાળકોના મોત બાદ પાંચ જિલ્લામાં કરફ્યુ, તણાવની પરિસ્થિતિ
ઈમ્ફાલ, 8 એપ્રિલ 2026: મણિપુરમાં શાંતિના પ્રયાસો વચ્ચે ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. બિષ્ણુપુર જિલ્લામાં થયેલા એક ઘાતકી બોમ્બ હુમલામાં બે માસૂમ બાળકોના કરુણ મોત નિપજતા સમગ્ર રાજ્યમાં રોષ ફાટી નીકળ્યો છે. પરિસ્થિતિ બેકાબૂ બનતા પ્રશાસને પાંચ ખીણ જિલ્લાઓમાં કરફ્યુ લાદી દીધો છે અને ઈન્ટરનેટ સેવાઓ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. […]


