1. Home
  2. Tag "terrorism"

હિંદ મહાસાગર રિમ એસોસિએશનની બેઠકમાં સભ્ય દેશોએ આતંકવાદની કરી નિંદા

નવી દિલ્હીઃ હિંદ મહાસાગર રિમ એસોસિએશન (IORA) મંત્રી પરિષદની 24મી બેઠકમાં “ભવિષ્યની પેઢીઓ માટે ટકાઉ હિંદ મહાસાગર” થીમ હેઠળ સમગ્ર પ્રદેશના ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિઓને એકત્ર કરવામાં આવ્યા હતા. આ બેઠક બુધવારે વર્ચ્યુઅલી IORA ચેર શ્રીલંકાના યજમાનપદ હેઠળ યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સચિવ (પૂર્વ) પી. કુમારન દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ વર્તમાન વાઇસ ચેરમેન અને IORA […]

‘ઓપરેશન સિંદૂર’ એ આતંકવાદનો સામનો કરવા માટે ત્રણ સિદ્ધાંતો નક્કી કર્યા: PM મોદી

જયપુરઃ પ્રધાનમંત્રીએ ગુરુવારે રાજસ્થાનના બિકાનેરમાં એક સભાને સંબોધિત કરતી વખતે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે અમે 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લઈ લીધો હતો. પ્રધાનમંત્રી સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “22 એપ્રિલના હુમલાના જવાબમાં, અમે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 સૌથી મોટા ઠેકાણાઓનો નાશ કર્યો હતો. દુનિયા અને દેશના દુશ્મનોએ પણ જોયું […]

અમેરિકાએ પાકિસ્તાનને ઠપકો આપતા કહ્યું- આતંકવાદને ટેકો આપવાનું બંધ કરો

ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને તાત્કાલિક તણાવ ઓછો કરવા કહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાત કરી. જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું જોઈએ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે, “વિદેશ સચિવ માર્કો […]

આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા અંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલો આતંકવાદી હુમલો એક શરમજનક ઘટના હતી. અમે આતંકવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરીશું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ‘અમે આતંકવાદ અને આતંકવાદીઓને ટેકો આપનારાઓ સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.’ અમે માનીએ […]

ઉગ્રવાદ હોય કે આતંકવાદ દરેકનો જડબાતોડ જવાબ અપાશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે બોડો સમુદાયના સામાજીક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગૃહમંત્રીએ બોડો નેતા ઉપેન્દ્રનાથ બ્રહ્માની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ગૃહમંત્રીએ સંબોધનમાં જણાવ્યું, કે આજ નો દિવસ બોડો સમુદાય માટે યાદગાર બની રહેશે. તેમણે પહલગામ હુમલા વિષે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર પૂર્વ હોય, ડાબેરીઓનો ઉગ્રવાદ હોય ,કે […]

ભારતે UNમાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો, ખ્વાજા આસિફે આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકને ટેકો અને ભંડોળ આપવાની વાત સ્વીકારી છે. આખી દુનિયાએ […]

તુલસી ગબાર્ડે આતંકવાદ સામે ભારત સાથે એકતામાં પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે આતંકવાદ સામે ભારત સાથે એકતામાં પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો. તુલસી ગબાર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “પહેલગામમાં 26 લોકોને નિશાન બનાવાયેલા આતંકવાદી હુમલાના પગલે અમે ભારત સાથે એકતામાં ઉભા છીએ. મારી પ્રાર્થના અને ઊંડી […]

આતંકવાદ સામેની લડાઈમાં વિપક્ષે પણ મોદી સરકારને સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સંસદ પરિસરમાં મળેલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકર, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં આતંકી હુમલા બાદ આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા કરાઈ હતી.. […]

અમેરિકાએ આતંકવાદ સામેની કાર્યવાહીમાં ભારતને તમામ સહયોગની આપવાની તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની સમગ્ર દુનિયાએ નિંદા કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને શક્ય તમામ સહયોગની ઓફર કરી, જેના માટે પ્રધાનમંત્રી મોદીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કહ્યું કે ભારત આ કાયરતાપૂર્ણ કૃત્યના ગુનેગારોને છોડશે નહીં અને તેમને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ […]

સરકાર જમ્મુ -કાશ્મીરમાં કાયમી શાંતિ સ્થાપિત કરવા અને આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે શ્રીનગરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ઉચ્ચ-સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. જમ્મુ અને કાશ્મીરનાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, નિદેશક (આઇબી), સેનાનાં પ્રમુખ, જીઓસી-ઇન-સી (નોર્ધન કમાન્ડ), જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય સચિવ અને ડીજીપી, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ)નાં વડાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code