1. Home
  2. Tag "terrorism"

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ફરીથી પાકિસ્તાનની ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?

આતંકવાદના આશ્રયદાતા પાકિસ્તાનને ભારતે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ફરી ઝાટક્યું કેટલાક દેશો આતંકીઓને મદદ-સમર્થન કરે છે અને તે ગુનેગાર છે આતંકવાદની નાબૂદી માટે આતંકીઓને નાણા સંસાધનો મળે છે તેને અટકાવવા જરૂરી નવી દિલ્હી: આતંકવાદના આશ્રયદાતા એવા પાકિસ્તાનને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ફરીથી ઝાટક્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું કે, કેટલાક દેશો આતંકવાદનું […]

કાશ્મીરમાંથી વર્ષ 2024 સુધીમાં આતંકવાદનો ખાતમો બોલાવવાનો કેન્દ્ર સરકારનો દ્રઢ નિર્ધાર

દિલ્હીઃ કાશ્મીરમાથી 370ની કલમ હટાવ્યાં બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું અને તેને દુનિયાના વિવિધ દેશો સમક્ષ કાશ્મીર મુદ્દે કાગારાડ મચાવી હતી. તેમજ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠનોએ કાશ્મીરમાં ફરીથી આતંકવાદી પ્રવૃતિ આચરવાનો મનસુબો બનાવ્યો હતો. જેથી પાકિસ્તાનમાંથી આતંકવાદીઓની ભારતમાં ઘુસણખોરીના અનેક પ્રયાસો કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં ભારતમાં રહેતા તેમના સાગરિતોને સરહદી વિસ્તારમાં ડ્રોનની […]

UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર, કહ્યું – પાકિસ્તાન આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર નીતિ લાવે

UNHRCમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લીધો પાક. પહેલા આતંકવાદને નાબૂદ કરવા માટેની નીતિ લાવે પાકિસ્તાને તેના દેશની કથળતી સ્થિતિ પર ધ્યાન આપવું જોઇએ નવી દિલ્હી: UNHRCમાં ભારતે પાકિસ્તાનનો ઉઘડો લીધો હતો. ભારતે કહ્યું હતું કે, જમ્મૂ કાશ્મીરનો સમગ્ર વિસ્તાર, જેમાં PoK પણ સામેલ છે. તે ભારતનો ભાગ છે અને હંમેશા તેનો અભિન્ન ભાગ રહેશે. ભારતે પાકિસ્તાનને […]

પાકિસ્તાન આતંકવાદનો ગઢ : UNGAમાં ભારતનો ઈમરાનખાનને જવાબ

પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલોપ્યો અલગાવવાદી ગિલાનીને ગણાવ્યા શહીદ પાકિસ્તાનની પ્રોપગેન્ડા ફેલાવવાની કોશિશઃ ભારત દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશના પ્રવાસે છે. તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે આતંકવાદ સહિતના મહત્વના મદ્દા ઉપર સર્ચા કરી હતી. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીરનો રાગ આલોપીને મગરમછના આંસુ સાર્યા હતા. જો કે, ભારતે […]

પાકિસ્તાનમાં આતંકી સંગઠનો સક્રિય, એક્શન લેવા આવશ્યક: કમલા હેરિસ

પીએમ મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે મુલાકાત આ દરમિયાન કમલા હેરિસે પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય હોવાનું સ્વીકાર્યું આતંકવાદ સામે કડક એક્શન લેવા કરી માંગ નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર છે ત્યારે પીએમ મોદીએ શુક્રવારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ આ દરમિયાન ભારત-અમેરિકાના સંબંધો […]

કાબુલનો હુમલો આતંકવાદ અને તેને પોષનારાઓ સામે કડક પગલા લેવાનું દર્શાવે છેઃ ભારત

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાબિલાનોના શાસન બાદ અરાજકતા ફેલાઈ છે અને વિવિધ દેશના નાગરિકો અને અનેક અફઘાનિઓ દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ તરફ પ્રયાણ કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે મોડી સાંજે કાબુલ એરપોર્ટ પાસે થયેલા આતંકવાદી હુમલામાં નોટોના જવાનો સહિત અનેક લોકોના મોત થયાં છે. જેથી અમેરિકા સહિતના દેશોમાં ચિંતા ફેલાઈ છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું […]

પાકિસ્તાનને પોતાનું બીજુ ઘર માને છે તાલિબાન, જાણો શું કહ્યું તાલિબાની પ્રવક્તાએ?

તાલિબાને પાકિસ્તાનને ગણાવ્યું પોતાનું બીજુ ઘર પાક.ના હિત વિરુદ્વ હોય તે પ્રકારની કોઇ ગતિવિધિઓ તાલિબાન નહીં કરે ભારતને ગણાવ્યો મહત્વનો દેશ નવી દિલ્હી: પાકિસ્તાન ભલે આતંકીઓને શરણ આપતી હોવાની વાતને નકારતું હોય પરંતુ આતંકીઓને પાકિસ્તાન પનાહ આપે છે તે તો જગજાહેર છે. પાકિસ્તાનની જમીન આતંકીઓ માટે સુરક્ષિત છે. હવે તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, […]

UNSC: કેટલાક દેશો આતંકવાદ સામે લડવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડે છે: એસ. જયશંકર

અફઘાનિસ્તાનની સ્થિતિ સારી નથી UNSCમાં ભારતીય વિદેશ મંત્રી જયશંકરે બેઠક સંબોધિત કરી કેટલાક દેશ આપણા આતંકવાદ સામે લડવાના સંકલ્પને નબળો પાડે છે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ આતંકી ગતિવિધિઓના સંદર્ભે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી છે. આ દરમિયાન તેઓએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું […]

કાશ્મીરમાં ફરી આતંકવાદ વધવાના અણસાર, આ છે મહત્વનું કારણ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછુ જશે એટલે કાશ્મીરમાં આતંકી ગતિવિધિ વધશે અમેરિકન ડિફેન્સ થિંક ટેંક ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝે આ ચિંતા વ્યક્ત કરી ખાસ કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ વધુ સક્રિય થશે નવી દિલ્હી: હાલમાં કાશ્મીરમાં આતંકી હિલચાલ ઓછી છે જો કે એકવાર અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછું ફરશે ત્યારબાદ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધશે તેવી ચિંતા અમેરિકન […]

જમ્મુ-કાશ્મીરમાં આર્મીનું આતંકવાદ વિરુદ્ધ અભિયાનઃ હથિયારોનો જથ્થો ઝડપાયો

દિલ્હીઃ ભારતમાંથી આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર તથા ભારતીય આર્મી દ્વારા કવાયત શરૂ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ડામવા માટે ભારતીય સેના દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન  જંગલમાંથી હથિયારોનો સામાન મળી આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. રક્ષા વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના જંગલમાંથી એકે-47, કારતુસ, સેલ્ફ લોડિંગ રાઈફલ, 303 બોરની રાઈફલ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code